Mahisagar : 70 વર્ષના દાદી પર હેવાને બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવ્યા બાદ પોલીસ મહિલા અને વૃદ્ધોને આપશે સુરક્ષા, શી ટીમની કરાશે રચના..


  • Published By :
  • Published Date : 2024-03-27 13:05:40

ગઈકાલે એક સમાચાર મહીસાગરથી સામે આવ્યા. એ સમાચાર એવા હતા જે વાંચીને રૂંવાડા ઉભા થઈ જાય. 30 વર્ષના યુવકે 70 વર્ષના દાદી પર બળાત્કાર આચર્યો, તેમના ગુપ્તાંગમાં બચકા ભર્યા. તેમની હાલત એટલી ખરાબ છે કે તેમને હોસ્પિટલ ખસેડાયા. જે આરોપીએ આ કૃત્ય આચર્યું તેનું નામ જયંતી બામણીયા  છે અને તેની પર અનેક ગુન્હાઓ દાખલ છે. તેના વિરૂદ્ધ પોસ્કો એક્ટ પણ લાગેલો છે. પોલીસની કામગીરી પર તો પ્રશ્ન થાય કે પોલીસ મહિલાઓને સુરક્ષા આપવામાં નાપાસ થયા... પરંતુ આ ઘટના બાદ પોલીસે એક સરાહનીય કદમ ઉઠાવ્યો છે. મહીસાગર જિલ્લામાં એકલવાયુ જીવન જીવતા વૃધ્ધો અને મહિલાઓને સુરક્ષા પૂરી પાડવા માટે શી ટીમની રચના કરવામાં આવશે. 

મહિલાઓ તેમજ વૃદ્ધોને સુરક્ષા આપવા માટે પોલીસે કરી વ્યવસ્થા    

મહીસાગર પોલીસ દ્વારા એક આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધોને તેમજ મહિલાઓને સુરક્ષા આપવા માટે શી ટીમની રચના કરવામાં આવી છે. જિલ્લામાં એકલા રહેતા વૃદ્ધ અને મહિલાને પોલિસ મથકમાં પોતાની વિગતો આપવાની રહેશે. જિલ્લામાં વૃદ્ધ અને મહિલા માટે જિલ્લા પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા લેવામા આવેલા નિર્ણયને કારણે આ ઘટના બાદ મહિલાઓમાં તેમજ વૃદ્ધોમાં વ્યાપી ઉઠેલો ભય થોડો ઓછો થશે.. તેમને વિશ્વાસ આવશે કે પોલીસ તેમની સાથે છે, તેમની સુરક્ષા માટે પોલીસ છે...    


જ્યારે ઘટના સામે આવી ત્યારે પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન થાય.. 

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. બળાત્કારની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માસુમ બાળકીઓને હવસનો શિકાર બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે મહીસાગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 70 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર આચર્યો છે. આખી ઘટના વાંચ્યા પછી પોલીસની કામગીરી પર ગુસ્સો આવ્યો, જેમની પર લોકોની સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી છે તે પોતાની ફરજથી ચૂક્યા તે બધા વિચારો આવ્યા! પોલીસ એવી ચાર્જશીટ કેમ દાખલ નથી કરતી કે આવા ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીને કડકમાં કડક સાજા થાય... આવા આરોપી જેલમાંથી બહાર આવે અને પછી કાનૂનને કચડચો હોય, સિસ્ટમ પર અટ્ટહાસ્ય કરતો હોય એમ વૃદ્ધા પર બળાત્કાર ગુજારે. 


આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે ઉઠી માગ 

આ મામલે જ્યારે આ કેસને સંભાળી રહેલા પોલીસ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ચાર્જશીટ તો એવી જ બનાવવામાં આવે છે કે આરોપીને કડકમાં કડક સજા થાય. પરંતુ સમય જતા પીડિતા, સાક્ષી દ્વારા સ્ટેટમેન્ટ ચેન્જ કરી દેવામાં આવે છે જેને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે... આ ઘટના બાદ લોકોએ બોલવાની હિંમત કરી છે. આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી છે. આ કેસમાં આગળ શું થાય છે સમય બતાવશે પરંતુ આ ઘટના બાદ પોલીસ દ્વારા લેવામાં આવેલો નિર્ણય સરાહનીય છે.... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.