લોહીથી બનાવેલુ પેઈન્ટિંગ ગિફ્ટમાં મળ્યું તો સોનું સૂદે કહ્યું આવું ન કરાય ભાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 15:30:56

કોરોના કાળમાં બોલિવુડ એક્ટર સોનૂ સુદ અનેક લોકોની મદદે આવ્યા હતા. ગરીબો, જરૂરિયાત લોકો, પરપ્રાંતિયો તેમજ બેસહારા લોકો માટે તેઓ મસીહા બન્યા હતા. પોતાના સેવાકીય કાર્યને લઈ સુદને ચાહનારાઓની સંખ્યા લાખોએ પહોંચી છે. સોનૂ સુદને ફેન્સ ગિફટ મોકલતા રહે છે. ત્યારે આ વખતે તેના ચાહકે કલરથી નહીં પરંતુ લોહીથી બનાવેલું પેન્ટિંગ ગિફ્ટ કર્યું છે.જેને લઈ સોનૂ સુદે આવું ન કરી લોહીદાન કરવાની સલાહ આપી છે.

કોરોના કાળમાં મસિહા બન્યા હતા સોનૂ 

અનેક લોકો કોરોના કાળ દરમિયાન ફસાઈ ગયા હતા. ત્યારે જરૂયિયાત લોકોને સોનુ સૂદે મદદ કરી હતી. પરપ્રાતિંય લોકો માટે બસની વ્યવસ્થા હોય કે ભોજનની હોય બધી વ્યવસ્થા સોનૂએ કરી હતી. પોતાના સેવાકીય કામને કારણે અનેક લોકોના દિલમાં સોનૂ સુદે જગ્યા બનાવી છે.

લોહીથી બનાવેલી પેન્ટિંગ કરી ગિફ્ટ

અનેક વખત સુદને ગિફ્ટમાં પોતાના સ્કેચ મળતા હોય છે. આ વખતે ગિફ્ટમાં સ્કેચ જ મળ્યો પરંતુ બનાવનારે કલરને બદલે લોહીનો ઉપયોગ કર્યો છે. જેને લઈ સોનૂ સુદે લોહી દાન કરવાની સલાહ આપી છે.

ચાહકો સાથે રહે છે જોડાયેલા

સોનૂ સુદને પોતાના ફેન્સ સાથે જોડાઈ રહેવાનું વધારે પસંદ છે. જેને કારણે સોશિયલ મીડિયામાં તેઓ ઘણા એક્ટિવ છે. તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ફેનનો વિડીયો રિ-ટ્વિટ કર્યો છે. ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવવાળા સોનૂ સુદ કોરોના કાળ દરમિયાન કામગીરી કરી હીરો બની ગયા હતા. બસ ઉપરાંત ઓક્સિજન તેમજ રેમડિસિવીર દવાની પણ તેમણે વ્યવસ્થા કરી આપી હતી.

રિયલ લાઈફમાં છે હીરો

ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવવાળા સોનૂ સુદ કોરોના કાળ દરમિયાન કામગીરી કરી હીરો બની ગયા હતા. બસ ઉપરાંત ઓક્સિજન તેમજ રેમડિસિવીર દવાની પણ વ્યવસ્થા કરી આપી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી