Chandrayaan-3ની સફળતા બાદ Mallika Sarabhaiએ યાદ કર્યા Vikram Sarabhaiને જેમણે ISROની કરી હતી સ્થાપના


  • Published By :
  • Published Date : 2023-08-24 13:21:54

ગઈકાલથી દરેક ભારતીઓમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ, અલગ પ્રકારનો ગર્વ જોવા મળી રહ્યો છે. ચંદ્રની સપાટી પર જ્યારે ચંદ્રયાન-3એ લેન્ડ કર્યું તે ઐતિહાસિક ક્ષણના સાક્ષી લગભગ દરેક લોકો બન્યા છે. જ્યારે ચંદ્રયાન લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે સમગ્ર વિશ્વની નજર ભારત પર હતી. છેલ્લી મિનીટો એવી હતી જ્યારે દરેક ભારતીયોના ધબક્કારા વધી ગયા હતા. ત્યારે ઈસરોની સફળતાના વખાણ દરેક જગ્યાએ થઈ રહ્યા છે. ચંદ્રયાન-3ની ટીમને પણ સો સો સલામ છે જેમણે ભારતનો ડંકો સમગ્ર વિશ્વમાં વગાડ્યો છે. 

Image

આપણે ભૂલી ગયા એ વૈજ્ઞાનિકને જેમણે નાખ્યો હતો ઈસરોનો પાયો 

ઈસરોના વખાણ દરેક જગ્યાએ થઈ રહ્યા છે. ઈસરોની વાત તો દરેક જગ્યાઓ પર થઈ રહી છે પરંતુ આપણે એ વૈજ્ઞાનિકને ભૂલી ગયા જેમણે ઈસરોની સ્થાપના કરી હતી એવા વૈજ્ઞાનિક જેમણે ભારતને સ્પેસ સાયન્સમાં અલગ ઓળખ આપી. ભારતીયો પણ ચંદ્ર કે મંગળ પર જઈ શકે છે તેવો આત્મવિશ્વાસ જગાડ્યો. અમે વાત કરી રહ્યા છીએ વિક્રમ સારાભાઈ. વિક્રમ સારાભાઈ વૈજ્ઞાનિક તો હતા જ પરંતુ સ્પેસ સાયન્સમાં ભારત કેવી રીતે આગળ વધે તેવું વિચારનાર એક સ્વપ્નદ્રષ્ટા પણ હતા. સ્પેસ સાયન્સ આગામી વર્ષોમાં કેવું હશે તેની કલ્પના કરી લીધી હતી. 

Image

સ્પેસ સાયન્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવા કરાઈ હતી ઈસરોની સ્થાપના   

તેમની દિર્ધદ્રષ્ટ્રિ અને ભારતને અવકાશક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે ઈસરોની સ્થાપના કરી હતી. તેમની વિચારસરણીને કારણે ભારતમાં ઈસરોની શરૂઆત થઈ. ભારત અવકાશ સંશોધન ક્ષેત્રે પણ આત્મનિર્ભર બને, સ્પેસ સાયન્સમાં ભારતનો પણ ડંકો વાગે તે માટે તેમણે ઘણા વર્ષો પહેલા પાયો નાખ્યો. ઈસરો આજે એવા મુકામે પહોંચી ગયું છે કે એ એવી જગ્યા પર પોતાના યાન પહોંચાડી શકે છે જ્યાં આજ સુધી કોઈ નથી પહોંચ્યું. ચંદ્રયાન-3એ એવી જગ્યા પર લેન્ડ કર્યું છે જ્યાં કોઈએ આજદિન સુધી જવાનું વિચાર્યું પણ ન હતું.        


દર્પણ એકેડમીમાં પણ ચાલતું હતું લાઈવ ટેલિકાસ્ટ

ચંદ્રયાન-3નું લેન્ડિંગ થઈ ગયું, દરેક જગ્યાઓ પર સેલિબ્રેશન પણ થઈ ગયું.. અનેક જગ્યાઓ પર આ લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ બતાવવામાં આવતું હતું. એક લાઈવ ટેલિકાસ્ટ વિક્રમ સારાભાઈની દીકરીની એકેડમીમાં પણ બતાવવામાં આવતું હતું. એક પુત્રી માટે સૌથી આનંદદાયી ક્ષણ એ હોય છે જ્યારે તેના પિતાનું સપનું સાકાર થાય છે. એ ક્ષણ પુત્રી માટે એવી હોય છે જ્યારે આંખોમાં આનંદના આંસુ આવી જતા હોય.


મલ્લિકા સારાભાઈ પિતાને યાદ કરી થયા ભાવુક 

જ્યારે ચંદ્રયાન-3 અભિયાન સફળ થયું. ચંદ્રની સપાટી પર ચંદ્રયાનને સોફ્ટ લેન્ડિંગ કર્યું તે વખતે મલ્લિકા સારાભાઈની આંખોમાં પણ એવી લાગણી જોવા મળી હતી. તેમની આંખો આનંદથી છલકાઈ આવી હતી. બોલતા બોલતા તે ભાવુક થઈ ગયા હતા. અભિયાનને યાદ કરતા કરતા તેમને પોતાના પિતાની પણ યાદ આવી ગઈ. પિતાની દિર્ધદ્રષ્ટીને યાદ કરી તેમણે વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો જે ડો. વિક્રમ સારાભાઈના વિઝન પર છેલ્લા 50 વર્ષથી કામ કરી રહ્યા હતા.     



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.