Loksabha Election : Gujaratની 26 બેઠકોમાંથી આ બેઠકો માટે ચિત્ર થઈ ગયું સ્પષ્ટ, જાણો ચૂંટણી મેદાનમાં કોણ કોનો કરશે સામનો?


  • Published By :
  • Published Date : 2024-03-13 11:43:13

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારો કોંગ્રેસ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત માટે કોંગ્રેસે 7 ઉમેદવારોની જ્યારે ભાજપે 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. બંને પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં અનેક બેઠકો માટે જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ પશ્ચિમ માટે કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તે સિવાય પોરબંદર માટે પણ બંને પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. 



આ બેઠકો માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું..!

બનાસકાંઠા માટે પણ બંને પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કચ્છ માટે પણ ઉમેદવારોના નામની ઘોષણા બંને પાર્ટી દ્વારા કરવામાં આવી છે. તે ઉપરાંત બારડોલી માટે પણ  ઉમેદવારના નામ ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ માટે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે અને તે અંતર્ગત આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા ગુજરાત માટે 15 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ બેઠકો માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે આ બેઠકો પર આ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.