Mahisagar : ગાડીમાં કેશ લઈને નિકળેલા ICICI બેન્કના મેનેજરની કરાઈ હત્યા! ગાડી સળગાવી અને પછી ગોળી મારી, કિલોમીટર દૂરથી મળ્યો મૃતદેહ


  • Published By :
  • Published Date : 2023-10-05 10:45:14

મહીસાગરના સંતરામપુરથી જે ઘટના સામે આવી છે તે હચમચાવી દે તેવી છે. ગઈકાલે લુણાવાડા સંતરામપુર રોડ ઉપર એક ગાડી બળેલી હાલતમાં મળી આવી હતી. સળગેલી ગાડીની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસે આવીને તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે આ ગાડી આઈસીઆઈસીઆઈ બેન્ક મેનેજર વિશાલ પાટીલની છે.  બાલાસિનોરના ICICI બેંકના મેનેજર વિશાલ પાટીલ પોતાની સાથે 1.18 કરોડ રૂપિયા લઈને કારમાં નીકળ્યા હતા. ગાડીમાં ન તો કેશના અવશેશો મળ્યા ન તો મૃતદેહના. આ મામલે પોલીસે મેનેજરના મૃતદેહને શોધવાની તજવીજ હાથ ધરી. મેનેજરની લાશ ઘટના સ્થળથી 20 કિમી દૂર ડાયાપુર ગામેથી મળી આવી. ગોળી મારીને મેનેજરની હત્યા કરવામાં આવી છે. 



સળગેલી હાલતમાં ગાડી મળી આવતા પોલીસે આરંભી હતી તપાસ   

સંતરામપુર તાલુકાના સરસણ આઉટ પોસ્ટના ગોધર ગમ નજીક આવેલા મેઈન રોડ પર એક ગાડી સગળેલી હાલતમાં જોવા મળી હતી. આ સળગેલી ગાડી ICICI બેન્કના મેનેજરની હોય તેવી માહિતી સામે આવી હતી. મેનેજર પોતાની સાથે કરોડો રૂપિયા લઈને નિકળ્યા હતા તેવી પણ વાત સામે આવી હતી. આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી તપાસ આરંભી હતી. સળગેલી ગાડીમાં મૃતદેહના કોઈ અવશેશો મળ્યા ન હતા. પોલીસે ગાડીની વિગતો ઉપરથી આ ગાડી મેનેજરની છે તેવી જાણકારી પ્રાપ્ત કરી લીધી અને મેનેજરને શોધવાની તજવીજ હાથ ધરી. મેનેજનર વિશાલ પાટીલ ક્યાં છે તેની જાણકારી પોલીસ પાસે ન હતી. 


અનેક કિલોમીટર દૂરથી મળી આવ્યો મેનેજરનો મૃતદેહ 

પોલીસે આ અંગે આગળ તપાસ હાથ ધરી અને આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે વિશાલ પોતાની સાથે એક કરોડથી વધુ રકમ લઈ દાહોહની બ્રાન્ચમાં જમા કરાવા જઈ રહ્યા હતા. ફોન નંબરના આધારે બેન્ક મેનેજરને શોધવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી. પોલીસે ફોનને ટ્રેક કર્યો. અને ઘટના સ્થળથી અનેક કિલોમીટર દૂર બેન્ક મેનેજરનો ફોન ટ્રેક થયો. આ બાદ પોલીસ ત્યાં પહોંચી તો ફોનની સાથે મેનેજર વિશાલનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.  

(આરોપીનો ફોટો)

આરોપીએ મેનેજરને મારી હતી ગોળી!

પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઘટનામાં મહત્વની વાત એ છે કે બેન્ક મેનેજરનું મોત ગોળી મારીને કરવામાં આવ્યું છે. પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢ્યો છે અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. મહીસાગર પોલીસે આરોપી પાસેથી દેશી કટ્ટા સહિત કેશ પર રિકવર કરી લીધી છે. પોલીસ આ મામલે આરોપીની પૂછપરછ કરી રહી છે અને એવી પણ માહિતી સામે આવી છે કે આરોપીની ધરપકડ કરી લેવામાં  આવી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.