પોલીસ એક્શન મોડમાં, ભાષણ દરમિયાન પીએમની હત્યાની વાત કરનાર કોંગ્રેસના નેતાની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-13 10:30:54

મધ્યપ્રદેશના કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજા પટેરિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે જો સંવિધાનની રક્ષા કરવી હશે તો વડાપ્રધાન મોદીની હત્યા કરવા તત્પર રહેવું જોઈએ. આ વીડિયોને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. આ ટિપ્પણીની ટિકા કરવામાં આવી હતી. ત્યારે મંગળવાર સવારે રાજા પટેરિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે.

  

રાજા પટેરિયાએ કરી હતી પીએમ મોદીની હત્યા કરવાની વાત

સોમવારે મધ્યપ્રદેશના કોંગ્રેસના નેતા રાજા પટેરિયાનો એક વિવાદસ્પદ વીડિયો વાયરલ થયો હતો. એક કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધી રહ્યા હતા તે દરમિયાન તેમણે કહ્યું કે મોદી ઈલેક્શન ખતમ કરી દેશે, મોદી ધર્મ, જાતી, ભાષાના અનુસાર લોકોને વિભાજીત કરી દેશે. વધુમાં તેઓ બોલ્યા હતા કે સંવિધાનને જો બચાવું હશે તો મોદીની હત્યા કરવા તત્પર રહો. આ વાતને લઈ ભાજપે કોંગ્રેસ અને રાજા પટેરિયા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. 


પોલીસે રાજા પટેરિયાની ધરપકડ કરી 

વીડિયો વાયરલ થયા બાદ અને વિવાદ સર્જાવાને કારણે રાજા પટેરિયાએ વીડિયો અંગે સ્પષ્ટીકરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ વાક્ય ફ્લો-ફ્લોમાં બોલાઈ ગયું હતું. હત્યા કરવાનો મતલબ ચૂંટણીમાં હરાવાનો હતો. પરંતુ આ વાતને લઈ તેમના વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને મંગળવાર સવારે રાજા પટેરિયાની ધરપકડ પોલીસે કરી લીધી છે.

 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.