મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચુંટણી લડશે,ભાજપ પ્રત્યએ પ્રેમ દર્શાવ્યો


  • Published By :
  • Published Date : 2022-11-11 14:22:26

ચુંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જેમાં વાઘોડિયાના દબંગ ધારાસભ્યને ટિકિટ ન મળતા તેમણે ભાજપ તરફી નારાજગી દેખાઈ રહી છે ભાજપે 160 ઉમેદવારોની યાદ જાહેર કરી હતી જેમાં મધુ શ્રીવાસ્તવનું પત્તું કપાયું હતું હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષ માંથી ચુંટણી લડવા જઈ રહ્યા છે ભાજપે તેમની ટિકિટ કાપી નાખતા તેમના ઘરે ચાહકો ઉમટી પડ્યા હતા અને પોતાના કાર્યકરો સાથે ચર્ચા કરીને તેમણે આ નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે 


મધુશ્રીવાસ્તવનો ભાજપ પ્રત્યે પ્રેમ 

મધુશ્રીવાસ્તવે છેલ્લા એક મહિનાથી ભાજપ હાઇકમાંડની ઊંઘ હરામ કરી નાખી હતી. તેઓએ ઘણી વાર મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે "ભાજપથી મને પ્રેમ છે ભાજપ મને જ ટિકિટ આપશે" ટિકિટ કપાયા પછી મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ચુંટણી લડીશ તો અપક્ષ તરીકે લડીશ બીજી કોઈ પાર્ટીમાં નહીં જાઉ હું ભાજપનો છું અને ભાજપનો રહેવાનો છું. ચૂંટણી લડ્યાં પછી પણ ભાજપને જ સપોર્ટ કરવાનો છું.


મધુ શ્રીવાસ્તવ 25 વર્ષથી ધારાસભ્ય 

આ ધારાસભ્યને ઘણી વાર દાદાગીરી કરતાં અને દબંગાઈ કરતાં જોવા મળે છે છતાં વાઘોડિયાની જનતા આ ધારાસભ્યને 25 વર્ષથી ચૂંટતી આવે છે. તેઓ પહેલી વાર અપક્ષમાંથી ધારાસભ્ય થયા હતા અને ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા 1995થી તેઓ ધારાસભ્ય છે પણ વખતે દિશા બદલે તેવું લાગી રહ્યું છે 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.