Loksabha Election : સૌરાષ્ટ્રની બેઠકો પર BJPને જીતવામાં આંખે પાણી આવશે? Congress કઈ બેઠક પર ટક્કર આપે છે? સમજો સમીકરણોને


  • Published By :
  • Published Date : 2024-05-18 18:59:36

5 લાખથી વધુ લીડથી જીતવની વાત એક સમયે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ કરતાં હતા. ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને મતદાનના આંકડાઓ અને ગુજરાતના મુદ્દાઓ જોતાં લાગે છે આ વખતે ભાજપ માટે બધુ સરળ નથી રહેવાનું. ત્યારે આજે વાત કરવી છે સૌરાષ્ટ્રની બેઠકોની. કારણ કે ત્યાં ઘણા પરિબળોએ કામ કર્યા છે..  

આ બેઠકો પર રહેશે સૌ કોઈની નજર 

4 જૂન જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે બધાની નજર સૌરાષ્ટ્ર અને કચ્છની કુલ 8 લોકસભાની બેઠકો પર રહેવાની છે. એક સમયે સૌરાષ્ટ્ર-કચ્છ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, જેના પર 1998 પછી ધીરે-ધીરે ભાજપે કબજો જમાવી લીધો છે અને હવે આ બેઠકોને ભાજપનો ગઢ માનવામાં આવે છે. તે છે જામનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગર બેઠક...



રાજકોટ આ વખતની ચૂંટણીનું એપી સેન્ટર રહ્યું..

આ વખતે ભાજપ હેટ્રિક કરશે કે કેમ તેના ઉપર સૌની નજર છે. કારણકે આ વખતે ભાજપે આંદોલન અને અંદરો અંદરના વિખવાદનો સામનો કરવો પડ્યો હતો. વાત રાજકોટથી કરીએ કારણકે આ વખતે રાજકોટ એ રાજનીતિનું એપી સેન્ટર રહ્યું છે અને ત્યાંથી ક્ષત્રિય વિરોધની શરૂઆત થઈ હતી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા પર કરેલી ટિપ્પણી બાદ વિરોધ વધી ગયો.


કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા.

અને ક્ષત્રિય સમાજે ભાજપને મત ન આપવાનું નક્કી કર્યું, ઘણી વાર માફી માંગવા અને બેઠકો કરવા છતાં આ મામલો થાળે ન પડ્યો. જયારે રૂપાલાની સામે કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા. પછી વિવાદ ઉભો થયો લેઉવા પાટીદાર vs કડવા પાટીદારોનો. રૂપાલા કડવા પાટીદાર સમાજના છે જયારે ધાનાણી લેઉવા પાટીદાર સમાજથી છે. કોંગ્રેસને આશા છે કે લેઉવા પાટીદારો તેને મત આપશે. તો ત્યાં પાટીદારોએ ક્ષત્રીઓને સમર્થન કર્યું કે કેમ એ પણ એક પ્રશ્ન છે 


અમરેલીમાં બંને પાર્ટીએ ઉતાર્યા નવા ચહેરાને 

તો બીજી ચર્ચામાં રહેલી બેઠક એટલે અમરેલી કારણકે અહિયાં જૂના જાણીતા ચહેરા રાજકોટમાં લડ્યા અને અમરેલીના ભાગે આવ્યા નવા ચહેરા ત્યાં ઉમેદવાર બંને નવા પણ ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસે શિક્ષિત મહિલાને ઉતાર્યા એટલે ત્યાં લોકો વિચારમાં હતા કે કોને મોકો આપવો જ્યારે અમે અમરેલી ગયા ત્યારે લોકો એ વાત માટે પણ દુખી હતા કે બંને નવા છે તો કોના પર ભરોસો કરવો   બંને ઉમેદવારો પાટીદાર હોવાને કારણે મતમાં વિભાજન થાય એ સ્વાભાવિક છે પણ ભાજપે કોળી વોટબેંકને પોતાની તરફ કરવા માટે સમીકરણ ગોઠવ્યું. જો આ રણનીતિ સફળ થાય તો ભાજપની જીત પાક્કી છે.પણ ત્યાં રસાકસી તો જોવા મળશે! 


જામનગરની વાત કરીએ તો... 

વાત જામનગરની પણ કરીએ તો જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છે, તો કોંગ્રેસે જે પી મારવિયાને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. અહીં ક્ષત્રિય આંદોલનની સૌથી વધારે અસર જોવા મળી છે. ક્ષત્રિય આંદોલનની સિવાય આંતરિક જુથવાદ, લેઉવા પાટીદાર અને લધુમતીઓની નારાજગી ભાજપ માટે પડકાર બની શકે છે 


ભાજપે આમને ટિકીટ આપી તો કોંગ્રેસે આમને બનાવ્યા ઉમેદવાર 

અને છેલ્લે વાત કરીએ સુરેન્દ્રનગરની પણ કારણકે આ બેઠક પણ ખૂબ ચર્ચામાં રહી સુરેન્દ્રનગરની બેઠક પર તળપદા કોળી અને ચુંવાળીયા કોળી જ્ઞાતિના ઉમેદવારનો વિવાદ થયો. સ્થાનિકોની માંગ તળપદા કોળી ઉમેદવારની હતી, પણ ભાજપે હળવદના ચુંવાળીયા કોળી ચંદુભાઈ શિહોરને ઉમેદવાર બનાવ્યા. સામે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી જે તળપદા કોળી સમાજના છે. અહીં સાડા ચાર લાખ કોળી મતદારમાં તળપદાનો હિસ્સો ત્રણ લાખ જેવો છે. અને ત્યાં પણ ક્ષત્રિય વિરોધ ફેક્ટર તો ખરો જ.. તો અંતે 4 જૂને ભાજપનું કયું કાર્ડ ચાલે છે અને કોંગ્રેસ કઈ બેઠક પર ભાજપને હંફાવે છે તે જોવાનું રહ્યું... 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"