મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ નિવૃત્તિની ઈચ્છા વ્યક્ત કરી, PM મોદીને કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-01-23 16:33:21

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી ટૂંક સમયમાં પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ ઈચ્છા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે તે પોતાનું ભાવિ જીવન વાંચન અને લેખનમાં પસાર કરવા માંગે છે. તેઓ તમામ પ્રકારની રાજકીય જવાબદારીઓમાંથી મુક્તિ ઈચ્છે છે.


PM મોદીને પણ નિવૃતી અંગે કરી વાત


જાહેર કરાયેલા નિવેદનમાં ભગત સિંહ કોશ્યારીએ કહ્યું છે કે મને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપવાની તક મળી તે ખૂબ જ સન્માનની વાત છે. તે મહારાષ્ટ્ર જે સંતો અને સામાજિક કાર્યકરોની ભૂમિ છે. છેલ્લા ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રના લોકો તરફથી મને જે પ્રેમ મળ્યો છે તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. કોશ્યારીએ તે બાબતે પણ માહિતી આપી કે તેમણે તેમની આ ઈચ્છાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરી છે. પીએમ મોદી જ્યારે મુંબઈ પ્રવાસ પર આવ્યા ત્યારે તેમની તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.