એલપીજી ગેસ સિલિન્ડરમાં થયો ભાવ વધારો, જાણો હવે કેટલામાં પડશે ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર?


  • Published By :
  • Published Date : 2023-03-01 10:54:35

માર્ચની શરૂઆત થતાં જ મોંઘવારીનો એક ફટકો પડ્યો છે. કોમર્શિયલ અને ડોમેસ્ટીક સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો છે. તહેવાર પહેલા ગેસના ભાવ વધતા મોંઘવારીનો ભાર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. ઘરેલું ગેસના ભાવમાં 50 રુપિયાનો વધારો કરાયો છે જ્યારે કોમર્શિયલ ગેસના ભાવમાં સીધો 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ભાવ વધારો દિલ્હીમાં લાગુ કરવામાં આવશે.

  

ભાવ વધતા ખોરવાશે ગૃહિણીઓનું બજેટ 

દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. કોઈ વખત દૂધના ભાવ વધે છે તો કોઈ વખત તેલના ભાવમાં વધારો થાય છે ત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં આ ભાવ વધારો લાગુ કરવામાં આવશે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ વધતા મધ્યમ પરિવારને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે. 


આટલા રૂપિયાનો કરાયો ભાવ વધારો 

ઘરેલુ ગેસ સિલિન્ડરમાં રુપિયા 50નો વધારો કરાયો છે જ્યારે 350 રુપિયાનો ભાવ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરાયો છે. જેને કારણે 19 કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 2119.50 રુપિયે મળશે જ્યારે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રુપિયે મળશે. 8 મહિના બાદ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.