Loksabha Election : ઉમેદવારોના પ્રચાર માટે Arvind Kejriwalના પત્ની સુનીતા કેજરીવાલ આવી શકે છે Gujarat! સ્ટાર પ્રચારકની યાદીમાં છે સમાવેશ.


  • Published By :
  • Published Date : 2024-04-22 15:12:28

ભરૂચ લોકસભા બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. આ બેઠક પર મનસુખ વસાવા અને ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં અરવિંદ કેજરીવાલ, સુનિતા કેજરીવાલ, સંજયસિંહ, ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના પ્રચારકોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાના પ્રચાર માટે અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ ગુજરાત આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

સુનીતા કેજરીવાલ ગુજરાત આવી કરી શકે છે પ્રચાર   

છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં રાજકોટ લોકસભા સીટ ચર્ચામાં છે.. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદનને કારણે આ બેઠકની ચર્ચા થઈ રહી છે પરંતુ બાકી એવી અનેક બેઠકો છે જેની ચર્ચા અવારનવાર થતી હોય છે.. ત્યારે આજે ચર્ચા ભરૂચ લોકસભા બેઠકની કરવી છે.. સામાન્ય રીતે આ બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે ઉમેદવારના નિવેદનોને કારણે. ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આપે ગઠબંધન કર્યું છે. જે મુજબ ભાવનગર સીટ પર ઉમેશ મકવાણાને જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. 



કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ દેખાયા છે સાથે સાથે 

ઉમેદવારોના પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં સુનિતા કેજરીવાલના નામનો સમાવેશ છે. ત્યારે ચૈતર વસાવા તેમજ ઉમેશ મકાવણાના પ્રચાર માટે સુનીતા કેજરીવાલ ગુજરાત આવી શકે છે તેવું લાગી રહ્યું છે...ગઠબંધન થતા આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ કોંગ્રેસના નેતાઓ અનેક વખત એકસાથે દેખાયા હતા. જ્યારે ચૈતર વસાવા ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમની સાથે જોવા મળ્યા હતા ઉપરાંત જ્યારે રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરેશ ધાનાણી ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સાથે દેખાયા હતા.. 


આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકના નામની કરી છે જાહેરાત 

મહત્વનું છે કે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સામે ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે... ઉમેદવારો માટે પ્રચારની શરૂઆત થઈ ગઈ છે અને  આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં અરવિંદ કેજરીવાલ, સુનીતા કેજરીવાલ, ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિત 40 લોકોના નામનો સમાવેશ કરવામાં  આવ્યો છે. પરંતુ સ્ટાર પ્રચારકના નામની જાહેરાત થયા બાદ આપમાં મોટો ઝટકો લાગ્યો છે.. અલ્પેશ કથીરિયાએ તેમજ ધાર્મિક માલવિયાએ આપમાંથી રાજીનામું આપી દીધું છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે