મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ નિવૃત્તિની ઈચ્છા વ્યક્ત કરી, PM મોદીને કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-01-23 16:33:21

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી ટૂંક સમયમાં પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ ઈચ્છા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે તે પોતાનું ભાવિ જીવન વાંચન અને લેખનમાં પસાર કરવા માંગે છે. તેઓ તમામ પ્રકારની રાજકીય જવાબદારીઓમાંથી મુક્તિ ઈચ્છે છે.


PM મોદીને પણ નિવૃતી અંગે કરી વાત


જાહેર કરાયેલા નિવેદનમાં ભગત સિંહ કોશ્યારીએ કહ્યું છે કે મને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપવાની તક મળી તે ખૂબ જ સન્માનની વાત છે. તે મહારાષ્ટ્ર જે સંતો અને સામાજિક કાર્યકરોની ભૂમિ છે. છેલ્લા ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રના લોકો તરફથી મને જે પ્રેમ મળ્યો છે તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. કોશ્યારીએ તે બાબતે પણ માહિતી આપી કે તેમણે તેમની આ ઈચ્છાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરી છે. પીએમ મોદી જ્યારે મુંબઈ પ્રવાસ પર આવ્યા ત્યારે તેમની તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.