મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચુંટણી લડશે,ભાજપ પ્રત્યએ પ્રેમ દર્શાવ્યો


  • Published By :
  • Published Date : 2022-11-11 14:22:26

ચુંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જેમાં વાઘોડિયાના દબંગ ધારાસભ્યને ટિકિટ ન મળતા તેમણે ભાજપ તરફી નારાજગી દેખાઈ રહી છે ભાજપે 160 ઉમેદવારોની યાદ જાહેર કરી હતી જેમાં મધુ શ્રીવાસ્તવનું પત્તું કપાયું હતું હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષ માંથી ચુંટણી લડવા જઈ રહ્યા છે ભાજપે તેમની ટિકિટ કાપી નાખતા તેમના ઘરે ચાહકો ઉમટી પડ્યા હતા અને પોતાના કાર્યકરો સાથે ચર્ચા કરીને તેમણે આ નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે 


મધુશ્રીવાસ્તવનો ભાજપ પ્રત્યે પ્રેમ 

મધુશ્રીવાસ્તવે છેલ્લા એક મહિનાથી ભાજપ હાઇકમાંડની ઊંઘ હરામ કરી નાખી હતી. તેઓએ ઘણી વાર મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે "ભાજપથી મને પ્રેમ છે ભાજપ મને જ ટિકિટ આપશે" ટિકિટ કપાયા પછી મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ચુંટણી લડીશ તો અપક્ષ તરીકે લડીશ બીજી કોઈ પાર્ટીમાં નહીં જાઉ હું ભાજપનો છું અને ભાજપનો રહેવાનો છું. ચૂંટણી લડ્યાં પછી પણ ભાજપને જ સપોર્ટ કરવાનો છું.


મધુ શ્રીવાસ્તવ 25 વર્ષથી ધારાસભ્ય 

આ ધારાસભ્યને ઘણી વાર દાદાગીરી કરતાં અને દબંગાઈ કરતાં જોવા મળે છે છતાં વાઘોડિયાની જનતા આ ધારાસભ્યને 25 વર્ષથી ચૂંટતી આવે છે. તેઓ પહેલી વાર અપક્ષમાંથી ધારાસભ્ય થયા હતા અને ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા 1995થી તેઓ ધારાસભ્ય છે પણ વખતે દિશા બદલે તેવું લાગી રહ્યું છે 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.