પોલીસ એક્શન મોડમાં, ભાષણ દરમિયાન પીએમની હત્યાની વાત કરનાર કોંગ્રેસના નેતાની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-13 10:30:54

મધ્યપ્રદેશના કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજા પટેરિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે જો સંવિધાનની રક્ષા કરવી હશે તો વડાપ્રધાન મોદીની હત્યા કરવા તત્પર રહેવું જોઈએ. આ વીડિયોને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. આ ટિપ્પણીની ટિકા કરવામાં આવી હતી. ત્યારે મંગળવાર સવારે રાજા પટેરિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે.

  

રાજા પટેરિયાએ કરી હતી પીએમ મોદીની હત્યા કરવાની વાત

સોમવારે મધ્યપ્રદેશના કોંગ્રેસના નેતા રાજા પટેરિયાનો એક વિવાદસ્પદ વીડિયો વાયરલ થયો હતો. એક કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધી રહ્યા હતા તે દરમિયાન તેમણે કહ્યું કે મોદી ઈલેક્શન ખતમ કરી દેશે, મોદી ધર્મ, જાતી, ભાષાના અનુસાર લોકોને વિભાજીત કરી દેશે. વધુમાં તેઓ બોલ્યા હતા કે સંવિધાનને જો બચાવું હશે તો મોદીની હત્યા કરવા તત્પર રહો. આ વાતને લઈ ભાજપે કોંગ્રેસ અને રાજા પટેરિયા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. 


પોલીસે રાજા પટેરિયાની ધરપકડ કરી 

વીડિયો વાયરલ થયા બાદ અને વિવાદ સર્જાવાને કારણે રાજા પટેરિયાએ વીડિયો અંગે સ્પષ્ટીકરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ વાક્ય ફ્લો-ફ્લોમાં બોલાઈ ગયું હતું. હત્યા કરવાનો મતલબ ચૂંટણીમાં હરાવાનો હતો. પરંતુ આ વાતને લઈ તેમના વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને મંગળવાર સવારે રાજા પટેરિયાની ધરપકડ પોલીસે કરી લીધી છે.

 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે