યાર શિયાળો ક્યારે આવશે ? ,અમદાવાદમાં પવનની દિશા બદલાતા 36 ડિગ્રી તાપમાન થયું !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-04 12:15:52


બુધવારથી રાજ્યમાં  શરૂ થયેલાં ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનોથી અમદાવાદ સહિત 9 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર કરી ગયો છે. જેના કારણે બપોરે ગરમી અને સાંજ થતાં થોડી શીતળતાનો અનુભવ થાય . હજુ ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત હોવાથી ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. 

Gujarat Weather Report : રાજ્યમાં ગરમીમાં 2 ડીગ્રી જેટલો ઘટાડો નોંધાયો

ગુરુવારે અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડા પવનોનું જોર ઘટ્યું હતું. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.8 ડિગ્રી વધીને 36.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 0.5 ડિગ્રી વધીને 18.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. બફારાનો અનુભવ કર્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરો જેવાં કે, ડીસા, વલસાડ, કેશોદ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટમાં ગરમીનો પારો 36થી 37 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો, તેમજ ભુજ અને કંડલા એરપોર્ટ 38.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યાં હતા. અન્ય તમામ શહેરોમાં ગરમીનો પારો 31થી 35 ડિગ્રીની આસપાસ રહેતાં ગરમી અને બફારામાં વધારો થયો હતો. ત્રણ દિવસ રાજ્યમાં બપોરે ગરમી-બફારો તેમજ વહેલી સવાર-સાંજ ઠંડકને કારણે લોકોને ડબલ સિઝનનો અનુભવ થશે.એટલે હજુ થોડા દિવસ આવું વાતાવરણ રહવાની સંભાવના છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.