Mahisagar : 70 વર્ષના દાદી પર હેવાને બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવ્યા બાદ પોલીસ મહિલા અને વૃદ્ધોને આપશે સુરક્ષા, શી ટીમની કરાશે રચના..


  • Published By :
  • Published Date : 2024-03-27 13:05:40

ગઈકાલે એક સમાચાર મહીસાગરથી સામે આવ્યા. એ સમાચાર એવા હતા જે વાંચીને રૂંવાડા ઉભા થઈ જાય. 30 વર્ષના યુવકે 70 વર્ષના દાદી પર બળાત્કાર આચર્યો, તેમના ગુપ્તાંગમાં બચકા ભર્યા. તેમની હાલત એટલી ખરાબ છે કે તેમને હોસ્પિટલ ખસેડાયા. જે આરોપીએ આ કૃત્ય આચર્યું તેનું નામ જયંતી બામણીયા  છે અને તેની પર અનેક ગુન્હાઓ દાખલ છે. તેના વિરૂદ્ધ પોસ્કો એક્ટ પણ લાગેલો છે. પોલીસની કામગીરી પર તો પ્રશ્ન થાય કે પોલીસ મહિલાઓને સુરક્ષા આપવામાં નાપાસ થયા... પરંતુ આ ઘટના બાદ પોલીસે એક સરાહનીય કદમ ઉઠાવ્યો છે. મહીસાગર જિલ્લામાં એકલવાયુ જીવન જીવતા વૃધ્ધો અને મહિલાઓને સુરક્ષા પૂરી પાડવા માટે શી ટીમની રચના કરવામાં આવશે. 

મહિલાઓ તેમજ વૃદ્ધોને સુરક્ષા આપવા માટે પોલીસે કરી વ્યવસ્થા    

મહીસાગર પોલીસ દ્વારા એક આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધોને તેમજ મહિલાઓને સુરક્ષા આપવા માટે શી ટીમની રચના કરવામાં આવી છે. જિલ્લામાં એકલા રહેતા વૃદ્ધ અને મહિલાને પોલિસ મથકમાં પોતાની વિગતો આપવાની રહેશે. જિલ્લામાં વૃદ્ધ અને મહિલા માટે જિલ્લા પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા લેવામા આવેલા નિર્ણયને કારણે આ ઘટના બાદ મહિલાઓમાં તેમજ વૃદ્ધોમાં વ્યાપી ઉઠેલો ભય થોડો ઓછો થશે.. તેમને વિશ્વાસ આવશે કે પોલીસ તેમની સાથે છે, તેમની સુરક્ષા માટે પોલીસ છે...    


જ્યારે ઘટના સામે આવી ત્યારે પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન થાય.. 

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. બળાત્કારની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માસુમ બાળકીઓને હવસનો શિકાર બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે મહીસાગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 70 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર આચર્યો છે. આખી ઘટના વાંચ્યા પછી પોલીસની કામગીરી પર ગુસ્સો આવ્યો, જેમની પર લોકોની સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી છે તે પોતાની ફરજથી ચૂક્યા તે બધા વિચારો આવ્યા! પોલીસ એવી ચાર્જશીટ કેમ દાખલ નથી કરતી કે આવા ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીને કડકમાં કડક સાજા થાય... આવા આરોપી જેલમાંથી બહાર આવે અને પછી કાનૂનને કચડચો હોય, સિસ્ટમ પર અટ્ટહાસ્ય કરતો હોય એમ વૃદ્ધા પર બળાત્કાર ગુજારે. 


આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે ઉઠી માગ 

આ મામલે જ્યારે આ કેસને સંભાળી રહેલા પોલીસ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ચાર્જશીટ તો એવી જ બનાવવામાં આવે છે કે આરોપીને કડકમાં કડક સજા થાય. પરંતુ સમય જતા પીડિતા, સાક્ષી દ્વારા સ્ટેટમેન્ટ ચેન્જ કરી દેવામાં આવે છે જેને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે... આ ઘટના બાદ લોકોએ બોલવાની હિંમત કરી છે. આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી છે. આ કેસમાં આગળ શું થાય છે સમય બતાવશે પરંતુ આ ઘટના બાદ પોલીસ દ્વારા લેવામાં આવેલો નિર્ણય સરાહનીય છે.... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે