Loksabha Election: Gujaratની આટલી બેઠકો માટે બંને પાર્ટીઓએ કર્યા ઉમેદવાર જાહેર, જાણો કોની કોની વચ્ચે થશે કાંટાની ટક્કર?


  • Published By :
  • Published Date : 2024-03-14 11:14:32

રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા ઘણા સમય પહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ હતી જ્યારે કોંગ્રેસે થોડા સમય પહેલા નામો જાહેર કર્યા. ગુજરાતની 7 બેઠકો માટે કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે. બે સીટો માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે ભાજપે 22 બેઠકો માટે  ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગઈકાલે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે



આ બેઠકો માટે બંને પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની કરાઈ જાહેરાત

ગુજરાતની અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થઈ રહી છે. ભરૂચ લોકસભા બેઠક તો છેલ્લા ઘણા સમયથી ચર્ચમાં છે. કોઈ વખત ચૈતર વસાવાને કારણે તો કોઈ વખત મનસુખ વસાવાને કારણે. તો બનાસકાંઠા બેઠક પણ રસપ્રદ રહેશે કારણ કે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. ભાજપે રેખાબેન ચૌધરીને તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. 



આટલી બેઠકો માટે ચિત્ર થઈ ગયું સ્પષ્ટ

ભાવનગર લોકસભા સીટ પર કોંગ્રેસ અને આપ વચ્ચે થયેલા ગઠબંધન અંતર્ગત ઉમેશ મકવાણાને ટિકીટ આપવામાં આવી છે. ત્યાં ઉમેશ મકવાણા તેમજ નિમુબેન બાંભણીયા વચ્ચે સીધી ટક્કર થવાની છે. તે સિવાય બંને પાર્ટી દ્વારા અમદાવાદની બંને બેઠકો એટલે અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. વલસાડમાં કોંગ્રેસના અનંત પટેલ તેમજ ભાજપના ધવલ પટેલ વચ્ચે જંગ જામવાનો છે. તો પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવિયા તેમજ કોંગ્રેસના લલિત વસોયા વચ્ચે જંગ જામવાનો છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.