Mahisagar : ગાડીમાં કેશ લઈને નિકળેલા ICICI બેન્કના મેનેજરની કરાઈ હત્યા! ગાડી સળગાવી અને પછી ગોળી મારી, કિલોમીટર દૂરથી મળ્યો મૃતદેહ


  • Published By :
  • Published Date : 2023-10-05 10:45:14

મહીસાગરના સંતરામપુરથી જે ઘટના સામે આવી છે તે હચમચાવી દે તેવી છે. ગઈકાલે લુણાવાડા સંતરામપુર રોડ ઉપર એક ગાડી બળેલી હાલતમાં મળી આવી હતી. સળગેલી ગાડીની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસે આવીને તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે આ ગાડી આઈસીઆઈસીઆઈ બેન્ક મેનેજર વિશાલ પાટીલની છે.  બાલાસિનોરના ICICI બેંકના મેનેજર વિશાલ પાટીલ પોતાની સાથે 1.18 કરોડ રૂપિયા લઈને કારમાં નીકળ્યા હતા. ગાડીમાં ન તો કેશના અવશેશો મળ્યા ન તો મૃતદેહના. આ મામલે પોલીસે મેનેજરના મૃતદેહને શોધવાની તજવીજ હાથ ધરી. મેનેજરની લાશ ઘટના સ્થળથી 20 કિમી દૂર ડાયાપુર ગામેથી મળી આવી. ગોળી મારીને મેનેજરની હત્યા કરવામાં આવી છે. 



સળગેલી હાલતમાં ગાડી મળી આવતા પોલીસે આરંભી હતી તપાસ   

સંતરામપુર તાલુકાના સરસણ આઉટ પોસ્ટના ગોધર ગમ નજીક આવેલા મેઈન રોડ પર એક ગાડી સગળેલી હાલતમાં જોવા મળી હતી. આ સળગેલી ગાડી ICICI બેન્કના મેનેજરની હોય તેવી માહિતી સામે આવી હતી. મેનેજર પોતાની સાથે કરોડો રૂપિયા લઈને નિકળ્યા હતા તેવી પણ વાત સામે આવી હતી. આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી તપાસ આરંભી હતી. સળગેલી ગાડીમાં મૃતદેહના કોઈ અવશેશો મળ્યા ન હતા. પોલીસે ગાડીની વિગતો ઉપરથી આ ગાડી મેનેજરની છે તેવી જાણકારી પ્રાપ્ત કરી લીધી અને મેનેજરને શોધવાની તજવીજ હાથ ધરી. મેનેજનર વિશાલ પાટીલ ક્યાં છે તેની જાણકારી પોલીસ પાસે ન હતી. 


અનેક કિલોમીટર દૂરથી મળી આવ્યો મેનેજરનો મૃતદેહ 

પોલીસે આ અંગે આગળ તપાસ હાથ ધરી અને આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે વિશાલ પોતાની સાથે એક કરોડથી વધુ રકમ લઈ દાહોહની બ્રાન્ચમાં જમા કરાવા જઈ રહ્યા હતા. ફોન નંબરના આધારે બેન્ક મેનેજરને શોધવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી. પોલીસે ફોનને ટ્રેક કર્યો. અને ઘટના સ્થળથી અનેક કિલોમીટર દૂર બેન્ક મેનેજરનો ફોન ટ્રેક થયો. આ બાદ પોલીસ ત્યાં પહોંચી તો ફોનની સાથે મેનેજર વિશાલનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.  

(આરોપીનો ફોટો)

આરોપીએ મેનેજરને મારી હતી ગોળી!

પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઘટનામાં મહત્વની વાત એ છે કે બેન્ક મેનેજરનું મોત ગોળી મારીને કરવામાં આવ્યું છે. પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢ્યો છે અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. મહીસાગર પોલીસે આરોપી પાસેથી દેશી કટ્ટા સહિત કેશ પર રિકવર કરી લીધી છે. પોલીસ આ મામલે આરોપીની પૂછપરછ કરી રહી છે અને એવી પણ માહિતી સામે આવી છે કે આરોપીની ધરપકડ કરી લેવામાં  આવી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.