ભારતનું કફ સિરપ બાળકોના મૃત્યુનું કારણ નથી બન્યું? ગામ્બિયા સરકારે કરી સ્પષ્ટતા


  • Published By :
  • Published Date : 2022-11-02 21:40:30


ભારતીય ફાર્મા કંપનીના કફ સિરપથી 66 બાળકોના મોત થયા તે મુદ્દે ગામ્બિયાની મેડિસિન્સ કંટ્રોલ એજન્સીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ભારતીય કંપનીના કફ સિરપથી બાળકોના મોત થયા હોવાની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. આ પછી મેઇડન ફાર્માએ પણ નિવેદન જાહેર કર્યું છે.


ભારતીય કંપની મેઇડન ફાર્માએ નિવેદન જારી કર્યું


મેઇડન ફાર્માએ પણ એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે ધ ગામ્બિયાએ હજુ સુધી બાળકોના મૃત્યુનું કારણ શું હતું તેની પુષ્ટિ કરી નથી. WHO દ્વારા મેઇડન ફાર્મા કંપનીના ત્રણ કફ સિરપ અંગે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ જ કંપનીના કફ સિરપને કારણે ગામ્બિયામાં 66 બાળકોના મોત થયા હતા. જોકે, હવે ગામ્બિયાની મેડિસિન્સ કંટ્રોલ એજન્સીએ કહ્યું છે કે કફ સિરપથી બાળકોમાં કિડનીને નુકસાન થયું હોવાની પુષ્ટિ થઈ નથી. 


મેઇડન ફાર્માએ ઘણી બધી બાબતો જણાવી છે. કંપનીએ કહ્યું કે તે સ્થાનિક બજારમાં કંઈ પણ વેચી રહી નથી. આ સિવાય તે તેનો કાચો માલ પ્રમાણિત અને પ્રતિષ્ઠિત કંપનીઓ પાસેથી જ ખરીદે છે. કંપનીએ કહ્યું કે સીડીએસસીઓના અધિકારીઓએ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને ટેસ્ટ માટે દવાઓના સેમ્પલ એકત્ર કર્યા હતા. કંપની તપાસના રિપોર્ટની રાહ જોઈ રહી છે.


સમગ્ર મામલો શું હતો 


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ હતું કે, તે મેડ ઇન ઇન્ડિયા કફ સીરપની તપાસ કરી રહ્યુ છે. આ કફ સીરપ પીવાથી ગામ્બિયામાં 66 બાળકોના મોત નીપજ્યા છે. એવું કહેવાઈ રહ્યુ છે કે, ભારતની મેડેન ફાર્માસ્યૂટિકલ્સ કંપનીએ ચાર કફ એન્ડ કોલ્ડ સીરપ બનાવ્યા હતા. તેનાથી જ આ મોત થઈ છે.WHOએ ટ્વીટ કર્યુ હતુ કે, WHOએ મેડિકલ પ્રોડક્ટને લઈને એલર્ટ જાહેર કર્યુ હતું. આ એલર્ટ ગામ્બિયામાંથી મળેલી 4 દૂષિત દવાઓને લઈને જાહેર કરવામાં આવ્યું હતુ. તેનો સંબંધ કિડનીની ગંભીર બીમારી અને 66 બાળકોના મોત સાથે હોય. યુવાન જીવનું મોત થું તે તેમના પરિવાર પર આભ ફાટ્યાં જેવું છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે