નવા વર્ષે મોંઘવારીની ભેટ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા વધ્યા


  • Published By :
  • Published Date : 2023-01-01 11:43:24

મોંઘવારીથી ત્રસ્ત લોકોને પડ્યા પર પાટું મારતા હોય તેમ સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો વધારી છે. પેટ્રોલિયમ કંપનીઓએ 1 જાન્યુઆરી, 2023 રવિવારથી જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા સુધીનો વધારો ઝિક્યો છે. રાજધાની દિલ્હી સહિતના દેશના મોટા શહેરોમાં આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. 


4 મહાનનગરોમાં કેટલી કિંમતો વધી?


આજથી જ દેશના ચાર મુખ્ય શહેરોમાં ભાવ વધારાની વિગતો આ પ્રમાણે છે, રાજધાની દિલ્હીમાં 19 કિલોનો બાટલાનો ભાવ વધીને 1769, મુંબઈમાં 1721, કોલકાતામાં 1870 અને ચેન્નાઈમાં પ્રતિ સિલિન્ડર 1917 રૂપિયા વધ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ સરકારે નવેમ્બર-2022માં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 115.50 રૂપિયાના ભાવ ઘટાડ્યા હતા.


ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર


ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લો ફેરફાર 6 જુલાઈ, 2022 ના રોજ થયો હતો, જ્યારે તેલ કંપનીઓએ ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. બીજી તરફ જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કુલ 153.5 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છેવર્ષ 2022 માં, ઘરેલુ એલપીજીની કિંમતમાં ચાર વખત ફેરફાર થયો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.