વાહ રે પોલીસ! ચલણી નોટોના કેસમાં ફરાર ગુનેગારને મહીસાગર SOGએ અંબાજીના પદયાત્રીઓનો સ્વાંગ રચીને ઝડપી પાડ્યો


  • Published By :
  • Published Date : 2023-09-24 18:11:41

પોલીસને ગુનેગારોને પકડવા માટે અનેક પ્રકારના સ્વાંગ રચવા પડતા હોય છે. મહીસાગર SOG એ અંબાજીના પદયાત્રી બનીને એક આરોપીને પકડી પાડ્તા ભારે આશ્ચર્ય સર્જાયું હતું. મહિસાગર પોલીસ સાબરકાંઠા જિલ્લામાં અંબાજીના પદયાત્રી બનીને પગપાળા ચાલવા લાગી હતી. આરોપીને પકડવાના હેતુથી SOG પોલીસની ટીમ ચાલતા અંબાજી જતા પદયાત્રીઓ સાથે ચાલવા લાગીને બાતમી મુજબના આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસના જવાનો અને અધિકારી ખેડબ્રહ્મા વિસ્તારમાં અંબાજીના માર્ગે પાંચ કિલોમીટર સુધી ચાલી હતી અને આરોપીની ઓળખ કરી લઈ આરોપી ચાલાકી પૂર્વક ભીડનો લાભ ઉઠાવીને ફરાર થાય એ પહેલા જ ઝડપી લીધો હતો.


બાતમીના આધારે કાર્યવાહી


મહીસાગર SOG પોલીસ ને બાતમી મળી હતી કે  મળી કે આરોપી અંબાજી પગપાળા સંઘમાં જઈ રહ્યો છે. બાતમીના આધારે મહીસાગર SOG પોલીસે વોચ ગોઠવી હતી. આરોપીનું લોકેશન ખેડબ્રહ્મા આસપાસ હોવાને લઈ વર્ણન મુજબના આરોપીની ઓળખ કરીને પોલીસ અંબાજી યાત્રાળુ બનીને પગપાળા સંઘમાં ચાલવા લાગી હતી. LCB PI એસએમ ખાંટે આ અંગેની વિગતો મીડિયાને આપી હતી. પોલીસ જવાનોએ ગળામાં અંબાજી પદયાત્રીઓ જેવા ખેસ સહિત ભક્તિમય વેશ ધારણ કરીને જય અંબેના નાદ સાથે પગપાળા ચાલવા લાગ્યા હતા. અંતે  આરોપી સાથે સંઘ મા 5 કીમી ચાલી સાબરકાંઠાના ખેડબ્રહ્માથી ઝડપી પડ્યો હતો. આરોપીની ચાલાકીને જાણતા પોલીસ કર્મીઓએ સૂઝબૂઝ સાથે ઝડપી લઈને જેલના હવાલે કર્યો હતો. આરોપી છેલ્લાં 1 વર્ષ થી ચલણી નોટોના કેસમા નાસતો-ફરતો હતો. અંતે પોલીસને તેને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.