દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આમ આદમી પાર્ટી પાસેથી રૂ. 97 કરોડ વસૂલવા આપ્યો આદેશ


  • Published By :
  • Published Date : 2022-12-20 16:10:21

દિલ્હીના એલજી વિનય કુમારે અરવિંદ કેજરીવાલને એક ઝટકો આપ્યો છે. એલજીએ 97 આમ આદમી પાર્ટી પાસેથી 97 કરોડ રૂપિયા વસુલવાનો આદેશ આપ્યો છે. રાજકીય જાહેરાતોને સરકારી જાહેરાતો બતાવી છે જેથી આમ આદમી પાર્ટી પાસેથી 97 કરોડ રૂપિયા વસૂલવાનો આદેશ આપ્યો છે. એલજીએ પાર્ટીને 15 દિવસનો સમય આપ્યો છે. 


ભાજપે આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર 

ચીફ સેક્રેટરીને આમ આદમી પાર્ટી પાસેથી પૈસા વસૂલવાનો આદેશ આપ્યો છે. એવો આરોપ લગાવામાં આવી રહ્યો છે કે આમ આપે પાર્ટીના પ્રચારમાં સરકારી પૈસા ખર્ચ કર્યો છે. આ સુપ્રીમ કોર્ટના નિયમોનું ઉલ્લંઘન છે. એલજીએ કહ્યું કે કેજરીવાલે રાજકીય જાહેરાતોને સરકારી જાહેરાતો બતાવી હતી પેપરમાં છપાયા હતા. આ વાતને લઈ ભાજપે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. ભાજપે કહ્યું કે આપે જનતા પૈસા રાજકીય જાહેરાતો પાછળ ખર્ચ કરી દીધા. જ્યારે આ પૈસાનો ઉપયોગ કરી દિલ્હીનો વિકાસ કરવાનો હોય. 


આમ આદમી પાર્ટીએ કર્યા ભાજપ પર પ્રહાર 

એલજીના આ આદેશ બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં સૌરભ ભારદ્વાજે કેન્દ્ર સરકાર તેમજ દિલ્હીના એલજી પર નિશાન સાધ્યું હતું.ભારદ્વાજે કહ્યું કે જેમ જેમ વેલેન્ટાઈન નજીક આવશે તેમ તેમના લવ લેટર વધતા જશે. 


અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.