Loksabha Election : સૌરાષ્ટ્રની બેઠકો પર BJPને જીતવામાં આંખે પાણી આવશે? Congress કઈ બેઠક પર ટક્કર આપે છે? સમજો સમીકરણોને


  • Published By :
  • Published Date : 2024-05-18 18:59:36

5 લાખથી વધુ લીડથી જીતવની વાત એક સમયે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ કરતાં હતા. ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને મતદાનના આંકડાઓ અને ગુજરાતના મુદ્દાઓ જોતાં લાગે છે આ વખતે ભાજપ માટે બધુ સરળ નથી રહેવાનું. ત્યારે આજે વાત કરવી છે સૌરાષ્ટ્રની બેઠકોની. કારણ કે ત્યાં ઘણા પરિબળોએ કામ કર્યા છે..  

આ બેઠકો પર રહેશે સૌ કોઈની નજર 

4 જૂન જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે બધાની નજર સૌરાષ્ટ્ર અને કચ્છની કુલ 8 લોકસભાની બેઠકો પર રહેવાની છે. એક સમયે સૌરાષ્ટ્ર-કચ્છ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, જેના પર 1998 પછી ધીરે-ધીરે ભાજપે કબજો જમાવી લીધો છે અને હવે આ બેઠકોને ભાજપનો ગઢ માનવામાં આવે છે. તે છે જામનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગર બેઠક...



રાજકોટ આ વખતની ચૂંટણીનું એપી સેન્ટર રહ્યું..

આ વખતે ભાજપ હેટ્રિક કરશે કે કેમ તેના ઉપર સૌની નજર છે. કારણકે આ વખતે ભાજપે આંદોલન અને અંદરો અંદરના વિખવાદનો સામનો કરવો પડ્યો હતો. વાત રાજકોટથી કરીએ કારણકે આ વખતે રાજકોટ એ રાજનીતિનું એપી સેન્ટર રહ્યું છે અને ત્યાંથી ક્ષત્રિય વિરોધની શરૂઆત થઈ હતી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા પર કરેલી ટિપ્પણી બાદ વિરોધ વધી ગયો.


કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા.

અને ક્ષત્રિય સમાજે ભાજપને મત ન આપવાનું નક્કી કર્યું, ઘણી વાર માફી માંગવા અને બેઠકો કરવા છતાં આ મામલો થાળે ન પડ્યો. જયારે રૂપાલાની સામે કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા. પછી વિવાદ ઉભો થયો લેઉવા પાટીદાર vs કડવા પાટીદારોનો. રૂપાલા કડવા પાટીદાર સમાજના છે જયારે ધાનાણી લેઉવા પાટીદાર સમાજથી છે. કોંગ્રેસને આશા છે કે લેઉવા પાટીદારો તેને મત આપશે. તો ત્યાં પાટીદારોએ ક્ષત્રીઓને સમર્થન કર્યું કે કેમ એ પણ એક પ્રશ્ન છે 


અમરેલીમાં બંને પાર્ટીએ ઉતાર્યા નવા ચહેરાને 

તો બીજી ચર્ચામાં રહેલી બેઠક એટલે અમરેલી કારણકે અહિયાં જૂના જાણીતા ચહેરા રાજકોટમાં લડ્યા અને અમરેલીના ભાગે આવ્યા નવા ચહેરા ત્યાં ઉમેદવાર બંને નવા પણ ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસે શિક્ષિત મહિલાને ઉતાર્યા એટલે ત્યાં લોકો વિચારમાં હતા કે કોને મોકો આપવો જ્યારે અમે અમરેલી ગયા ત્યારે લોકો એ વાત માટે પણ દુખી હતા કે બંને નવા છે તો કોના પર ભરોસો કરવો   બંને ઉમેદવારો પાટીદાર હોવાને કારણે મતમાં વિભાજન થાય એ સ્વાભાવિક છે પણ ભાજપે કોળી વોટબેંકને પોતાની તરફ કરવા માટે સમીકરણ ગોઠવ્યું. જો આ રણનીતિ સફળ થાય તો ભાજપની જીત પાક્કી છે.પણ ત્યાં રસાકસી તો જોવા મળશે! 


જામનગરની વાત કરીએ તો... 

વાત જામનગરની પણ કરીએ તો જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છે, તો કોંગ્રેસે જે પી મારવિયાને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. અહીં ક્ષત્રિય આંદોલનની સૌથી વધારે અસર જોવા મળી છે. ક્ષત્રિય આંદોલનની સિવાય આંતરિક જુથવાદ, લેઉવા પાટીદાર અને લધુમતીઓની નારાજગી ભાજપ માટે પડકાર બની શકે છે 


ભાજપે આમને ટિકીટ આપી તો કોંગ્રેસે આમને બનાવ્યા ઉમેદવાર 

અને છેલ્લે વાત કરીએ સુરેન્દ્રનગરની પણ કારણકે આ બેઠક પણ ખૂબ ચર્ચામાં રહી સુરેન્દ્રનગરની બેઠક પર તળપદા કોળી અને ચુંવાળીયા કોળી જ્ઞાતિના ઉમેદવારનો વિવાદ થયો. સ્થાનિકોની માંગ તળપદા કોળી ઉમેદવારની હતી, પણ ભાજપે હળવદના ચુંવાળીયા કોળી ચંદુભાઈ શિહોરને ઉમેદવાર બનાવ્યા. સામે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી જે તળપદા કોળી સમાજના છે. અહીં સાડા ચાર લાખ કોળી મતદારમાં તળપદાનો હિસ્સો ત્રણ લાખ જેવો છે. અને ત્યાં પણ ક્ષત્રિય વિરોધ ફેક્ટર તો ખરો જ.. તો અંતે 4 જૂને ભાજપનું કયું કાર્ડ ચાલે છે અને કોંગ્રેસ કઈ બેઠક પર ભાજપને હંફાવે છે તે જોવાનું રહ્યું... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે