Loksabha Election : Gujaratની 26 બેઠકોમાંથી આ બેઠકો માટે ચિત્ર થઈ ગયું સ્પષ્ટ, જાણો ચૂંટણી મેદાનમાં કોણ કોનો કરશે સામનો?


  • Published By :
  • Published Date : 2024-03-13 11:43:13

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારો કોંગ્રેસ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત માટે કોંગ્રેસે 7 ઉમેદવારોની જ્યારે ભાજપે 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. બંને પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં અનેક બેઠકો માટે જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ પશ્ચિમ માટે કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તે સિવાય પોરબંદર માટે પણ બંને પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. 



આ બેઠકો માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું..!

બનાસકાંઠા માટે પણ બંને પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કચ્છ માટે પણ ઉમેદવારોના નામની ઘોષણા બંને પાર્ટી દ્વારા કરવામાં આવી છે. તે ઉપરાંત બારડોલી માટે પણ  ઉમેદવારના નામ ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ માટે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે અને તે અંતર્ગત આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા ગુજરાત માટે 15 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ બેઠકો માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે આ બેઠકો પર આ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.