માલધારીઓ લડતના માર્ગે, 11 મુદ્દાની માંગણી સાથે દુધ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 15:17:14

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કર્મચારી સંગઠનોની સાથે-સાથે વિવિધ જાતિ સંગઠનોએ પણ સરકારની ચિંતા વધારી છે. માલધારી સમાજે વિવિધ માગણીઓને લઈને 21મી સપ્ટેમ્બરે ગુજરાતમાં દુધ હડતાળની જાહેરાત કરી છે. સમાજે જાહેર કર્યું છે કે એ દિવસે કોઈ માલધારી ડેરીમાં કે કોઈના ઘરે દૂધ આપવા નહીં જાય. માલધારી સમાજનું માનવું છે કે ગુજરાત સરકારે માલધારી સમાજ પર ધ્યાન આપ્યું નથી.


માલધારી મહાપંચાયત હવે લડી લેવાના મૂડમાં


માલધારી સમાજનાં વિવિધ પ્રશ્નો અંગે ગુજરાત સરકાર કોઈ નક્કર પરિણામ લાવી શકી નથી. આ કારણે ગુજરાત માલધારી મહાપંચાયત હવે લડી લેવાના મૂડમાં છે. ગુજરાત માલધારી મહાપંચાયતનાં પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું કે  માલધારીઓની ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. તેમજ નિર્દોષ રાહદારીઓને નાના મોટા અકસ્માતોનો ભોગ બનવું પડે છે. ગુજરાત સરકાર ગુજરાત હાઈકોર્ટમાં ખોટા એફીડેવીટો કરીને ગુજરાત હાઈકોર્ટને ગેરમાર્ગે દોરે છે. દિન પ્રતિદીન ગામડાઓને શહેરોમાં ભેળવીને પશુપાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોને પાયમાલ કરવાનું બીલ ઢોર અંકુશ નિયંત્રણ ગુજરાત વિધાનસભામાં લાવવામાં આવ્યું. આ બીલ પ્રજાનાં હિત માટે નહીં પરંતુ 8 મહાનગર પાલિકા અને 156 નગરપાલિકાની ગૌચરની સરકારી પડતર જમીન માનીતા ઉદ્યોગપતિઓને હેતુફેર કરીને જમીનો પધરાવી દેવાનું આ બીલ છે. તેમજ કુલ 11 મુદ્દાઓ માલધારીઓએ માંગણી સાથે ગુજરાત સરકારને આપ્યું છે.


21મીએ એક દિવસની દુધની હડતાળ 


માલધારી સમાજે આકરૂ વલણ અપનાવતા 21મીએ ગુજરાતભરની દુધ ડેરીઓમાં તેમજ ઘરે ઘરે દુધ આપવા નહીં જાય તેવી એક દિવસની દુધની હડતાળ જાહેર કરી છે. સાથે સાથે સમગ્ર માલધારી સમાજને સુચના આપવામાં આવી છે કે દુધનાં ખાનગી વાહનોને કનડગત કે નુકશાન ન થાય તે પણ કાળજી લેવી. સામાન્ય પ્રજાને પણ કોઈક પ્રકારે હેરાનગતિ ન થાય તેની કાળજી લેવા સુચના આપવામાં આવી છે. માલધારીઓએ સરકારને પણ વિનંતી કરી છે કે માલધારીઓ સાથે દુધ બાબતે કોઈપણ પ્રકારની બળજબરી કરવામાં ન આવે. 22મીએ સમગ્ર ગુજરાતનાં માલધારીઓ ગોળનાં લાડુ બનાવીને ગાયોને ખવડાવશે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"