BREAKING:નોઇડામાં મોટો અકસ્માત: 4ના મોત, 9 લોકોને બચાવાયા, ગટરને અડીને આવેલી બાઉન્ડ્રી વોલ ધરાશાયી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 11:47:04

નોઈડાની દિવાલ ધરાશાયી નોઈડાના સેક્ટર-21માં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. અહીં નાળાને અડીને આવેલી બાઉન્ડ્રી વોલ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.

નોઈડામાં મોટી દુર્ઘટના: ગટરની બાઉન્ડ્રી વોલ ધરાશાયી થતાં 4નાં મોત

નોઈડાના સેક્ટર-20 કોતવાલી વિસ્તારના સેક્ટર-21માં બાઉન્ડ્રી વોલ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાના અહેવાલ 

માહિતી મળતા પોલીસ પહોંચી અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું. અત્યાર સુધીમાં 9 લોકોને બચાવી લેવાયા છે. સ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. 

ઘટના ત્યારે બની જ્યારે બાઉન્ડ્રી વોલનું સમારકામ ચાલી રહ્યું હતું. બે લોકોના કૈલાશ હોસ્પિટલમાં અને બે લોકોના જિલ્લા હોસ્પિટલમાં મોત થયા હતા.

જિલ્લા મેજીસ્ટ્રેટ ઘટના સ્થળે પહોંચી ગયા હતા

જાગરણ

દુર્ઘટનાની માહિતી મળતાં જ ગૌતમ બુદ્ધ નગર જિલ્લા મેજિસ્ટ્રેટ સુહાસ એલવાય, એડીસીપી આશુતોષ દ્વિવેદી, જોઈન્ટ પોલીસ કમિશનર લવ કુમાર અને ડીસીપી હરીશ ચંદર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 

કાટમાળ હટાવવા માટે 4 જેસીબી તૈનાત

જાગરણ

આ ઘટના મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી. કાટમાળ હટાવવા માટે ચાર જેસીબી મશીન મુકવામાં આવ્યા છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી