Loksabha Election : Gujaratની 26 બેઠકોમાંથી આ બેઠકો માટે ચિત્ર થઈ ગયું સ્પષ્ટ, જાણો ચૂંટણી મેદાનમાં કોણ કોનો કરશે સામનો?


  • Published By :
  • Published Date : 2024-03-13 11:43:13

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારો કોંગ્રેસ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત માટે કોંગ્રેસે 7 ઉમેદવારોની જ્યારે ભાજપે 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. બંને પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં અનેક બેઠકો માટે જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ પશ્ચિમ માટે કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તે સિવાય પોરબંદર માટે પણ બંને પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. 



આ બેઠકો માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું..!

બનાસકાંઠા માટે પણ બંને પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કચ્છ માટે પણ ઉમેદવારોના નામની ઘોષણા બંને પાર્ટી દ્વારા કરવામાં આવી છે. તે ઉપરાંત બારડોલી માટે પણ  ઉમેદવારના નામ ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ માટે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે અને તે અંતર્ગત આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા ગુજરાત માટે 15 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ બેઠકો માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે આ બેઠકો પર આ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. 




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.