પોલીસ એક્શન મોડમાં, ભાષણ દરમિયાન પીએમની હત્યાની વાત કરનાર કોંગ્રેસના નેતાની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-13 10:30:54

મધ્યપ્રદેશના કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજા પટેરિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે જો સંવિધાનની રક્ષા કરવી હશે તો વડાપ્રધાન મોદીની હત્યા કરવા તત્પર રહેવું જોઈએ. આ વીડિયોને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. આ ટિપ્પણીની ટિકા કરવામાં આવી હતી. ત્યારે મંગળવાર સવારે રાજા પટેરિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે.

  

રાજા પટેરિયાએ કરી હતી પીએમ મોદીની હત્યા કરવાની વાત

સોમવારે મધ્યપ્રદેશના કોંગ્રેસના નેતા રાજા પટેરિયાનો એક વિવાદસ્પદ વીડિયો વાયરલ થયો હતો. એક કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધી રહ્યા હતા તે દરમિયાન તેમણે કહ્યું કે મોદી ઈલેક્શન ખતમ કરી દેશે, મોદી ધર્મ, જાતી, ભાષાના અનુસાર લોકોને વિભાજીત કરી દેશે. વધુમાં તેઓ બોલ્યા હતા કે સંવિધાનને જો બચાવું હશે તો મોદીની હત્યા કરવા તત્પર રહો. આ વાતને લઈ ભાજપે કોંગ્રેસ અને રાજા પટેરિયા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. 


પોલીસે રાજા પટેરિયાની ધરપકડ કરી 

વીડિયો વાયરલ થયા બાદ અને વિવાદ સર્જાવાને કારણે રાજા પટેરિયાએ વીડિયો અંગે સ્પષ્ટીકરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ વાક્ય ફ્લો-ફ્લોમાં બોલાઈ ગયું હતું. હત્યા કરવાનો મતલબ ચૂંટણીમાં હરાવાનો હતો. પરંતુ આ વાતને લઈ તેમના વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને મંગળવાર સવારે રાજા પટેરિયાની ધરપકડ પોલીસે કરી લીધી છે.

 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.