Mahisagar : ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીમાં શરૂ થયો ભરતી મેળો, જાણો કોણે કેસરિયો કર્યો ધારણ?


  • Published By :
  • Published Date : 2023-09-25 17:01:49

થોડા સમય બાદ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી યોજાય તે પહેલા રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળો  શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. પોતાની પાર્ટી છોડી નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. ત્યારે મહીસાગરમાં આમ આદમી પાર્ટી અને NCPમાં મોટું ભંગાણ થયું છે. મહીસાગરમાં આમ આદમી પાર્ટી તેમજ એનસીપીને મોટો ફટકો પડ્યો છે. 2022 વિધાનસભા ચૂંટણીના ઉમેદવારે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. પોતાના કાર્યકરો સહિત ભાજપમાં આમ આદમી પાર્ટીના તેમજ એનસીપીના નેતા જોડાયા છે.  


આમ આદમી પાર્ટી અને એનસીપીને પડ્યો મોટો ફટકો 

ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળો શરૂ થઈ જતો હોય છે. પક્ષપલટો કરી નેતાઓ બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ત્યારે મહીસાગરમાં જેમને આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં પોતાનો ચહેરો બનાવ્યો હતો મતલબ કે જે ઉમેદવાર હતા તેમણે આમ આદમી પાર્ટીનો ખેસ ફાડી દીધો છે. પોતાના કાર્યકર્તાઓ સાથે તેમણે કેસરિયો ધારણ કર્યો હતો. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પ્રમુખના સત્કાર સમારોહમાં આપના અને એનસીપીના નેતા કેસરિયા રંગે રંગાયા હતા. 


ચૂંટણી નજીક આવતા પાર્ટીમાં શરૂ થશે ભરતી મેળો!

સંતરામપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા પર્વત વાગડીયા સહીત ખાનપુર તાલુકા પંચાયતના કારંટા બેઠકના આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સભ્ય અરવિંદ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોર્ધન ઝડફિયા, મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર અને પ્રભારી મંત્રી બચુંભાઈ ખાબડ સહિત પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. મહત્વનું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ અનેક નેતાઓ પક્ષપલટો કરશે. જે પાર્ટી માટે તેમણે અપશબ્દો કહ્યા હતા તે જ પાર્ટીમાં ચૂંટણી નજીક આવતા નેતાઓ જોડાઈ જતા હોય છે.   




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી