પોલીસ એક્શન મોડમાં, ભાષણ દરમિયાન પીએમની હત્યાની વાત કરનાર કોંગ્રેસના નેતાની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-13 10:30:54

મધ્યપ્રદેશના કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજા પટેરિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે જો સંવિધાનની રક્ષા કરવી હશે તો વડાપ્રધાન મોદીની હત્યા કરવા તત્પર રહેવું જોઈએ. આ વીડિયોને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. આ ટિપ્પણીની ટિકા કરવામાં આવી હતી. ત્યારે મંગળવાર સવારે રાજા પટેરિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે.

  

રાજા પટેરિયાએ કરી હતી પીએમ મોદીની હત્યા કરવાની વાત

સોમવારે મધ્યપ્રદેશના કોંગ્રેસના નેતા રાજા પટેરિયાનો એક વિવાદસ્પદ વીડિયો વાયરલ થયો હતો. એક કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધી રહ્યા હતા તે દરમિયાન તેમણે કહ્યું કે મોદી ઈલેક્શન ખતમ કરી દેશે, મોદી ધર્મ, જાતી, ભાષાના અનુસાર લોકોને વિભાજીત કરી દેશે. વધુમાં તેઓ બોલ્યા હતા કે સંવિધાનને જો બચાવું હશે તો મોદીની હત્યા કરવા તત્પર રહો. આ વાતને લઈ ભાજપે કોંગ્રેસ અને રાજા પટેરિયા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. 


પોલીસે રાજા પટેરિયાની ધરપકડ કરી 

વીડિયો વાયરલ થયા બાદ અને વિવાદ સર્જાવાને કારણે રાજા પટેરિયાએ વીડિયો અંગે સ્પષ્ટીકરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ વાક્ય ફ્લો-ફ્લોમાં બોલાઈ ગયું હતું. હત્યા કરવાનો મતલબ ચૂંટણીમાં હરાવાનો હતો. પરંતુ આ વાતને લઈ તેમના વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને મંગળવાર સવારે રાજા પટેરિયાની ધરપકડ પોલીસે કરી લીધી છે.

 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.