એલપીજી ગેસ સિલિન્ડરમાં થયો ભાવ વધારો, જાણો હવે કેટલામાં પડશે ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-01 10:54:35

માર્ચની શરૂઆત થતાં જ મોંઘવારીનો એક ફટકો પડ્યો છે. કોમર્શિયલ અને ડોમેસ્ટીક સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો છે. તહેવાર પહેલા ગેસના ભાવ વધતા મોંઘવારીનો ભાર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. ઘરેલું ગેસના ભાવમાં 50 રુપિયાનો વધારો કરાયો છે જ્યારે કોમર્શિયલ ગેસના ભાવમાં સીધો 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ભાવ વધારો દિલ્હીમાં લાગુ કરવામાં આવશે.

  

ભાવ વધતા ખોરવાશે ગૃહિણીઓનું બજેટ 

દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. કોઈ વખત દૂધના ભાવ વધે છે તો કોઈ વખત તેલના ભાવમાં વધારો થાય છે ત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં આ ભાવ વધારો લાગુ કરવામાં આવશે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ વધતા મધ્યમ પરિવારને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે. 


આટલા રૂપિયાનો કરાયો ભાવ વધારો 

ઘરેલુ ગેસ સિલિન્ડરમાં રુપિયા 50નો વધારો કરાયો છે જ્યારે 350 રુપિયાનો ભાવ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરાયો છે. જેને કારણે 19 કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 2119.50 રુપિયે મળશે જ્યારે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રુપિયે મળશે. 8 મહિના બાદ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'