વાહ રે પોલીસ! ચલણી નોટોના કેસમાં ફરાર ગુનેગારને મહીસાગર SOGએ અંબાજીના પદયાત્રીઓનો સ્વાંગ રચીને ઝડપી પાડ્યો


  • Published By :
  • Published Date : 2023-09-24 18:11:41

પોલીસને ગુનેગારોને પકડવા માટે અનેક પ્રકારના સ્વાંગ રચવા પડતા હોય છે. મહીસાગર SOG એ અંબાજીના પદયાત્રી બનીને એક આરોપીને પકડી પાડ્તા ભારે આશ્ચર્ય સર્જાયું હતું. મહિસાગર પોલીસ સાબરકાંઠા જિલ્લામાં અંબાજીના પદયાત્રી બનીને પગપાળા ચાલવા લાગી હતી. આરોપીને પકડવાના હેતુથી SOG પોલીસની ટીમ ચાલતા અંબાજી જતા પદયાત્રીઓ સાથે ચાલવા લાગીને બાતમી મુજબના આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસના જવાનો અને અધિકારી ખેડબ્રહ્મા વિસ્તારમાં અંબાજીના માર્ગે પાંચ કિલોમીટર સુધી ચાલી હતી અને આરોપીની ઓળખ કરી લઈ આરોપી ચાલાકી પૂર્વક ભીડનો લાભ ઉઠાવીને ફરાર થાય એ પહેલા જ ઝડપી લીધો હતો.


બાતમીના આધારે કાર્યવાહી


મહીસાગર SOG પોલીસ ને બાતમી મળી હતી કે  મળી કે આરોપી અંબાજી પગપાળા સંઘમાં જઈ રહ્યો છે. બાતમીના આધારે મહીસાગર SOG પોલીસે વોચ ગોઠવી હતી. આરોપીનું લોકેશન ખેડબ્રહ્મા આસપાસ હોવાને લઈ વર્ણન મુજબના આરોપીની ઓળખ કરીને પોલીસ અંબાજી યાત્રાળુ બનીને પગપાળા સંઘમાં ચાલવા લાગી હતી. LCB PI એસએમ ખાંટે આ અંગેની વિગતો મીડિયાને આપી હતી. પોલીસ જવાનોએ ગળામાં અંબાજી પદયાત્રીઓ જેવા ખેસ સહિત ભક્તિમય વેશ ધારણ કરીને જય અંબેના નાદ સાથે પગપાળા ચાલવા લાગ્યા હતા. અંતે  આરોપી સાથે સંઘ મા 5 કીમી ચાલી સાબરકાંઠાના ખેડબ્રહ્માથી ઝડપી પડ્યો હતો. આરોપીની ચાલાકીને જાણતા પોલીસ કર્મીઓએ સૂઝબૂઝ સાથે ઝડપી લઈને જેલના હવાલે કર્યો હતો. આરોપી છેલ્લાં 1 વર્ષ થી ચલણી નોટોના કેસમા નાસતો-ફરતો હતો. અંતે પોલીસને તેને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.