Mahisagar : ગણેશ પંડાલમાં રાખવામાં આવી સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિ, ગણપતિ દાદા કરતા મોટા સ્વામીનારાયણ ભગવાનને દર્શાવાયા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-23 17:35:42

હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. અલગ અલગ પંડાલમાં અલગ અલગ થીમ પર ગણપતિજીની મૂર્તિ રાખવામાં આવતી હોય છે. ત્યારે મહિસાગરના લુણાવાડા શહેરમાં આવેલી છપૈયા ધામ સોસાયટીનો ગણપતિ પંડાલ એવો હતો જેમાં ગણપતિ દાદા સાથે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પણ રાખવામાં આવી હતી! એક ફેસબુક એકાઉન્ટમાં એક તસવીર શેર કરવામાં આવી હતી જેમાં સ્વામીનારાયણ ભગવાનનું આસન ગણપતિ દાદાના આસન કરતા મોટું બતાવવામાં આવ્યું છે. આ પોસ્ટ સામે આવતા ભારે વિવાદ છેડાયો છે. જ્યારે આ પંડાલનું કવરેજ કરવા મીડિયા કર્મીઓ ગયા હતા ત્યારે તેમની પર હુમલો થયો હતો. મહિલાઓએ તેમજ પૂરૂષોએ મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.  

સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી પોસ્ટ!

સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવે છે. ક્યાંક સાર્વજનિક ગણેશ મહોત્સવ હોય છે તો ક્યાંક સોસાયટીના સભ્યો પોતાની સોસાયટીમાં ગણેશ પ્રતિમા લાવે છે. અલગ અલગ થીમ પર ગણપતિ બાપ્પાના પંડાલની સજાવટ કરવામાં આવે છે. ત્યારે મહિસાગરના લુણાવાડામાં આવેલી છપૈયા ધામ સોસાયટી વિસ્તારમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવવામાં આવી હતી. એ ફેસબુક પોસ્ટ સામે આવી હતી જેમાં ગણપતિ પંડાલમાં સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિ રાખવામાં આવી હતી. એ પંડાલમાં સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિ ગણપતિ દાદાની મૂર્તિ કરતા ઉંચી બતાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા સ્વામીનારાયણ સંપ્રદાય સતત ચર્ચામાં રહી રહ્યો છે. 



કવરેજ માટે ગયેલા મીડિયા કર્મીઓ પર કરાયો હુમલો!

સાળંગપુર મંદિરનો વિવાદ શાંત થઈ ગયો છે. ત્યારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ ફોટો મૂકવામાં આવ્યો હતો. ફેસબુક પોસ્ટ સામે આવતા મીડિયા કર્મીઓ ત્યાં કવરેજ માટે પહોંચ્યા હતા. પરંતુ કવરેજ કરવા આવેલા કર્મીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો. લોકોના ટોળાઓએ મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો જેમાં મહિલા તેમજ પૂરૂષોનો સમાવેશ થયો હતો. લોકોએ કહ્યું કે પોતે સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયી છે અને અમારા ભગવાન મોટા છે તેમ કહીને મીડિયા કર્મીઓને માફી માગવા માટે પણ કહ્યું હતું.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.