મહારાષ્ટ્રઃ બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફુટ ઓવરબ્રીજ તૂટ્યો, 8 ગંભીર, 20 ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-27 18:57:02

મહારાષ્ટ્રના બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફુટ ઓવરબ્રીજ તૂટતા અનેક લોકો ઘાયલ થયા છે. 60 ફૂટ ઉંચા ફૂટ બ્રીજ પરથી લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે બ્રિજ તૂટ્યો હતો. 60 ફૂટ ઉંચો બ્રિજ તૂટતા 20 લોકો ઘાયલ થઈ ગયા હતા. રેલવેના પાટા પર પટકાતા પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. હાલ તમામ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. રેલવે તંત્રના લોકો પણ બ્રિજનો તૂટેલો કાટમાળ રેલવેના પાટા પરથી હટાવી રહ્યો છે. 





આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.