મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ નિવૃત્તિની ઈચ્છા વ્યક્ત કરી, PM મોદીને કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-01-23 16:33:21

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી ટૂંક સમયમાં પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ ઈચ્છા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે તે પોતાનું ભાવિ જીવન વાંચન અને લેખનમાં પસાર કરવા માંગે છે. તેઓ તમામ પ્રકારની રાજકીય જવાબદારીઓમાંથી મુક્તિ ઈચ્છે છે.


PM મોદીને પણ નિવૃતી અંગે કરી વાત


જાહેર કરાયેલા નિવેદનમાં ભગત સિંહ કોશ્યારીએ કહ્યું છે કે મને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપવાની તક મળી તે ખૂબ જ સન્માનની વાત છે. તે મહારાષ્ટ્ર જે સંતો અને સામાજિક કાર્યકરોની ભૂમિ છે. છેલ્લા ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રના લોકો તરફથી મને જે પ્રેમ મળ્યો છે તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. કોશ્યારીએ તે બાબતે પણ માહિતી આપી કે તેમણે તેમની આ ઈચ્છાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરી છે. પીએમ મોદી જ્યારે મુંબઈ પ્રવાસ પર આવ્યા ત્યારે તેમની તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.