મારે ભાજપની જરૂર નહોતી, ભાજપને મારી જરૂર હતીઃ મધુ શ્રીવાસ્તવ


  • Published By :
  • Published Date : 2022-11-13 14:57:57

વડોદરાની વાઘોડિયા વિધાનસભા વિશે ગુજરાત જાણતું હોય કે ના જાણતું હોય પણ દબંગ અને બાહુબલીની છબી ધરાવતા મધુ શ્રીવાસ્તવને બધા ઓળખતા હશે. મધુ શ્રીવાસ્તવ પોતાના બેફામ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. આજે તેમણે ભાજપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. "ભાજપે મને તક આપી એ બદલ આભાર" કહીને તેમણે ભાજપના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. 


અમિત શાહ સાથે મધુ શ્રીવાસ્તવની થઈ હતી વાત

ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાયું હતું. મધુ શ્રીવાસ્તવની વાત ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે થઈ હતી. અમિત શાહે મધુ શ્રીવાસ્તવને 2 દિવસ રાહ જોવાની સલાહ આપી હતી. બે દિવસ બાદ પણ કોઈ નિર્ણય ન લેવાતા મધુ શ્રીવાસ્તવે નારાજ થઈ પાર્ટી છોડી દીધી છે. ભાજપે ગુજરાતના વિસ્તારો મુજબ નારાજ નેતાઓને મનાવવા માટે નેતાઓને મેદાને ઉતાર્યા છે. મધ્ય ગુજરાતમાં નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી હર્ષ સંઘવી અને ભાર્ગવ ભટ્ટ પર છે. હર્ષ સંઘવીએ પણ ગઈકાલે વડોદરાની મુલાકાત કરી હતી પરંતુ અમુક કારણોસર નેતાઓએ હર્ષ સંઘવીને મળવાનું ટાળ્યું હતું. 

No Repeat Theory Madhu Shrivastav Waghodia Vadodara MLA Says I will Contest  Gujarat Assembly Elections in 2022 jm – News18 Gujarati

કાર્યકર્તાઓ નક્કી કરશે મારે લડવું કે નહીંઃ મધુ શ્રીવાસ્તવ

આમ તો મધુ શ્રીવાસ્તવ હમણા શું નિવેદનો આપે છે તે જ જાણે છે, કારણ કે ટૂંક સમય પહેલા જ તેમણે કહ્યું હતું કે મારા પત્ની ચૂંટણી લડશે. થોડા સમય બાદ જ તેમણે પોતાના નિવેદન પરથી પલટી મારી હતી અને જણાવ્યું હતું કે, "એ તો મારા પત્ની બાજુમાં ઉભા હતા અને તેમને સારું લાગે તેના માટે હું બોલ્યો હતો." અત્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે મારી એક ટીમ ગામડાઓમાં ફરશે અને મારા લોકો કહશે તો હું ચૂંટણી લડીશ બાકી નહીં લડું. 


ભાજપને વાઘોડિયા બેઠક પર કેટલું નુકસાન પહોંચાડી શકે છે?

સ્થાનિક પત્રકારો સાથે જમાવટે જ્યારે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે મધુ શ્રીવાસ્તવ ભલે કહે છે કે કમિટી બનાવશે , સર્વે કરશે અને અપક્ષમાં લડશે પણ મધુ શ્રીવાસ્તવે વિપક્ષમાં લડવાનું મન બનાવી લીધું છે. જો કે કોંગ્રેસે હજુ વાઘોડિયા બેઠક પર ઉમેદવાર નથી જાહેર કર્યો તો મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાંથી પણ લડી શકે છે. પણ હાલની પરિસ્થિતિ મુજબ મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી લડે તેની સંભાવનાઓ વધુ છે. જો મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી લડે તો વાઘોડિયા બેઠક પર એકલા હાથે કબજો કરી શકે તેવી સંભાવનાઓ છે.

भाजपा के कोरोनाग्रस्त विधायक मधु श्रीवास्तव ने कहा - 'मैं बाहुबली हूं और  रहूंगा, मेरे सामने कोरोना सिर्फ नाम का ही कोरोना है' | BJP's Coronafied MLA  ...

ભાજપે આ વખતે મધુ શ્રીવાસ્તવનું પત્તુ કાપીને અશ્વિન નટવર પટેલને મોકો આપ્યો છે. આમ આદમી પાર્ટીએ ગૌતમ રાજપૂતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વડોદરા જિલ્લાની દસ બેઠકો પર ભાજપનો દબદબો છે, માત્ર પાદરા બેઠક પર કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોરે પોતાને નામ કરી હતી. ત્યારે હવે ભાજપ મધુ શ્રીવાસ્તવને ઠંડા પાડવા શું કુનેહ વાપરે તે જોવાનું રહેશે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.