મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચુંટણી લડશે,ભાજપ પ્રત્યએ પ્રેમ દર્શાવ્યો


  • Published By :
  • Published Date : 2022-11-11 14:22:26

ચુંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જેમાં વાઘોડિયાના દબંગ ધારાસભ્યને ટિકિટ ન મળતા તેમણે ભાજપ તરફી નારાજગી દેખાઈ રહી છે ભાજપે 160 ઉમેદવારોની યાદ જાહેર કરી હતી જેમાં મધુ શ્રીવાસ્તવનું પત્તું કપાયું હતું હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષ માંથી ચુંટણી લડવા જઈ રહ્યા છે ભાજપે તેમની ટિકિટ કાપી નાખતા તેમના ઘરે ચાહકો ઉમટી પડ્યા હતા અને પોતાના કાર્યકરો સાથે ચર્ચા કરીને તેમણે આ નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે 


મધુશ્રીવાસ્તવનો ભાજપ પ્રત્યે પ્રેમ 

મધુશ્રીવાસ્તવે છેલ્લા એક મહિનાથી ભાજપ હાઇકમાંડની ઊંઘ હરામ કરી નાખી હતી. તેઓએ ઘણી વાર મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે "ભાજપથી મને પ્રેમ છે ભાજપ મને જ ટિકિટ આપશે" ટિકિટ કપાયા પછી મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ચુંટણી લડીશ તો અપક્ષ તરીકે લડીશ બીજી કોઈ પાર્ટીમાં નહીં જાઉ હું ભાજપનો છું અને ભાજપનો રહેવાનો છું. ચૂંટણી લડ્યાં પછી પણ ભાજપને જ સપોર્ટ કરવાનો છું.


મધુ શ્રીવાસ્તવ 25 વર્ષથી ધારાસભ્ય 

આ ધારાસભ્યને ઘણી વાર દાદાગીરી કરતાં અને દબંગાઈ કરતાં જોવા મળે છે છતાં વાઘોડિયાની જનતા આ ધારાસભ્યને 25 વર્ષથી ચૂંટતી આવે છે. તેઓ પહેલી વાર અપક્ષમાંથી ધારાસભ્ય થયા હતા અને ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા 1995થી તેઓ ધારાસભ્ય છે પણ વખતે દિશા બદલે તેવું લાગી રહ્યું છે 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"