નવા વર્ષે મોંઘવારીની ભેટ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા વધ્યા


  • Published By :
  • Published Date : 2023-01-01 11:43:24

મોંઘવારીથી ત્રસ્ત લોકોને પડ્યા પર પાટું મારતા હોય તેમ સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો વધારી છે. પેટ્રોલિયમ કંપનીઓએ 1 જાન્યુઆરી, 2023 રવિવારથી જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા સુધીનો વધારો ઝિક્યો છે. રાજધાની દિલ્હી સહિતના દેશના મોટા શહેરોમાં આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. 


4 મહાનનગરોમાં કેટલી કિંમતો વધી?


આજથી જ દેશના ચાર મુખ્ય શહેરોમાં ભાવ વધારાની વિગતો આ પ્રમાણે છે, રાજધાની દિલ્હીમાં 19 કિલોનો બાટલાનો ભાવ વધીને 1769, મુંબઈમાં 1721, કોલકાતામાં 1870 અને ચેન્નાઈમાં પ્રતિ સિલિન્ડર 1917 રૂપિયા વધ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ સરકારે નવેમ્બર-2022માં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 115.50 રૂપિયાના ભાવ ઘટાડ્યા હતા.


ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર


ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લો ફેરફાર 6 જુલાઈ, 2022 ના રોજ થયો હતો, જ્યારે તેલ કંપનીઓએ ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. બીજી તરફ જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કુલ 153.5 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છેવર્ષ 2022 માં, ઘરેલુ એલપીજીની કિંમતમાં ચાર વખત ફેરફાર થયો છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.