એલપીજી ગેસ સિલિન્ડરમાં થયો ભાવ વધારો, જાણો હવે કેટલામાં પડશે ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર?


  • Published By :
  • Published Date : 2023-03-01 10:54:35

માર્ચની શરૂઆત થતાં જ મોંઘવારીનો એક ફટકો પડ્યો છે. કોમર્શિયલ અને ડોમેસ્ટીક સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો છે. તહેવાર પહેલા ગેસના ભાવ વધતા મોંઘવારીનો ભાર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. ઘરેલું ગેસના ભાવમાં 50 રુપિયાનો વધારો કરાયો છે જ્યારે કોમર્શિયલ ગેસના ભાવમાં સીધો 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ભાવ વધારો દિલ્હીમાં લાગુ કરવામાં આવશે.

  

ભાવ વધતા ખોરવાશે ગૃહિણીઓનું બજેટ 

દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. કોઈ વખત દૂધના ભાવ વધે છે તો કોઈ વખત તેલના ભાવમાં વધારો થાય છે ત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં આ ભાવ વધારો લાગુ કરવામાં આવશે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ વધતા મધ્યમ પરિવારને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે. 


આટલા રૂપિયાનો કરાયો ભાવ વધારો 

ઘરેલુ ગેસ સિલિન્ડરમાં રુપિયા 50નો વધારો કરાયો છે જ્યારે 350 રુપિયાનો ભાવ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરાયો છે. જેને કારણે 19 કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 2119.50 રુપિયે મળશે જ્યારે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રુપિયે મળશે. 8 મહિના બાદ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.