Mahisagar : ગાડીમાં કેશ લઈને નિકળેલા ICICI બેન્કના મેનેજરની કરાઈ હત્યા! ગાડી સળગાવી અને પછી ગોળી મારી, કિલોમીટર દૂરથી મળ્યો મૃતદેહ


  • Published By :
  • Published Date : 2023-10-05 10:45:14

મહીસાગરના સંતરામપુરથી જે ઘટના સામે આવી છે તે હચમચાવી દે તેવી છે. ગઈકાલે લુણાવાડા સંતરામપુર રોડ ઉપર એક ગાડી બળેલી હાલતમાં મળી આવી હતી. સળગેલી ગાડીની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસે આવીને તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે આ ગાડી આઈસીઆઈસીઆઈ બેન્ક મેનેજર વિશાલ પાટીલની છે.  બાલાસિનોરના ICICI બેંકના મેનેજર વિશાલ પાટીલ પોતાની સાથે 1.18 કરોડ રૂપિયા લઈને કારમાં નીકળ્યા હતા. ગાડીમાં ન તો કેશના અવશેશો મળ્યા ન તો મૃતદેહના. આ મામલે પોલીસે મેનેજરના મૃતદેહને શોધવાની તજવીજ હાથ ધરી. મેનેજરની લાશ ઘટના સ્થળથી 20 કિમી દૂર ડાયાપુર ગામેથી મળી આવી. ગોળી મારીને મેનેજરની હત્યા કરવામાં આવી છે. 



સળગેલી હાલતમાં ગાડી મળી આવતા પોલીસે આરંભી હતી તપાસ   

સંતરામપુર તાલુકાના સરસણ આઉટ પોસ્ટના ગોધર ગમ નજીક આવેલા મેઈન રોડ પર એક ગાડી સગળેલી હાલતમાં જોવા મળી હતી. આ સળગેલી ગાડી ICICI બેન્કના મેનેજરની હોય તેવી માહિતી સામે આવી હતી. મેનેજર પોતાની સાથે કરોડો રૂપિયા લઈને નિકળ્યા હતા તેવી પણ વાત સામે આવી હતી. આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી તપાસ આરંભી હતી. સળગેલી ગાડીમાં મૃતદેહના કોઈ અવશેશો મળ્યા ન હતા. પોલીસે ગાડીની વિગતો ઉપરથી આ ગાડી મેનેજરની છે તેવી જાણકારી પ્રાપ્ત કરી લીધી અને મેનેજરને શોધવાની તજવીજ હાથ ધરી. મેનેજનર વિશાલ પાટીલ ક્યાં છે તેની જાણકારી પોલીસ પાસે ન હતી. 


અનેક કિલોમીટર દૂરથી મળી આવ્યો મેનેજરનો મૃતદેહ 

પોલીસે આ અંગે આગળ તપાસ હાથ ધરી અને આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે વિશાલ પોતાની સાથે એક કરોડથી વધુ રકમ લઈ દાહોહની બ્રાન્ચમાં જમા કરાવા જઈ રહ્યા હતા. ફોન નંબરના આધારે બેન્ક મેનેજરને શોધવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી. પોલીસે ફોનને ટ્રેક કર્યો. અને ઘટના સ્થળથી અનેક કિલોમીટર દૂર બેન્ક મેનેજરનો ફોન ટ્રેક થયો. આ બાદ પોલીસ ત્યાં પહોંચી તો ફોનની સાથે મેનેજર વિશાલનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.  

(આરોપીનો ફોટો)

આરોપીએ મેનેજરને મારી હતી ગોળી!

પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઘટનામાં મહત્વની વાત એ છે કે બેન્ક મેનેજરનું મોત ગોળી મારીને કરવામાં આવ્યું છે. પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢ્યો છે અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. મહીસાગર પોલીસે આરોપી પાસેથી દેશી કટ્ટા સહિત કેશ પર રિકવર કરી લીધી છે. પોલીસ આ મામલે આરોપીની પૂછપરછ કરી રહી છે અને એવી પણ માહિતી સામે આવી છે કે આરોપીની ધરપકડ કરી લેવામાં  આવી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી