છત્તીશગઢમાં પ્રેમીએ શોલેવાળી કરી, પ્રેમિકા સાથે ઝઘડો થતા પાણીની ટાંકી પર ચઢીને કર્યો હાઈવોલ્ટેજ ડ્રામા


  • Published By :
  • Published Date : 2023-05-31 22:01:53

છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં એક પરિણીત પ્રેમી 75 ફિટ ઉંચી પાણીની ટાંકી પર ચઢી ગયો હતો. સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો છે, સુરગુજા જિલ્લાના બતૌલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મૂળ વાત એ છે કે એક યુવક પાણીની ટાંકી પર ચઢી ગયો હતો અને તેની ગર્લફ્રેન્ડને બોલાવવાની જીદ કરવા લાગ્યો હતો. પાગલ પ્રેમીએ લગભગ 3 કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હતો. જ્યારે ગ્રામજનોએ યુવકને પાણીની ટાંકી પર ચડતો જોયો તો તેને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેણે નીચે ઉતરવાની ના પાડી તો તેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી.


સમગ્ર મામલો શું હતો?


ગોવિંદપુરમાં રહેતા શ્યામલાલ કોરવા (25) પરિણીત છે. પરંતુ તેને અન્ય યુવતી સાથે પણ પ્રેમ સંબંધ છે. આ કારણે યુવક તેની સાથે રહેવા માંગતો હતો, પરંતુ યુવતીએ તેની સાથે જવાની ના પાડી દીધી હતી. દરમિયાન સોમવારે તે પહર ચિરગન ગામ પહોંચ્યો અને એક ટાંકી પાસે પહોંચીને બુમો પાડવા લાગ્યો હતો અને કહ્યું- તું મારી વાત નથી સાંભળી રહી એટલે હું આજે જ મરી જઈશ. તે ચીસો પાડતો પાણીની ટાંકી પર ચડી ગયો. ટાંકી પર ચઢ્યા પછી પણ તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું. કહ્યું- ઠીક છે તું મારી વાત ન સાંભળે હું કૂદી રહ્યો છું.


પોલીસે યુવતીને શોધી કાઢી 


પોલીસ કર્મચારીઓએ યુવકને પાણીની ટાંકી પરથી ઉતરવી માટે ખૂબ સમજાવ્યો હતો. જ્યારે પોલીસને લાગ્યું કે યુવક ટાંકી પરથી કૂદીને આત્મહત્યા કરી શકે છે, ત્યારે પોલીસકર્મીઓએ જાતે જ તે યુવકની પ્રેમિકા વિશે માહિતી એકઠી કરી હતી. પોલીસ ટીમના લોકોએ ગ્રામજનોની મદદથી યુવતીને સ્થળ પર બોલાવી હતી. યુવતીએ યુવકને નીચે ઉતરવાનો ઈશારો કર્યો હતો. જે બાદ યુવક પાણીની ટાંકી પરથી નીચે ઉતર્યો હતો. જો કે આ દરમિયાન લગભગ ત્રણ કલાક સુધી હોબાળો ચાલુ રહ્યો હતો.


પોલીસે કેસ ન નોંધ્યો 


આ મામલાની માહિતી આપતા બતૌલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે કહ્યું કે આ ઘટના સોમવારે બની હતી. સ્થાનિક લોકો પાસેથી માહિતી મળી હતી કે એક યુવક પાણીની ટાંકી પર ચઢ્યો હતો. જે બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ કર્મચારીઓએ તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે આ મામલે યુવક વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે યુવક પાડોશી ગામની યુવતી સાથેના પ્રેમને કારણે પાણીની ટાંકી પર ચડી ગયો હતો.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.