Loksabha Election : ઉમેદવારોના પ્રચાર માટે Arvind Kejriwalના પત્ની સુનીતા કેજરીવાલ આવી શકે છે Gujarat! સ્ટાર પ્રચારકની યાદીમાં છે સમાવેશ.


  • Published By :
  • Published Date : 2024-04-22 15:12:28

ભરૂચ લોકસભા બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. આ બેઠક પર મનસુખ વસાવા અને ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં અરવિંદ કેજરીવાલ, સુનિતા કેજરીવાલ, સંજયસિંહ, ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના પ્રચારકોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાના પ્રચાર માટે અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ ગુજરાત આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

સુનીતા કેજરીવાલ ગુજરાત આવી કરી શકે છે પ્રચાર   

છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં રાજકોટ લોકસભા સીટ ચર્ચામાં છે.. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદનને કારણે આ બેઠકની ચર્ચા થઈ રહી છે પરંતુ બાકી એવી અનેક બેઠકો છે જેની ચર્ચા અવારનવાર થતી હોય છે.. ત્યારે આજે ચર્ચા ભરૂચ લોકસભા બેઠકની કરવી છે.. સામાન્ય રીતે આ બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે ઉમેદવારના નિવેદનોને કારણે. ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આપે ગઠબંધન કર્યું છે. જે મુજબ ભાવનગર સીટ પર ઉમેશ મકવાણાને જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. 



કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ દેખાયા છે સાથે સાથે 

ઉમેદવારોના પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં સુનિતા કેજરીવાલના નામનો સમાવેશ છે. ત્યારે ચૈતર વસાવા તેમજ ઉમેશ મકાવણાના પ્રચાર માટે સુનીતા કેજરીવાલ ગુજરાત આવી શકે છે તેવું લાગી રહ્યું છે...ગઠબંધન થતા આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ કોંગ્રેસના નેતાઓ અનેક વખત એકસાથે દેખાયા હતા. જ્યારે ચૈતર વસાવા ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમની સાથે જોવા મળ્યા હતા ઉપરાંત જ્યારે રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરેશ ધાનાણી ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સાથે દેખાયા હતા.. 


આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકના નામની કરી છે જાહેરાત 

મહત્વનું છે કે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સામે ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે... ઉમેદવારો માટે પ્રચારની શરૂઆત થઈ ગઈ છે અને  આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં અરવિંદ કેજરીવાલ, સુનીતા કેજરીવાલ, ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિત 40 લોકોના નામનો સમાવેશ કરવામાં  આવ્યો છે. પરંતુ સ્ટાર પ્રચારકના નામની જાહેરાત થયા બાદ આપમાં મોટો ઝટકો લાગ્યો છે.. અલ્પેશ કથીરિયાએ તેમજ ધાર્મિક માલવિયાએ આપમાંથી રાજીનામું આપી દીધું છે.   



હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.