મહારાષ્ટ્રના પોલીસકર્મીઓને હવે 12 ના બદલે 20 દિવસની રજા મળશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 18:36:43

મહારાષ્ટ્રના પોલીસકર્મીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યની એકનાથ શિંદેની સરકારે બુધવારે પોલીસકર્મીઓની રજામાં વધારો કર્યો છે. એકનાથ શિંદેની સરકારે મહારાષ્ટ્ર પોલીસને વર્ષ દરમિયાન કુલ 20 દિવસની આકસ્મિક રજા (Casual Leaves) આપવાની જાહેરાત કરી છે. 


કોન્સ્ટેબલથી લઈને PSI માટે આકસ્મિક રજાની જાહેરાત


મહારાષ્ટ્ર સરકારે પોલીસના કોન્સ્ટેબલથી લઈને પોલીસ ઈન્સ્પેક્ટર માટે આકસ્મિક રજા (Casual Leaves)ની સંખ્યા 12 દિવસથી વધારીને 20 દિવસ કરવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રમાં પોલીસકર્મીઓની સંખ્યા દેશમાં સૌથી વધુ છે. રાજ્યમાં હાલમાં 1,65,740 પોલીસકર્મીઓ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આકસ્મિક રજા (Casual Leaves)ની સંખ્યા વધારવાની દરખાસ્ત શરૂઆતમાં DGP સંજય પાંડે દ્વારા કરવામાં આવી હતી, જે હાલમાં જેલના સળિયા પાછળ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.