અમદાવાદમાં નીકળશે ભગવાનની રથયાત્રા, આવતી કાલે ભગવાન જગન્નાથ કરશે નગરચર્યા, રથયાત્રા પહેલા આજે થશે રથની પૂજા, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-19 11:10:33

અમદાવાદમાં ભગવાન જગન્નાથના રથયાત્રાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આવતી કાલે 146મીં રથયાત્રા નીકળવાની છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળશે. મોસાળે ગયેલા ભગવાન નીજ મંદિરે પરત ફર્યા છે. નેત્રોત્સવ વિધી કરવામાં આવી જેમાં ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા. રથયાત્રા પહેલા ભગવાન આજે સોનાવેશ ધારણ કરશે. રથયાત્રાની આગેવાની કરતા ગજરાજોની પૂજા કરવામાં આવશે. નિજ મંદિરના પ્રાંગણમાં રથની પ્રતિષ્ઠા થશે અને તેની પણ પૂજા કરવામાં આવશે.સંધ્યા આરતીમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત સ્થાનિક મંત્રીઓ તેમજ નેતાઓ હાજર રહેશે.મહત્વનું છે કે રથયાત્રાને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. 


ગઈકાલે યોજાઈ નેત્રોત્સવ વિધી!

અષાઢી બીજના દિવસે જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે. ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રા સાથે ભક્તોને દર્શન આપવા ભગવાન આવતી કાલે નગરચર્યાએ નીકળવાના છે. રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મામાના ઘરેથી ભગવાન નીજ મંદિર પરત ફર્યા છે. નેત્રોત્સવ વિધી બાદ થતી આરતીનો લાભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધો હતો.માન્યતા અનુસાર આંખો આવવાને કારણે નેત્રોત્સવ વિધી કરવામાં આવે છે. 


પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત! 

અમદાવાદમાં 146મી રથયાત્રા આવતી કાલે નીકળવાની છે. રથયાત્રા દરમિયાન શાંતિ ભંગ ન થાય તે માટે તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા 3ડી મેપિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે નવા રથ પર સવાર થઈ ભગવાન નગરચર્યાએ નીકળવાના છે.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.