Mahisagar : ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીમાં શરૂ થયો ભરતી મેળો, જાણો કોણે કેસરિયો કર્યો ધારણ?


  • Published By :
  • Published Date : 2023-09-25 17:01:49

થોડા સમય બાદ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી યોજાય તે પહેલા રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળો  શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. પોતાની પાર્ટી છોડી નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. ત્યારે મહીસાગરમાં આમ આદમી પાર્ટી અને NCPમાં મોટું ભંગાણ થયું છે. મહીસાગરમાં આમ આદમી પાર્ટી તેમજ એનસીપીને મોટો ફટકો પડ્યો છે. 2022 વિધાનસભા ચૂંટણીના ઉમેદવારે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. પોતાના કાર્યકરો સહિત ભાજપમાં આમ આદમી પાર્ટીના તેમજ એનસીપીના નેતા જોડાયા છે.  


આમ આદમી પાર્ટી અને એનસીપીને પડ્યો મોટો ફટકો 

ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળો શરૂ થઈ જતો હોય છે. પક્ષપલટો કરી નેતાઓ બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ત્યારે મહીસાગરમાં જેમને આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં પોતાનો ચહેરો બનાવ્યો હતો મતલબ કે જે ઉમેદવાર હતા તેમણે આમ આદમી પાર્ટીનો ખેસ ફાડી દીધો છે. પોતાના કાર્યકર્તાઓ સાથે તેમણે કેસરિયો ધારણ કર્યો હતો. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પ્રમુખના સત્કાર સમારોહમાં આપના અને એનસીપીના નેતા કેસરિયા રંગે રંગાયા હતા. 


ચૂંટણી નજીક આવતા પાર્ટીમાં શરૂ થશે ભરતી મેળો!

સંતરામપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા પર્વત વાગડીયા સહીત ખાનપુર તાલુકા પંચાયતના કારંટા બેઠકના આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સભ્ય અરવિંદ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોર્ધન ઝડફિયા, મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર અને પ્રભારી મંત્રી બચુંભાઈ ખાબડ સહિત પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. મહત્વનું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ અનેક નેતાઓ પક્ષપલટો કરશે. જે પાર્ટી માટે તેમણે અપશબ્દો કહ્યા હતા તે જ પાર્ટીમાં ચૂંટણી નજીક આવતા નેતાઓ જોડાઈ જતા હોય છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.