Loksabha Election : Congress અમદાવાદ પૂર્વના ઉમેદવાર Rohan Guptaએ પાછી ખેંચી ઉમેદવારી, ચૂંટણી ના લડવા પાછળ આપ્યું આ કારણ.


  • Published By :
  • Published Date : 2024-03-19 12:02:54

લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ રાજકીય પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી ગઈ છે. પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે અને જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા 7 ઉમેદવારોની જ્યારે ભાજપ દ્વારા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. એક તરફ ગમે ત્યારે કોંગ્રેસ ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે તો બીજી તરફ ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચહેરાઓ પીછેહઠ કરી રહ્યા છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ છે. જે ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે તે છે અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તા. 

Image

અમદાવાદ પૂર્વના રોહન ગુપ્તાએ પાછી ખેંચી લીધી ઉમેદવારી

કોંગ્રેસની સ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી હોય તેવું લાગે છે. એક તરફ લોકસભા ચૂંટણી માથે આવી છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ નારાજ ચાલી રહ્યા હોય તેવું લાગે છે. કોંગ્રેસમાં એક સાંધો અને તેર તૂટે તેવી પરિસ્થિતિ છે કારણકે લોકસભા લડવા ઉમેદવારો નથી અને બીજી બાજુ જે ઉમેદવાર જાહેર થયા એ ઉમેદવારી પાછી ખેચી રહ્યા છે. અમદાવાદ પૂર્વ બેઠક માટે કોંગ્રેસે રોહન ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.  


ઉમેદવારના પિતા રાજકુમાર ગુપ્તાએ પક્ષમાંથી આપી દીધું રાજીનામું  

લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. ગુજરાતમાં 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની 26 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. ત્યારે ભાજપે ગુજરાતમાં 22 અને કોંગ્રેસે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પણ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે જે રોહન ગુપ્તાને ટિકીટ આપી હતી તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. પોતાની ઉમેદવારી પાછી લેવાની વાત કરી છે. ચૂંટણી ના લડવા પાછળનું તેમણે અંગત કારણ બતાવ્યું છે. ઉપરાંત તેમના પિતા રાજકુમાર ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવા પાછળનું કારણ તેમની તબીયત છે. આ બે વસ્તુ વિચારવા જેવી છે કે દીકરાએ ઉમેદવારી પાછી ખેચી અને પિતાએ રાજીનામું આપી દીધું.  



સોશિયલ મીડિયા પર આપી આ અંગેની માહિતી કે... 

તેમણે આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતે માહિતી આપી છે. રોહન ગુપ્તાએ 'X' પર કેપ્શનમાં લખ્યું છે કે, 'મારા પિતા ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિના કારણે હોસ્પિટલમાં દાખલ છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદ બેઠક માટે મારી ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ.' 



પિતાની ખરાબ તબીયત હોવાને કારણે પુત્રએ પાછી ખેંચી ઉમેદવારી!

રોહન ગુપ્તાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખ્યો છે કે, 'મારા પિતાની અત્યંત કથળેલી સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેચું છું. સાથે જ રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહી ચૂક્યા છે. જેઓ કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી તરીકેની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. તેમણે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના રોહન ગુપ્તા અને ભાજપના હસમુખ પટેલ વચ્ચે ટક્કર થવાની હતી. પરંતુ રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચતા હવે કોંગ્રેસ કયા નવા ઉમેદવારને ઉતારે છે તે જોવાનું રહ્યું! 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"