છત્તીશગઢમાં પ્રેમીએ શોલેવાળી કરી, પ્રેમિકા સાથે ઝઘડો થતા પાણીની ટાંકી પર ચઢીને કર્યો હાઈવોલ્ટેજ ડ્રામા


  • Published By :
  • Published Date : 2023-05-31 22:01:53

છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં એક પરિણીત પ્રેમી 75 ફિટ ઉંચી પાણીની ટાંકી પર ચઢી ગયો હતો. સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો છે, સુરગુજા જિલ્લાના બતૌલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મૂળ વાત એ છે કે એક યુવક પાણીની ટાંકી પર ચઢી ગયો હતો અને તેની ગર્લફ્રેન્ડને બોલાવવાની જીદ કરવા લાગ્યો હતો. પાગલ પ્રેમીએ લગભગ 3 કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હતો. જ્યારે ગ્રામજનોએ યુવકને પાણીની ટાંકી પર ચડતો જોયો તો તેને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેણે નીચે ઉતરવાની ના પાડી તો તેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી.


સમગ્ર મામલો શું હતો?


ગોવિંદપુરમાં રહેતા શ્યામલાલ કોરવા (25) પરિણીત છે. પરંતુ તેને અન્ય યુવતી સાથે પણ પ્રેમ સંબંધ છે. આ કારણે યુવક તેની સાથે રહેવા માંગતો હતો, પરંતુ યુવતીએ તેની સાથે જવાની ના પાડી દીધી હતી. દરમિયાન સોમવારે તે પહર ચિરગન ગામ પહોંચ્યો અને એક ટાંકી પાસે પહોંચીને બુમો પાડવા લાગ્યો હતો અને કહ્યું- તું મારી વાત નથી સાંભળી રહી એટલે હું આજે જ મરી જઈશ. તે ચીસો પાડતો પાણીની ટાંકી પર ચડી ગયો. ટાંકી પર ચઢ્યા પછી પણ તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું. કહ્યું- ઠીક છે તું મારી વાત ન સાંભળે હું કૂદી રહ્યો છું.


પોલીસે યુવતીને શોધી કાઢી 


પોલીસ કર્મચારીઓએ યુવકને પાણીની ટાંકી પરથી ઉતરવી માટે ખૂબ સમજાવ્યો હતો. જ્યારે પોલીસને લાગ્યું કે યુવક ટાંકી પરથી કૂદીને આત્મહત્યા કરી શકે છે, ત્યારે પોલીસકર્મીઓએ જાતે જ તે યુવકની પ્રેમિકા વિશે માહિતી એકઠી કરી હતી. પોલીસ ટીમના લોકોએ ગ્રામજનોની મદદથી યુવતીને સ્થળ પર બોલાવી હતી. યુવતીએ યુવકને નીચે ઉતરવાનો ઈશારો કર્યો હતો. જે બાદ યુવક પાણીની ટાંકી પરથી નીચે ઉતર્યો હતો. જો કે આ દરમિયાન લગભગ ત્રણ કલાક સુધી હોબાળો ચાલુ રહ્યો હતો.


પોલીસે કેસ ન નોંધ્યો 


આ મામલાની માહિતી આપતા બતૌલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે કહ્યું કે આ ઘટના સોમવારે બની હતી. સ્થાનિક લોકો પાસેથી માહિતી મળી હતી કે એક યુવક પાણીની ટાંકી પર ચઢ્યો હતો. જે બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ કર્મચારીઓએ તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે આ મામલે યુવક વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે યુવક પાડોશી ગામની યુવતી સાથેના પ્રેમને કારણે પાણીની ટાંકી પર ચડી ગયો હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.