મારે ભાજપની જરૂર નહોતી, ભાજપને મારી જરૂર હતીઃ મધુ શ્રીવાસ્તવ


  • Published By :
  • Published Date : 2022-11-13 14:57:57

વડોદરાની વાઘોડિયા વિધાનસભા વિશે ગુજરાત જાણતું હોય કે ના જાણતું હોય પણ દબંગ અને બાહુબલીની છબી ધરાવતા મધુ શ્રીવાસ્તવને બધા ઓળખતા હશે. મધુ શ્રીવાસ્તવ પોતાના બેફામ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. આજે તેમણે ભાજપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. "ભાજપે મને તક આપી એ બદલ આભાર" કહીને તેમણે ભાજપના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. 


અમિત શાહ સાથે મધુ શ્રીવાસ્તવની થઈ હતી વાત

ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાયું હતું. મધુ શ્રીવાસ્તવની વાત ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે થઈ હતી. અમિત શાહે મધુ શ્રીવાસ્તવને 2 દિવસ રાહ જોવાની સલાહ આપી હતી. બે દિવસ બાદ પણ કોઈ નિર્ણય ન લેવાતા મધુ શ્રીવાસ્તવે નારાજ થઈ પાર્ટી છોડી દીધી છે. ભાજપે ગુજરાતના વિસ્તારો મુજબ નારાજ નેતાઓને મનાવવા માટે નેતાઓને મેદાને ઉતાર્યા છે. મધ્ય ગુજરાતમાં નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી હર્ષ સંઘવી અને ભાર્ગવ ભટ્ટ પર છે. હર્ષ સંઘવીએ પણ ગઈકાલે વડોદરાની મુલાકાત કરી હતી પરંતુ અમુક કારણોસર નેતાઓએ હર્ષ સંઘવીને મળવાનું ટાળ્યું હતું. 

No Repeat Theory Madhu Shrivastav Waghodia Vadodara MLA Says I will Contest  Gujarat Assembly Elections in 2022 jm – News18 Gujarati

કાર્યકર્તાઓ નક્કી કરશે મારે લડવું કે નહીંઃ મધુ શ્રીવાસ્તવ

આમ તો મધુ શ્રીવાસ્તવ હમણા શું નિવેદનો આપે છે તે જ જાણે છે, કારણ કે ટૂંક સમય પહેલા જ તેમણે કહ્યું હતું કે મારા પત્ની ચૂંટણી લડશે. થોડા સમય બાદ જ તેમણે પોતાના નિવેદન પરથી પલટી મારી હતી અને જણાવ્યું હતું કે, "એ તો મારા પત્ની બાજુમાં ઉભા હતા અને તેમને સારું લાગે તેના માટે હું બોલ્યો હતો." અત્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે મારી એક ટીમ ગામડાઓમાં ફરશે અને મારા લોકો કહશે તો હું ચૂંટણી લડીશ બાકી નહીં લડું. 


ભાજપને વાઘોડિયા બેઠક પર કેટલું નુકસાન પહોંચાડી શકે છે?

સ્થાનિક પત્રકારો સાથે જમાવટે જ્યારે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે મધુ શ્રીવાસ્તવ ભલે કહે છે કે કમિટી બનાવશે , સર્વે કરશે અને અપક્ષમાં લડશે પણ મધુ શ્રીવાસ્તવે વિપક્ષમાં લડવાનું મન બનાવી લીધું છે. જો કે કોંગ્રેસે હજુ વાઘોડિયા બેઠક પર ઉમેદવાર નથી જાહેર કર્યો તો મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાંથી પણ લડી શકે છે. પણ હાલની પરિસ્થિતિ મુજબ મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી લડે તેની સંભાવનાઓ વધુ છે. જો મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી લડે તો વાઘોડિયા બેઠક પર એકલા હાથે કબજો કરી શકે તેવી સંભાવનાઓ છે.

भाजपा के कोरोनाग्रस्त विधायक मधु श्रीवास्तव ने कहा - 'मैं बाहुबली हूं और  रहूंगा, मेरे सामने कोरोना सिर्फ नाम का ही कोरोना है' | BJP's Coronafied MLA  ...

ભાજપે આ વખતે મધુ શ્રીવાસ્તવનું પત્તુ કાપીને અશ્વિન નટવર પટેલને મોકો આપ્યો છે. આમ આદમી પાર્ટીએ ગૌતમ રાજપૂતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વડોદરા જિલ્લાની દસ બેઠકો પર ભાજપનો દબદબો છે, માત્ર પાદરા બેઠક પર કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોરે પોતાને નામ કરી હતી. ત્યારે હવે ભાજપ મધુ શ્રીવાસ્તવને ઠંડા પાડવા શું કુનેહ વાપરે તે જોવાનું રહેશે. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"