Loksabha Election: Gujaratની આટલી બેઠકો માટે બંને પાર્ટીઓએ કર્યા ઉમેદવાર જાહેર, જાણો કોની કોની વચ્ચે થશે કાંટાની ટક્કર?


  • Published By :
  • Published Date : 2024-03-14 11:14:32

રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા ઘણા સમય પહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ હતી જ્યારે કોંગ્રેસે થોડા સમય પહેલા નામો જાહેર કર્યા. ગુજરાતની 7 બેઠકો માટે કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે. બે સીટો માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે ભાજપે 22 બેઠકો માટે  ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગઈકાલે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે



આ બેઠકો માટે બંને પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની કરાઈ જાહેરાત

ગુજરાતની અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થઈ રહી છે. ભરૂચ લોકસભા બેઠક તો છેલ્લા ઘણા સમયથી ચર્ચમાં છે. કોઈ વખત ચૈતર વસાવાને કારણે તો કોઈ વખત મનસુખ વસાવાને કારણે. તો બનાસકાંઠા બેઠક પણ રસપ્રદ રહેશે કારણ કે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. ભાજપે રેખાબેન ચૌધરીને તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. 



આટલી બેઠકો માટે ચિત્ર થઈ ગયું સ્પષ્ટ

ભાવનગર લોકસભા સીટ પર કોંગ્રેસ અને આપ વચ્ચે થયેલા ગઠબંધન અંતર્ગત ઉમેશ મકવાણાને ટિકીટ આપવામાં આવી છે. ત્યાં ઉમેશ મકવાણા તેમજ નિમુબેન બાંભણીયા વચ્ચે સીધી ટક્કર થવાની છે. તે સિવાય બંને પાર્ટી દ્વારા અમદાવાદની બંને બેઠકો એટલે અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. વલસાડમાં કોંગ્રેસના અનંત પટેલ તેમજ ભાજપના ધવલ પટેલ વચ્ચે જંગ જામવાનો છે. તો પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવિયા તેમજ કોંગ્રેસના લલિત વસોયા વચ્ચે જંગ જામવાનો છે. 




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.