Mahisagar: સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યજેલા બાળકના ફોટો, ફોટાના આધારે પોલીસે શરૂ કરી તપાસ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-21 14:29:02

આપણે ત્યાં બાળકોને ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. બાળકોને ઈશ્વરનું વરદાન માનવામાં આવે છે. પરંતુ સમાજમાં અનેક લોકો એવા હોય છે બાળકોને ત્યજી દે છે. અનેક વખત માસુમ બાળકો ત્યજેલી હાલતમાં જોવા મળતા હોય છે. કોઈ વખત કચરાપેટીમાંથી તો કોઈ વખત રસ્તા પરથી ત્યજેલા બાળકો મળી આવે છે. ત્યારે આવો જ એક ત્યજેલા બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ફોટા વાયરલ થઈ રહ્યા છે તે સંતરામપુરના ખેડાપા ગામના હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ આધારે આગળની તપાસ શરૂ કરી છે. 


સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યજેલા બાળકના ફોટો    

અનેક વખત નવજાત શિશુને ત્યજી દેવાની ઘટનાઓ સામે આવતી રહે છે. અંગત કારણોસર અનેક વખત આવું પગલું ઉઠાવવામાં આવતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ત્યજેલા બાળકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. બાળકના ફોટો વાયરલ થતાં જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. બાળક કોનું છે, કયા કારણોસર આવું પગલું ઉઠાવવામાં આવ્યું તે અંગે પોલીસવાળા તપાસ કરવામાં આવી રહી છે. આ ફોટો સંતરામપુરના ખેડાપા ગામનો હોવાનો માનવામાં આવી રહ્યું છે. વાયરલ ફોટાના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. 


પોલીસે આ મામલે શરૂ કરી તપાસ 

આ મામલે તપાસ કરતા કરતા પોલીસ જ્યારે તે સ્થળ પર પહોંચી હતી ત્યારે જાણવા મળ્યું કે બાળકની દફનવિધી કરી દેવામાં આવ્યું છે. એવું પણ સામે આવ્યું હતું કે બાળકની દફનવિધી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે. ત્યારે આ મામલે તપાસ કરવા માટે પોલીસે બાળકના શવને બહાર કાઢ્યો છે . માર્ગ પર બાળકને કોણ મૂકી ગયું, બાળકને કોણે ત્યજ્યું તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે. નવજાત શિશુને ત્યજી દેવા બાબતે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. હવે જોવું રહ્યું કે આ મામલે શું નવા અપડેટ સામે આવે છે. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે