અમદાવાદમાં નીકળશે ભગવાનની રથયાત્રા, આવતી કાલે ભગવાન જગન્નાથ કરશે નગરચર્યા, રથયાત્રા પહેલા આજે થશે રથની પૂજા, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-19 11:10:33

અમદાવાદમાં ભગવાન જગન્નાથના રથયાત્રાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આવતી કાલે 146મીં રથયાત્રા નીકળવાની છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળશે. મોસાળે ગયેલા ભગવાન નીજ મંદિરે પરત ફર્યા છે. નેત્રોત્સવ વિધી કરવામાં આવી જેમાં ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા. રથયાત્રા પહેલા ભગવાન આજે સોનાવેશ ધારણ કરશે. રથયાત્રાની આગેવાની કરતા ગજરાજોની પૂજા કરવામાં આવશે. નિજ મંદિરના પ્રાંગણમાં રથની પ્રતિષ્ઠા થશે અને તેની પણ પૂજા કરવામાં આવશે.સંધ્યા આરતીમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત સ્થાનિક મંત્રીઓ તેમજ નેતાઓ હાજર રહેશે.મહત્વનું છે કે રથયાત્રાને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. 


ગઈકાલે યોજાઈ નેત્રોત્સવ વિધી!

અષાઢી બીજના દિવસે જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે. ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રા સાથે ભક્તોને દર્શન આપવા ભગવાન આવતી કાલે નગરચર્યાએ નીકળવાના છે. રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મામાના ઘરેથી ભગવાન નીજ મંદિર પરત ફર્યા છે. નેત્રોત્સવ વિધી બાદ થતી આરતીનો લાભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધો હતો.માન્યતા અનુસાર આંખો આવવાને કારણે નેત્રોત્સવ વિધી કરવામાં આવે છે. 


પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત! 

અમદાવાદમાં 146મી રથયાત્રા આવતી કાલે નીકળવાની છે. રથયાત્રા દરમિયાન શાંતિ ભંગ ન થાય તે માટે તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા 3ડી મેપિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે નવા રથ પર સવાર થઈ ભગવાન નગરચર્યાએ નીકળવાના છે.        



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.