લોહીથી બનાવેલુ પેઈન્ટિંગ ગિફ્ટમાં મળ્યું તો સોનું સૂદે કહ્યું આવું ન કરાય ભાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 15:30:56

કોરોના કાળમાં બોલિવુડ એક્ટર સોનૂ સુદ અનેક લોકોની મદદે આવ્યા હતા. ગરીબો, જરૂરિયાત લોકો, પરપ્રાંતિયો તેમજ બેસહારા લોકો માટે તેઓ મસીહા બન્યા હતા. પોતાના સેવાકીય કાર્યને લઈ સુદને ચાહનારાઓની સંખ્યા લાખોએ પહોંચી છે. સોનૂ સુદને ફેન્સ ગિફટ મોકલતા રહે છે. ત્યારે આ વખતે તેના ચાહકે કલરથી નહીં પરંતુ લોહીથી બનાવેલું પેન્ટિંગ ગિફ્ટ કર્યું છે.જેને લઈ સોનૂ સુદે આવું ન કરી લોહીદાન કરવાની સલાહ આપી છે.

કોરોના કાળમાં મસિહા બન્યા હતા સોનૂ 

અનેક લોકો કોરોના કાળ દરમિયાન ફસાઈ ગયા હતા. ત્યારે જરૂયિયાત લોકોને સોનુ સૂદે મદદ કરી હતી. પરપ્રાતિંય લોકો માટે બસની વ્યવસ્થા હોય કે ભોજનની હોય બધી વ્યવસ્થા સોનૂએ કરી હતી. પોતાના સેવાકીય કામને કારણે અનેક લોકોના દિલમાં સોનૂ સુદે જગ્યા બનાવી છે.

લોહીથી બનાવેલી પેન્ટિંગ કરી ગિફ્ટ

અનેક વખત સુદને ગિફ્ટમાં પોતાના સ્કેચ મળતા હોય છે. આ વખતે ગિફ્ટમાં સ્કેચ જ મળ્યો પરંતુ બનાવનારે કલરને બદલે લોહીનો ઉપયોગ કર્યો છે. જેને લઈ સોનૂ સુદે લોહી દાન કરવાની સલાહ આપી છે.

ચાહકો સાથે રહે છે જોડાયેલા

સોનૂ સુદને પોતાના ફેન્સ સાથે જોડાઈ રહેવાનું વધારે પસંદ છે. જેને કારણે સોશિયલ મીડિયામાં તેઓ ઘણા એક્ટિવ છે. તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ફેનનો વિડીયો રિ-ટ્વિટ કર્યો છે. ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવવાળા સોનૂ સુદ કોરોના કાળ દરમિયાન કામગીરી કરી હીરો બની ગયા હતા. બસ ઉપરાંત ઓક્સિજન તેમજ રેમડિસિવીર દવાની પણ તેમણે વ્યવસ્થા કરી આપી હતી.

રિયલ લાઈફમાં છે હીરો

ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવવાળા સોનૂ સુદ કોરોના કાળ દરમિયાન કામગીરી કરી હીરો બની ગયા હતા. બસ ઉપરાંત ઓક્સિજન તેમજ રેમડિસિવીર દવાની પણ વ્યવસ્થા કરી આપી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.