મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં દર્દનાક દુર્ઘટના, 10 લોકોના મોત, 38 લોકો ઘાયલ થયા


  • Published By :
  • Published Date : 2023-07-04 18:50:52


મહારાષ્ટ્રના ધુલેના જિલ્લામાં એક દર્દનાક ઘટના બની છે, અહીં મુંબઈ-આગ્રા હાઈ-વે પર એક કન્ટેઈનર હોટેલમાં ઘુસી ગઈ છે. આ ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત અને 38 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના મંગળવારે બપોરે 12 વાગ્યે થઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ટ્રકની બ્રેક ફેઈલ જવાના કારણે આ ભીષણ અકસ્માત થયો હતો. આ ટ્રકે બે મોટર સાઈકલ અને એક અને એક કન્ટેઈનરને ટક્કર મારી હતી.


ઘાયલોને હોસ્પિટલમાં
 દાખલ કરાયા


મીડિયા રિપોર્ટ મુજબ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે લગભગ 10 લોકોના મોત અને 38 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહેલા અનેક લોકોનો સમાવેશ થાય છે. આ નિર્દોશ લોકોને શિરપુર અને ધુલેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે , જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ટ્રક મધ્ય પ્રદેશથી ધુલે તરફ જઈ રહી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.