છત્તીશગઢમાં પ્રેમીએ શોલેવાળી કરી, પ્રેમિકા સાથે ઝઘડો થતા પાણીની ટાંકી પર ચઢીને કર્યો હાઈવોલ્ટેજ ડ્રામા


  • Published By :
  • Published Date : 2023-05-31 22:01:53

છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં એક પરિણીત પ્રેમી 75 ફિટ ઉંચી પાણીની ટાંકી પર ચઢી ગયો હતો. સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો છે, સુરગુજા જિલ્લાના બતૌલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મૂળ વાત એ છે કે એક યુવક પાણીની ટાંકી પર ચઢી ગયો હતો અને તેની ગર્લફ્રેન્ડને બોલાવવાની જીદ કરવા લાગ્યો હતો. પાગલ પ્રેમીએ લગભગ 3 કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હતો. જ્યારે ગ્રામજનોએ યુવકને પાણીની ટાંકી પર ચડતો જોયો તો તેને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેણે નીચે ઉતરવાની ના પાડી તો તેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી.


સમગ્ર મામલો શું હતો?


ગોવિંદપુરમાં રહેતા શ્યામલાલ કોરવા (25) પરિણીત છે. પરંતુ તેને અન્ય યુવતી સાથે પણ પ્રેમ સંબંધ છે. આ કારણે યુવક તેની સાથે રહેવા માંગતો હતો, પરંતુ યુવતીએ તેની સાથે જવાની ના પાડી દીધી હતી. દરમિયાન સોમવારે તે પહર ચિરગન ગામ પહોંચ્યો અને એક ટાંકી પાસે પહોંચીને બુમો પાડવા લાગ્યો હતો અને કહ્યું- તું મારી વાત નથી સાંભળી રહી એટલે હું આજે જ મરી જઈશ. તે ચીસો પાડતો પાણીની ટાંકી પર ચડી ગયો. ટાંકી પર ચઢ્યા પછી પણ તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું. કહ્યું- ઠીક છે તું મારી વાત ન સાંભળે હું કૂદી રહ્યો છું.


પોલીસે યુવતીને શોધી કાઢી 


પોલીસ કર્મચારીઓએ યુવકને પાણીની ટાંકી પરથી ઉતરવી માટે ખૂબ સમજાવ્યો હતો. જ્યારે પોલીસને લાગ્યું કે યુવક ટાંકી પરથી કૂદીને આત્મહત્યા કરી શકે છે, ત્યારે પોલીસકર્મીઓએ જાતે જ તે યુવકની પ્રેમિકા વિશે માહિતી એકઠી કરી હતી. પોલીસ ટીમના લોકોએ ગ્રામજનોની મદદથી યુવતીને સ્થળ પર બોલાવી હતી. યુવતીએ યુવકને નીચે ઉતરવાનો ઈશારો કર્યો હતો. જે બાદ યુવક પાણીની ટાંકી પરથી નીચે ઉતર્યો હતો. જો કે આ દરમિયાન લગભગ ત્રણ કલાક સુધી હોબાળો ચાલુ રહ્યો હતો.


પોલીસે કેસ ન નોંધ્યો 


આ મામલાની માહિતી આપતા બતૌલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે કહ્યું કે આ ઘટના સોમવારે બની હતી. સ્થાનિક લોકો પાસેથી માહિતી મળી હતી કે એક યુવક પાણીની ટાંકી પર ચઢ્યો હતો. જે બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ કર્મચારીઓએ તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે આ મામલે યુવક વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે યુવક પાડોશી ગામની યુવતી સાથેના પ્રેમને કારણે પાણીની ટાંકી પર ચડી ગયો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.