મારે ભાજપની જરૂર નહોતી, ભાજપને મારી જરૂર હતીઃ મધુ શ્રીવાસ્તવ


  • Published By :
  • Published Date : 2022-11-13 14:57:57

વડોદરાની વાઘોડિયા વિધાનસભા વિશે ગુજરાત જાણતું હોય કે ના જાણતું હોય પણ દબંગ અને બાહુબલીની છબી ધરાવતા મધુ શ્રીવાસ્તવને બધા ઓળખતા હશે. મધુ શ્રીવાસ્તવ પોતાના બેફામ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. આજે તેમણે ભાજપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. "ભાજપે મને તક આપી એ બદલ આભાર" કહીને તેમણે ભાજપના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. 


અમિત શાહ સાથે મધુ શ્રીવાસ્તવની થઈ હતી વાત

ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાયું હતું. મધુ શ્રીવાસ્તવની વાત ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે થઈ હતી. અમિત શાહે મધુ શ્રીવાસ્તવને 2 દિવસ રાહ જોવાની સલાહ આપી હતી. બે દિવસ બાદ પણ કોઈ નિર્ણય ન લેવાતા મધુ શ્રીવાસ્તવે નારાજ થઈ પાર્ટી છોડી દીધી છે. ભાજપે ગુજરાતના વિસ્તારો મુજબ નારાજ નેતાઓને મનાવવા માટે નેતાઓને મેદાને ઉતાર્યા છે. મધ્ય ગુજરાતમાં નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી હર્ષ સંઘવી અને ભાર્ગવ ભટ્ટ પર છે. હર્ષ સંઘવીએ પણ ગઈકાલે વડોદરાની મુલાકાત કરી હતી પરંતુ અમુક કારણોસર નેતાઓએ હર્ષ સંઘવીને મળવાનું ટાળ્યું હતું. 

No Repeat Theory Madhu Shrivastav Waghodia Vadodara MLA Says I will Contest  Gujarat Assembly Elections in 2022 jm – News18 Gujarati

કાર્યકર્તાઓ નક્કી કરશે મારે લડવું કે નહીંઃ મધુ શ્રીવાસ્તવ

આમ તો મધુ શ્રીવાસ્તવ હમણા શું નિવેદનો આપે છે તે જ જાણે છે, કારણ કે ટૂંક સમય પહેલા જ તેમણે કહ્યું હતું કે મારા પત્ની ચૂંટણી લડશે. થોડા સમય બાદ જ તેમણે પોતાના નિવેદન પરથી પલટી મારી હતી અને જણાવ્યું હતું કે, "એ તો મારા પત્ની બાજુમાં ઉભા હતા અને તેમને સારું લાગે તેના માટે હું બોલ્યો હતો." અત્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે મારી એક ટીમ ગામડાઓમાં ફરશે અને મારા લોકો કહશે તો હું ચૂંટણી લડીશ બાકી નહીં લડું. 


ભાજપને વાઘોડિયા બેઠક પર કેટલું નુકસાન પહોંચાડી શકે છે?

સ્થાનિક પત્રકારો સાથે જમાવટે જ્યારે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે મધુ શ્રીવાસ્તવ ભલે કહે છે કે કમિટી બનાવશે , સર્વે કરશે અને અપક્ષમાં લડશે પણ મધુ શ્રીવાસ્તવે વિપક્ષમાં લડવાનું મન બનાવી લીધું છે. જો કે કોંગ્રેસે હજુ વાઘોડિયા બેઠક પર ઉમેદવાર નથી જાહેર કર્યો તો મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાંથી પણ લડી શકે છે. પણ હાલની પરિસ્થિતિ મુજબ મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી લડે તેની સંભાવનાઓ વધુ છે. જો મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી લડે તો વાઘોડિયા બેઠક પર એકલા હાથે કબજો કરી શકે તેવી સંભાવનાઓ છે.

भाजपा के कोरोनाग्रस्त विधायक मधु श्रीवास्तव ने कहा - 'मैं बाहुबली हूं और  रहूंगा, मेरे सामने कोरोना सिर्फ नाम का ही कोरोना है' | BJP's Coronafied MLA  ...

ભાજપે આ વખતે મધુ શ્રીવાસ્તવનું પત્તુ કાપીને અશ્વિન નટવર પટેલને મોકો આપ્યો છે. આમ આદમી પાર્ટીએ ગૌતમ રાજપૂતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વડોદરા જિલ્લાની દસ બેઠકો પર ભાજપનો દબદબો છે, માત્ર પાદરા બેઠક પર કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોરે પોતાને નામ કરી હતી. ત્યારે હવે ભાજપ મધુ શ્રીવાસ્તવને ઠંડા પાડવા શું કુનેહ વાપરે તે જોવાનું રહેશે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.