સરકાર સામે વધુ એક આંદોલન, માલધારીઓ અમદાવાદમાં યોજશે મહારેલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 16:19:43

ગુજરાતમાં રખડતા ઢોરનો પ્રશ્ન આજકાલ ખુબ ચર્ચામાં છે. ગુજરાત હાઈકોર્ટે પણ આ મુદ્દે કડક વલણ અખત્યાર કર્યું છે.  હવે જ્યારે એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સરકાર માટે માલધારી સમાજને પોતાના પડખે રાખવો અનિવાર્ય બન્યું છે. જો કે રાજ્ય સરકાર દ્વારા રોડ પર રખડતા પશુઓને પકડીને પશુઓને ઢોરવાડામાં મોકલવામાં આવી રહ્યા છે. સરકારના આ પગલાથી માલધારી સમાજમાં ઉગ્ર અસંતોષ છે. સરકારની આ કામગીરી સામે માલધારી મહાપંચાયત આવતીકાલે 2 સપ્ટેમ્બરના દિવસે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરશે.


કાલે અમદાવાદમાં માલધારી વેદના રેલી


માલધારી સમાજની વેદના રેલી કાલે શુક્રવારે 11 વાગ્યે બાપુનગરના ભીડભંજન હનુમાન મંદિરથી પ્રસ્થાન કરશે અને ભદ્રકાલી મંદિર  પહોંચશે. માલધારી મહા પંચાયતના નેજા હેઠળ યોજાનારી આ વિશાળ રેલીમાં રબારી,ભરવાડ સહિતના બે હજારથી પણ વધુ લોકો ભાગ લે છે. રેલી માટે પોલીસ મંજુરી પણ મળી ગઈ છે. સરકાર સમક્ષ પોતાની વેદના દર્શાવવા માટે આ રેલી શાંત માહોલમાં યોજાશે. 



માલધારીઓની માંગણી શું છે?


માલધારી મહા પંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જમાવટ સાથે વાત કરી માલધારીઓની સમસ્યા વર્ણવી હતી. માલધારીઓની સૌથી મોટી ચિંતા અમદાવાદની આસપાસના ગામડાઓને પણ શહેરમાં સમાવવાનો છે. લાંભા, પીપળજ,નિકોલ, રામોલ, વસ્ત્રાલ, સિંગરવા, ઓઠવ, કઠવાડા,બિલાસિયા,ચિલોડા, ગોતા, સહિતના 37 ગામડાઓનો સમાવેશ શહેરમાં થતાં પશુપાલન દ્વારા પેટીયું રળતા આ ગામડાના માલધારીઓ પશુપાલન કરી શકશે નહીં. ગામડાઓનો શહેરમાં ભેળવવાનો પણ માલધારીઓ રેલીમાં વિરોધ કરશે. માલધારીઓ માટે અલગ વસાહતો, માલધારીઓ પર ખોટા પોલીસ કેસ પાછા ખેંચવા, ગૌચરોની જમીનો ગળી જવાનો કાળો કાયદો રદ્દ કરવા સહિતની  માલધારીઓની માગણી છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.