મહીસાગરમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં દોષિતને 20 વર્ષની સજા, ત્રણ લાખનો દંડ


  • Published By :
  • Published Date : 2023-06-22 22:29:28

મહીસાગર જિલ્લામાં 16 વર્ષની સગીરા પર થયેલા દુષ્કર્મના કેસમાં જિલ્લા કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. સંતરામપુર તાલુકાના નાનસલાઈ ગામના આરોપી મુકેશભાઈ રમેશભાઈ માલીવાડને કોર્ટે ફટકારી સજા ઉપરાંત રૂ. 3 લાખનો દંડ ચૂંકવવાનો આદેશ કર્યો છે.


પોકસો એક્ટ હેઠળ કાર્યવાહી


મહીસાગર જિલ્લામાં 16 વર્ષની સગીરાને લગ્નની લાલચે લલચાવી ફોસલાવી આરોપી ભગાડી ગયો હતો. આરોપીએ 16 વર્ષની સગીરા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે ત્યાર બાદ આરોપી વિરુદ્ધ સંતરામપુર પોલીસ મથકમાં વર્ષ 2020 માં પૉક્સો એક્ટ હેઠળ ફરિયાદ  નોંધાઈ હતી. આરોપી મુકેશભાઈ રમેશભાઈ માલીવાડની પોલીસે ધરપકડ કરી હતી.


કોર્ટે ફટકારી આકરી સજા


બળાત્કારના આરોપીને કોર્ટે 20 વર્ષની આકરી સજા સંભળાવવાની સાથે-સાથે ભોગ બનનાર સગીરાને મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ત્રણ લાખ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો હતો.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.