દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આમ આદમી પાર્ટી પાસેથી રૂ. 97 કરોડ વસૂલવા આપ્યો આદેશ


  • Published By :
  • Published Date : 2022-12-20 16:10:21

દિલ્હીના એલજી વિનય કુમારે અરવિંદ કેજરીવાલને એક ઝટકો આપ્યો છે. એલજીએ 97 આમ આદમી પાર્ટી પાસેથી 97 કરોડ રૂપિયા વસુલવાનો આદેશ આપ્યો છે. રાજકીય જાહેરાતોને સરકારી જાહેરાતો બતાવી છે જેથી આમ આદમી પાર્ટી પાસેથી 97 કરોડ રૂપિયા વસૂલવાનો આદેશ આપ્યો છે. એલજીએ પાર્ટીને 15 દિવસનો સમય આપ્યો છે. 


ભાજપે આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર 

ચીફ સેક્રેટરીને આમ આદમી પાર્ટી પાસેથી પૈસા વસૂલવાનો આદેશ આપ્યો છે. એવો આરોપ લગાવામાં આવી રહ્યો છે કે આમ આપે પાર્ટીના પ્રચારમાં સરકારી પૈસા ખર્ચ કર્યો છે. આ સુપ્રીમ કોર્ટના નિયમોનું ઉલ્લંઘન છે. એલજીએ કહ્યું કે કેજરીવાલે રાજકીય જાહેરાતોને સરકારી જાહેરાતો બતાવી હતી પેપરમાં છપાયા હતા. આ વાતને લઈ ભાજપે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. ભાજપે કહ્યું કે આપે જનતા પૈસા રાજકીય જાહેરાતો પાછળ ખર્ચ કરી દીધા. જ્યારે આ પૈસાનો ઉપયોગ કરી દિલ્હીનો વિકાસ કરવાનો હોય. 


આમ આદમી પાર્ટીએ કર્યા ભાજપ પર પ્રહાર 

એલજીના આ આદેશ બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં સૌરભ ભારદ્વાજે કેન્દ્ર સરકાર તેમજ દિલ્હીના એલજી પર નિશાન સાધ્યું હતું.ભારદ્વાજે કહ્યું કે જેમ જેમ વેલેન્ટાઈન નજીક આવશે તેમ તેમના લવ લેટર વધતા જશે. 


ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે