Mahisagar: સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યજેલા બાળકના ફોટો, ફોટાના આધારે પોલીસે શરૂ કરી તપાસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-21 14:29:02

આપણે ત્યાં બાળકોને ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. બાળકોને ઈશ્વરનું વરદાન માનવામાં આવે છે. પરંતુ સમાજમાં અનેક લોકો એવા હોય છે બાળકોને ત્યજી દે છે. અનેક વખત માસુમ બાળકો ત્યજેલી હાલતમાં જોવા મળતા હોય છે. કોઈ વખત કચરાપેટીમાંથી તો કોઈ વખત રસ્તા પરથી ત્યજેલા બાળકો મળી આવે છે. ત્યારે આવો જ એક ત્યજેલા બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ફોટા વાયરલ થઈ રહ્યા છે તે સંતરામપુરના ખેડાપા ગામના હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ આધારે આગળની તપાસ શરૂ કરી છે. 


સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યજેલા બાળકના ફોટો    

અનેક વખત નવજાત શિશુને ત્યજી દેવાની ઘટનાઓ સામે આવતી રહે છે. અંગત કારણોસર અનેક વખત આવું પગલું ઉઠાવવામાં આવતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ત્યજેલા બાળકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. બાળકના ફોટો વાયરલ થતાં જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. બાળક કોનું છે, કયા કારણોસર આવું પગલું ઉઠાવવામાં આવ્યું તે અંગે પોલીસવાળા તપાસ કરવામાં આવી રહી છે. આ ફોટો સંતરામપુરના ખેડાપા ગામનો હોવાનો માનવામાં આવી રહ્યું છે. વાયરલ ફોટાના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. 


પોલીસે આ મામલે શરૂ કરી તપાસ 

આ મામલે તપાસ કરતા કરતા પોલીસ જ્યારે તે સ્થળ પર પહોંચી હતી ત્યારે જાણવા મળ્યું કે બાળકની દફનવિધી કરી દેવામાં આવ્યું છે. એવું પણ સામે આવ્યું હતું કે બાળકની દફનવિધી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે. ત્યારે આ મામલે તપાસ કરવા માટે પોલીસે બાળકના શવને બહાર કાઢ્યો છે . માર્ગ પર બાળકને કોણ મૂકી ગયું, બાળકને કોણે ત્યજ્યું તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે. નવજાત શિશુને ત્યજી દેવા બાબતે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. હવે જોવું રહ્યું કે આ મામલે શું નવા અપડેટ સામે આવે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.