દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આમ આદમી પાર્ટી પાસેથી રૂ. 97 કરોડ વસૂલવા આપ્યો આદેશ


  • Published By :
  • Published Date : 2022-12-20 16:10:21

દિલ્હીના એલજી વિનય કુમારે અરવિંદ કેજરીવાલને એક ઝટકો આપ્યો છે. એલજીએ 97 આમ આદમી પાર્ટી પાસેથી 97 કરોડ રૂપિયા વસુલવાનો આદેશ આપ્યો છે. રાજકીય જાહેરાતોને સરકારી જાહેરાતો બતાવી છે જેથી આમ આદમી પાર્ટી પાસેથી 97 કરોડ રૂપિયા વસૂલવાનો આદેશ આપ્યો છે. એલજીએ પાર્ટીને 15 દિવસનો સમય આપ્યો છે. 


ભાજપે આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર 

ચીફ સેક્રેટરીને આમ આદમી પાર્ટી પાસેથી પૈસા વસૂલવાનો આદેશ આપ્યો છે. એવો આરોપ લગાવામાં આવી રહ્યો છે કે આમ આપે પાર્ટીના પ્રચારમાં સરકારી પૈસા ખર્ચ કર્યો છે. આ સુપ્રીમ કોર્ટના નિયમોનું ઉલ્લંઘન છે. એલજીએ કહ્યું કે કેજરીવાલે રાજકીય જાહેરાતોને સરકારી જાહેરાતો બતાવી હતી પેપરમાં છપાયા હતા. આ વાતને લઈ ભાજપે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. ભાજપે કહ્યું કે આપે જનતા પૈસા રાજકીય જાહેરાતો પાછળ ખર્ચ કરી દીધા. જ્યારે આ પૈસાનો ઉપયોગ કરી દિલ્હીનો વિકાસ કરવાનો હોય. 


આમ આદમી પાર્ટીએ કર્યા ભાજપ પર પ્રહાર 

એલજીના આ આદેશ બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં સૌરભ ભારદ્વાજે કેન્દ્ર સરકાર તેમજ દિલ્હીના એલજી પર નિશાન સાધ્યું હતું.ભારદ્વાજે કહ્યું કે જેમ જેમ વેલેન્ટાઈન નજીક આવશે તેમ તેમના લવ લેટર વધતા જશે. 


અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.