મહીસાગરમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં દોષિતને 20 વર્ષની સજા, ત્રણ લાખનો દંડ


  • Published By :
  • Published Date : 2023-06-22 22:29:28

મહીસાગર જિલ્લામાં 16 વર્ષની સગીરા પર થયેલા દુષ્કર્મના કેસમાં જિલ્લા કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. સંતરામપુર તાલુકાના નાનસલાઈ ગામના આરોપી મુકેશભાઈ રમેશભાઈ માલીવાડને કોર્ટે ફટકારી સજા ઉપરાંત રૂ. 3 લાખનો દંડ ચૂંકવવાનો આદેશ કર્યો છે.


પોકસો એક્ટ હેઠળ કાર્યવાહી


મહીસાગર જિલ્લામાં 16 વર્ષની સગીરાને લગ્નની લાલચે લલચાવી ફોસલાવી આરોપી ભગાડી ગયો હતો. આરોપીએ 16 વર્ષની સગીરા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે ત્યાર બાદ આરોપી વિરુદ્ધ સંતરામપુર પોલીસ મથકમાં વર્ષ 2020 માં પૉક્સો એક્ટ હેઠળ ફરિયાદ  નોંધાઈ હતી. આરોપી મુકેશભાઈ રમેશભાઈ માલીવાડની પોલીસે ધરપકડ કરી હતી.


કોર્ટે ફટકારી આકરી સજા


બળાત્કારના આરોપીને કોર્ટે 20 વર્ષની આકરી સજા સંભળાવવાની સાથે-સાથે ભોગ બનનાર સગીરાને મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ત્રણ લાખ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.