લોહીથી બનાવેલુ પેઈન્ટિંગ ગિફ્ટમાં મળ્યું તો સોનું સૂદે કહ્યું આવું ન કરાય ભાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 15:30:56

કોરોના કાળમાં બોલિવુડ એક્ટર સોનૂ સુદ અનેક લોકોની મદદે આવ્યા હતા. ગરીબો, જરૂરિયાત લોકો, પરપ્રાંતિયો તેમજ બેસહારા લોકો માટે તેઓ મસીહા બન્યા હતા. પોતાના સેવાકીય કાર્યને લઈ સુદને ચાહનારાઓની સંખ્યા લાખોએ પહોંચી છે. સોનૂ સુદને ફેન્સ ગિફટ મોકલતા રહે છે. ત્યારે આ વખતે તેના ચાહકે કલરથી નહીં પરંતુ લોહીથી બનાવેલું પેન્ટિંગ ગિફ્ટ કર્યું છે.જેને લઈ સોનૂ સુદે આવું ન કરી લોહીદાન કરવાની સલાહ આપી છે.

કોરોના કાળમાં મસિહા બન્યા હતા સોનૂ 

અનેક લોકો કોરોના કાળ દરમિયાન ફસાઈ ગયા હતા. ત્યારે જરૂયિયાત લોકોને સોનુ સૂદે મદદ કરી હતી. પરપ્રાતિંય લોકો માટે બસની વ્યવસ્થા હોય કે ભોજનની હોય બધી વ્યવસ્થા સોનૂએ કરી હતી. પોતાના સેવાકીય કામને કારણે અનેક લોકોના દિલમાં સોનૂ સુદે જગ્યા બનાવી છે.

લોહીથી બનાવેલી પેન્ટિંગ કરી ગિફ્ટ

અનેક વખત સુદને ગિફ્ટમાં પોતાના સ્કેચ મળતા હોય છે. આ વખતે ગિફ્ટમાં સ્કેચ જ મળ્યો પરંતુ બનાવનારે કલરને બદલે લોહીનો ઉપયોગ કર્યો છે. જેને લઈ સોનૂ સુદે લોહી દાન કરવાની સલાહ આપી છે.

ચાહકો સાથે રહે છે જોડાયેલા

સોનૂ સુદને પોતાના ફેન્સ સાથે જોડાઈ રહેવાનું વધારે પસંદ છે. જેને કારણે સોશિયલ મીડિયામાં તેઓ ઘણા એક્ટિવ છે. તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ફેનનો વિડીયો રિ-ટ્વિટ કર્યો છે. ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવવાળા સોનૂ સુદ કોરોના કાળ દરમિયાન કામગીરી કરી હીરો બની ગયા હતા. બસ ઉપરાંત ઓક્સિજન તેમજ રેમડિસિવીર દવાની પણ તેમણે વ્યવસ્થા કરી આપી હતી.

રિયલ લાઈફમાં છે હીરો

ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવવાળા સોનૂ સુદ કોરોના કાળ દરમિયાન કામગીરી કરી હીરો બની ગયા હતા. બસ ઉપરાંત ઓક્સિજન તેમજ રેમડિસિવીર દવાની પણ વ્યવસ્થા કરી આપી હતી.



સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...

લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

આજે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે.. ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટની સાથે સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ આવ્યું છે.