મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ નિવૃત્તિની ઈચ્છા વ્યક્ત કરી, PM મોદીને કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-01-23 16:33:21

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી ટૂંક સમયમાં પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ ઈચ્છા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે તે પોતાનું ભાવિ જીવન વાંચન અને લેખનમાં પસાર કરવા માંગે છે. તેઓ તમામ પ્રકારની રાજકીય જવાબદારીઓમાંથી મુક્તિ ઈચ્છે છે.


PM મોદીને પણ નિવૃતી અંગે કરી વાત


જાહેર કરાયેલા નિવેદનમાં ભગત સિંહ કોશ્યારીએ કહ્યું છે કે મને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપવાની તક મળી તે ખૂબ જ સન્માનની વાત છે. તે મહારાષ્ટ્ર જે સંતો અને સામાજિક કાર્યકરોની ભૂમિ છે. છેલ્લા ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રના લોકો તરફથી મને જે પ્રેમ મળ્યો છે તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. કોશ્યારીએ તે બાબતે પણ માહિતી આપી કે તેમણે તેમની આ ઈચ્છાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરી છે. પીએમ મોદી જ્યારે મુંબઈ પ્રવાસ પર આવ્યા ત્યારે તેમની તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે.



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .