Mahisagar: સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યજેલા બાળકના ફોટો, ફોટાના આધારે પોલીસે શરૂ કરી તપાસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-21 14:29:02

આપણે ત્યાં બાળકોને ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. બાળકોને ઈશ્વરનું વરદાન માનવામાં આવે છે. પરંતુ સમાજમાં અનેક લોકો એવા હોય છે બાળકોને ત્યજી દે છે. અનેક વખત માસુમ બાળકો ત્યજેલી હાલતમાં જોવા મળતા હોય છે. કોઈ વખત કચરાપેટીમાંથી તો કોઈ વખત રસ્તા પરથી ત્યજેલા બાળકો મળી આવે છે. ત્યારે આવો જ એક ત્યજેલા બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ફોટા વાયરલ થઈ રહ્યા છે તે સંતરામપુરના ખેડાપા ગામના હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ આધારે આગળની તપાસ શરૂ કરી છે. 


સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યજેલા બાળકના ફોટો    

અનેક વખત નવજાત શિશુને ત્યજી દેવાની ઘટનાઓ સામે આવતી રહે છે. અંગત કારણોસર અનેક વખત આવું પગલું ઉઠાવવામાં આવતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ત્યજેલા બાળકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. બાળકના ફોટો વાયરલ થતાં જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. બાળક કોનું છે, કયા કારણોસર આવું પગલું ઉઠાવવામાં આવ્યું તે અંગે પોલીસવાળા તપાસ કરવામાં આવી રહી છે. આ ફોટો સંતરામપુરના ખેડાપા ગામનો હોવાનો માનવામાં આવી રહ્યું છે. વાયરલ ફોટાના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. 


પોલીસે આ મામલે શરૂ કરી તપાસ 

આ મામલે તપાસ કરતા કરતા પોલીસ જ્યારે તે સ્થળ પર પહોંચી હતી ત્યારે જાણવા મળ્યું કે બાળકની દફનવિધી કરી દેવામાં આવ્યું છે. એવું પણ સામે આવ્યું હતું કે બાળકની દફનવિધી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે. ત્યારે આ મામલે તપાસ કરવા માટે પોલીસે બાળકના શવને બહાર કાઢ્યો છે . માર્ગ પર બાળકને કોણ મૂકી ગયું, બાળકને કોણે ત્યજ્યું તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે. નવજાત શિશુને ત્યજી દેવા બાબતે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. હવે જોવું રહ્યું કે આ મામલે શું નવા અપડેટ સામે આવે છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી