Mahisagar : ગણેશ પંડાલમાં રાખવામાં આવી સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિ, ગણપતિ દાદા કરતા મોટા સ્વામીનારાયણ ભગવાનને દર્શાવાયા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-23 17:35:42

હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. અલગ અલગ પંડાલમાં અલગ અલગ થીમ પર ગણપતિજીની મૂર્તિ રાખવામાં આવતી હોય છે. ત્યારે મહિસાગરના લુણાવાડા શહેરમાં આવેલી છપૈયા ધામ સોસાયટીનો ગણપતિ પંડાલ એવો હતો જેમાં ગણપતિ દાદા સાથે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પણ રાખવામાં આવી હતી! એક ફેસબુક એકાઉન્ટમાં એક તસવીર શેર કરવામાં આવી હતી જેમાં સ્વામીનારાયણ ભગવાનનું આસન ગણપતિ દાદાના આસન કરતા મોટું બતાવવામાં આવ્યું છે. આ પોસ્ટ સામે આવતા ભારે વિવાદ છેડાયો છે. જ્યારે આ પંડાલનું કવરેજ કરવા મીડિયા કર્મીઓ ગયા હતા ત્યારે તેમની પર હુમલો થયો હતો. મહિલાઓએ તેમજ પૂરૂષોએ મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.  

સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી પોસ્ટ!

સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવે છે. ક્યાંક સાર્વજનિક ગણેશ મહોત્સવ હોય છે તો ક્યાંક સોસાયટીના સભ્યો પોતાની સોસાયટીમાં ગણેશ પ્રતિમા લાવે છે. અલગ અલગ થીમ પર ગણપતિ બાપ્પાના પંડાલની સજાવટ કરવામાં આવે છે. ત્યારે મહિસાગરના લુણાવાડામાં આવેલી છપૈયા ધામ સોસાયટી વિસ્તારમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવવામાં આવી હતી. એ ફેસબુક પોસ્ટ સામે આવી હતી જેમાં ગણપતિ પંડાલમાં સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિ રાખવામાં આવી હતી. એ પંડાલમાં સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિ ગણપતિ દાદાની મૂર્તિ કરતા ઉંચી બતાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા સ્વામીનારાયણ સંપ્રદાય સતત ચર્ચામાં રહી રહ્યો છે. 



કવરેજ માટે ગયેલા મીડિયા કર્મીઓ પર કરાયો હુમલો!

સાળંગપુર મંદિરનો વિવાદ શાંત થઈ ગયો છે. ત્યારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ ફોટો મૂકવામાં આવ્યો હતો. ફેસબુક પોસ્ટ સામે આવતા મીડિયા કર્મીઓ ત્યાં કવરેજ માટે પહોંચ્યા હતા. પરંતુ કવરેજ કરવા આવેલા કર્મીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો. લોકોના ટોળાઓએ મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો જેમાં મહિલા તેમજ પૂરૂષોનો સમાવેશ થયો હતો. લોકોએ કહ્યું કે પોતે સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયી છે અને અમારા ભગવાન મોટા છે તેમ કહીને મીડિયા કર્મીઓને માફી માગવા માટે પણ કહ્યું હતું.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.