Loksabha Election : Congress અમદાવાદ પૂર્વના ઉમેદવાર Rohan Guptaએ પાછી ખેંચી ઉમેદવારી, ચૂંટણી ના લડવા પાછળ આપ્યું આ કારણ.


  • Published By :
  • Published Date : 2024-03-19 12:02:54

લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ રાજકીય પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી ગઈ છે. પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે અને જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા 7 ઉમેદવારોની જ્યારે ભાજપ દ્વારા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. એક તરફ ગમે ત્યારે કોંગ્રેસ ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે તો બીજી તરફ ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચહેરાઓ પીછેહઠ કરી રહ્યા છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ છે. જે ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે તે છે અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તા. 

Image

અમદાવાદ પૂર્વના રોહન ગુપ્તાએ પાછી ખેંચી લીધી ઉમેદવારી

કોંગ્રેસની સ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી હોય તેવું લાગે છે. એક તરફ લોકસભા ચૂંટણી માથે આવી છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ નારાજ ચાલી રહ્યા હોય તેવું લાગે છે. કોંગ્રેસમાં એક સાંધો અને તેર તૂટે તેવી પરિસ્થિતિ છે કારણકે લોકસભા લડવા ઉમેદવારો નથી અને બીજી બાજુ જે ઉમેદવાર જાહેર થયા એ ઉમેદવારી પાછી ખેચી રહ્યા છે. અમદાવાદ પૂર્વ બેઠક માટે કોંગ્રેસે રોહન ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.  


ઉમેદવારના પિતા રાજકુમાર ગુપ્તાએ પક્ષમાંથી આપી દીધું રાજીનામું  

લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. ગુજરાતમાં 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની 26 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. ત્યારે ભાજપે ગુજરાતમાં 22 અને કોંગ્રેસે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પણ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે જે રોહન ગુપ્તાને ટિકીટ આપી હતી તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. પોતાની ઉમેદવારી પાછી લેવાની વાત કરી છે. ચૂંટણી ના લડવા પાછળનું તેમણે અંગત કારણ બતાવ્યું છે. ઉપરાંત તેમના પિતા રાજકુમાર ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવા પાછળનું કારણ તેમની તબીયત છે. આ બે વસ્તુ વિચારવા જેવી છે કે દીકરાએ ઉમેદવારી પાછી ખેચી અને પિતાએ રાજીનામું આપી દીધું.  



સોશિયલ મીડિયા પર આપી આ અંગેની માહિતી કે... 

તેમણે આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતે માહિતી આપી છે. રોહન ગુપ્તાએ 'X' પર કેપ્શનમાં લખ્યું છે કે, 'મારા પિતા ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિના કારણે હોસ્પિટલમાં દાખલ છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદ બેઠક માટે મારી ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ.' 



પિતાની ખરાબ તબીયત હોવાને કારણે પુત્રએ પાછી ખેંચી ઉમેદવારી!

રોહન ગુપ્તાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખ્યો છે કે, 'મારા પિતાની અત્યંત કથળેલી સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેચું છું. સાથે જ રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહી ચૂક્યા છે. જેઓ કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી તરીકેની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. તેમણે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના રોહન ગુપ્તા અને ભાજપના હસમુખ પટેલ વચ્ચે ટક્કર થવાની હતી. પરંતુ રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચતા હવે કોંગ્રેસ કયા નવા ઉમેદવારને ઉતારે છે તે જોવાનું રહ્યું! 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે