Loksabha Election : સૌરાષ્ટ્રની બેઠકો પર BJPને જીતવામાં આંખે પાણી આવશે? Congress કઈ બેઠક પર ટક્કર આપે છે? સમજો સમીકરણોને


  • Published By :
  • Published Date : 2024-05-18 18:59:36

5 લાખથી વધુ લીડથી જીતવની વાત એક સમયે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ કરતાં હતા. ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને મતદાનના આંકડાઓ અને ગુજરાતના મુદ્દાઓ જોતાં લાગે છે આ વખતે ભાજપ માટે બધુ સરળ નથી રહેવાનું. ત્યારે આજે વાત કરવી છે સૌરાષ્ટ્રની બેઠકોની. કારણ કે ત્યાં ઘણા પરિબળોએ કામ કર્યા છે..  

આ બેઠકો પર રહેશે સૌ કોઈની નજર 

4 જૂન જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે બધાની નજર સૌરાષ્ટ્ર અને કચ્છની કુલ 8 લોકસભાની બેઠકો પર રહેવાની છે. એક સમયે સૌરાષ્ટ્ર-કચ્છ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, જેના પર 1998 પછી ધીરે-ધીરે ભાજપે કબજો જમાવી લીધો છે અને હવે આ બેઠકોને ભાજપનો ગઢ માનવામાં આવે છે. તે છે જામનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગર બેઠક...



રાજકોટ આ વખતની ચૂંટણીનું એપી સેન્ટર રહ્યું..

આ વખતે ભાજપ હેટ્રિક કરશે કે કેમ તેના ઉપર સૌની નજર છે. કારણકે આ વખતે ભાજપે આંદોલન અને અંદરો અંદરના વિખવાદનો સામનો કરવો પડ્યો હતો. વાત રાજકોટથી કરીએ કારણકે આ વખતે રાજકોટ એ રાજનીતિનું એપી સેન્ટર રહ્યું છે અને ત્યાંથી ક્ષત્રિય વિરોધની શરૂઆત થઈ હતી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા પર કરેલી ટિપ્પણી બાદ વિરોધ વધી ગયો.


કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા.

અને ક્ષત્રિય સમાજે ભાજપને મત ન આપવાનું નક્કી કર્યું, ઘણી વાર માફી માંગવા અને બેઠકો કરવા છતાં આ મામલો થાળે ન પડ્યો. જયારે રૂપાલાની સામે કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા. પછી વિવાદ ઉભો થયો લેઉવા પાટીદાર vs કડવા પાટીદારોનો. રૂપાલા કડવા પાટીદાર સમાજના છે જયારે ધાનાણી લેઉવા પાટીદાર સમાજથી છે. કોંગ્રેસને આશા છે કે લેઉવા પાટીદારો તેને મત આપશે. તો ત્યાં પાટીદારોએ ક્ષત્રીઓને સમર્થન કર્યું કે કેમ એ પણ એક પ્રશ્ન છે 


અમરેલીમાં બંને પાર્ટીએ ઉતાર્યા નવા ચહેરાને 

તો બીજી ચર્ચામાં રહેલી બેઠક એટલે અમરેલી કારણકે અહિયાં જૂના જાણીતા ચહેરા રાજકોટમાં લડ્યા અને અમરેલીના ભાગે આવ્યા નવા ચહેરા ત્યાં ઉમેદવાર બંને નવા પણ ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસે શિક્ષિત મહિલાને ઉતાર્યા એટલે ત્યાં લોકો વિચારમાં હતા કે કોને મોકો આપવો જ્યારે અમે અમરેલી ગયા ત્યારે લોકો એ વાત માટે પણ દુખી હતા કે બંને નવા છે તો કોના પર ભરોસો કરવો   બંને ઉમેદવારો પાટીદાર હોવાને કારણે મતમાં વિભાજન થાય એ સ્વાભાવિક છે પણ ભાજપે કોળી વોટબેંકને પોતાની તરફ કરવા માટે સમીકરણ ગોઠવ્યું. જો આ રણનીતિ સફળ થાય તો ભાજપની જીત પાક્કી છે.પણ ત્યાં રસાકસી તો જોવા મળશે! 


જામનગરની વાત કરીએ તો... 

વાત જામનગરની પણ કરીએ તો જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છે, તો કોંગ્રેસે જે પી મારવિયાને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. અહીં ક્ષત્રિય આંદોલનની સૌથી વધારે અસર જોવા મળી છે. ક્ષત્રિય આંદોલનની સિવાય આંતરિક જુથવાદ, લેઉવા પાટીદાર અને લધુમતીઓની નારાજગી ભાજપ માટે પડકાર બની શકે છે 


ભાજપે આમને ટિકીટ આપી તો કોંગ્રેસે આમને બનાવ્યા ઉમેદવાર 

અને છેલ્લે વાત કરીએ સુરેન્દ્રનગરની પણ કારણકે આ બેઠક પણ ખૂબ ચર્ચામાં રહી સુરેન્દ્રનગરની બેઠક પર તળપદા કોળી અને ચુંવાળીયા કોળી જ્ઞાતિના ઉમેદવારનો વિવાદ થયો. સ્થાનિકોની માંગ તળપદા કોળી ઉમેદવારની હતી, પણ ભાજપે હળવદના ચુંવાળીયા કોળી ચંદુભાઈ શિહોરને ઉમેદવાર બનાવ્યા. સામે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી જે તળપદા કોળી સમાજના છે. અહીં સાડા ચાર લાખ કોળી મતદારમાં તળપદાનો હિસ્સો ત્રણ લાખ જેવો છે. અને ત્યાં પણ ક્ષત્રિય વિરોધ ફેક્ટર તો ખરો જ.. તો અંતે 4 જૂને ભાજપનું કયું કાર્ડ ચાલે છે અને કોંગ્રેસ કઈ બેઠક પર ભાજપને હંફાવે છે તે જોવાનું રહ્યું... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે