યાર શિયાળો ક્યારે આવશે ? ,અમદાવાદમાં પવનની દિશા બદલાતા 36 ડિગ્રી તાપમાન થયું !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-04 12:15:52


બુધવારથી રાજ્યમાં  શરૂ થયેલાં ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનોથી અમદાવાદ સહિત 9 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર કરી ગયો છે. જેના કારણે બપોરે ગરમી અને સાંજ થતાં થોડી શીતળતાનો અનુભવ થાય . હજુ ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત હોવાથી ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. 

Gujarat Weather Report : રાજ્યમાં ગરમીમાં 2 ડીગ્રી જેટલો ઘટાડો નોંધાયો

ગુરુવારે અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડા પવનોનું જોર ઘટ્યું હતું. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.8 ડિગ્રી વધીને 36.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 0.5 ડિગ્રી વધીને 18.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. બફારાનો અનુભવ કર્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરો જેવાં કે, ડીસા, વલસાડ, કેશોદ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટમાં ગરમીનો પારો 36થી 37 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો, તેમજ ભુજ અને કંડલા એરપોર્ટ 38.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યાં હતા. અન્ય તમામ શહેરોમાં ગરમીનો પારો 31થી 35 ડિગ્રીની આસપાસ રહેતાં ગરમી અને બફારામાં વધારો થયો હતો. ત્રણ દિવસ રાજ્યમાં બપોરે ગરમી-બફારો તેમજ વહેલી સવાર-સાંજ ઠંડકને કારણે લોકોને ડબલ સિઝનનો અનુભવ થશે.એટલે હજુ થોડા દિવસ આવું વાતાવરણ રહવાની સંભાવના છે. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"