અમદાવાદમાં નીકળશે ભગવાનની રથયાત્રા, આવતી કાલે ભગવાન જગન્નાથ કરશે નગરચર્યા, રથયાત્રા પહેલા આજે થશે રથની પૂજા, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-19 11:10:33

અમદાવાદમાં ભગવાન જગન્નાથના રથયાત્રાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આવતી કાલે 146મીં રથયાત્રા નીકળવાની છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળશે. મોસાળે ગયેલા ભગવાન નીજ મંદિરે પરત ફર્યા છે. નેત્રોત્સવ વિધી કરવામાં આવી જેમાં ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા. રથયાત્રા પહેલા ભગવાન આજે સોનાવેશ ધારણ કરશે. રથયાત્રાની આગેવાની કરતા ગજરાજોની પૂજા કરવામાં આવશે. નિજ મંદિરના પ્રાંગણમાં રથની પ્રતિષ્ઠા થશે અને તેની પણ પૂજા કરવામાં આવશે.સંધ્યા આરતીમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત સ્થાનિક મંત્રીઓ તેમજ નેતાઓ હાજર રહેશે.મહત્વનું છે કે રથયાત્રાને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. 


ગઈકાલે યોજાઈ નેત્રોત્સવ વિધી!

અષાઢી બીજના દિવસે જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે. ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રા સાથે ભક્તોને દર્શન આપવા ભગવાન આવતી કાલે નગરચર્યાએ નીકળવાના છે. રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મામાના ઘરેથી ભગવાન નીજ મંદિર પરત ફર્યા છે. નેત્રોત્સવ વિધી બાદ થતી આરતીનો લાભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધો હતો.માન્યતા અનુસાર આંખો આવવાને કારણે નેત્રોત્સવ વિધી કરવામાં આવે છે. 


પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત! 

અમદાવાદમાં 146મી રથયાત્રા આવતી કાલે નીકળવાની છે. રથયાત્રા દરમિયાન શાંતિ ભંગ ન થાય તે માટે તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા 3ડી મેપિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે નવા રથ પર સવાર થઈ ભગવાન નગરચર્યાએ નીકળવાના છે.        



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?