Loksabha Election: Gujaratની આટલી બેઠકો માટે બંને પાર્ટીઓએ કર્યા ઉમેદવાર જાહેર, જાણો કોની કોની વચ્ચે થશે કાંટાની ટક્કર?


  • Published By :
  • Published Date : 2024-03-14 11:14:32

રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા ઘણા સમય પહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ હતી જ્યારે કોંગ્રેસે થોડા સમય પહેલા નામો જાહેર કર્યા. ગુજરાતની 7 બેઠકો માટે કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે. બે સીટો માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે ભાજપે 22 બેઠકો માટે  ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગઈકાલે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે



આ બેઠકો માટે બંને પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની કરાઈ જાહેરાત

ગુજરાતની અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થઈ રહી છે. ભરૂચ લોકસભા બેઠક તો છેલ્લા ઘણા સમયથી ચર્ચમાં છે. કોઈ વખત ચૈતર વસાવાને કારણે તો કોઈ વખત મનસુખ વસાવાને કારણે. તો બનાસકાંઠા બેઠક પણ રસપ્રદ રહેશે કારણ કે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. ભાજપે રેખાબેન ચૌધરીને તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. 



આટલી બેઠકો માટે ચિત્ર થઈ ગયું સ્પષ્ટ

ભાવનગર લોકસભા સીટ પર કોંગ્રેસ અને આપ વચ્ચે થયેલા ગઠબંધન અંતર્ગત ઉમેશ મકવાણાને ટિકીટ આપવામાં આવી છે. ત્યાં ઉમેશ મકવાણા તેમજ નિમુબેન બાંભણીયા વચ્ચે સીધી ટક્કર થવાની છે. તે સિવાય બંને પાર્ટી દ્વારા અમદાવાદની બંને બેઠકો એટલે અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. વલસાડમાં કોંગ્રેસના અનંત પટેલ તેમજ ભાજપના ધવલ પટેલ વચ્ચે જંગ જામવાનો છે. તો પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવિયા તેમજ કોંગ્રેસના લલિત વસોયા વચ્ચે જંગ જામવાનો છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.