ઠક્કરબાપા નગરની શાળામાંથી ગુમ થયેલો માનવ 40 કલાક બાદ મળ્યો, પરિવારજનોએ લીધો રાહતનો શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-01-22 15:05:55

અમદાવાદના ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર શાળાનો વિદ્યાર્થી માનવ અચાનક ગુમ થઈ ગયો હતો. 20 જાન્યુઆરીથી ગુમ થયેલો બાળક અંતે 40 કલાક બાદ મળી આવ્યો છે. કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી મળી આવ્યો હતો. 9માં ધોરણમાં ભણતો માનવ ગુમ થઈ જતા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી. 24 કલાક વિત્યા બાદ પણ માનવ ઘરે પરત ન આવતા પરિવારજનોએ શાળામાં જઈ હોબાળો કર્યો હતો. 

પરિવારને જાણ થતાં સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો હતો

માનવના માતા-પિતાએ શાળામાં કર્યો હતો હંગામો 

ઠક્કરબાપાની રઘુવીર શાળામાં ભણતો માનવ સ્કૂલમાંથી એકાએક ભાગી ગયો હતો. સ્કૂલમાંથી જતા રહ્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી. 24 કલાક વિત્યા બાદ પણ માનવ ઘરે ન આવતા અધિરા બનેલા પરિવારના સભ્યોએ શાળામાં હોબાળો કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.


કાલુપુર રેલવે સ્ટેશનથી મળી આવ્યો માનવ 

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ પોલીસ માનવની શોધખોળ કરી રહી હતી. અંદાજીત 40 કલાક બાદ માનવ કાલુપુર રેલ્વે સ્ટેશનથી મળી આવ્યો હતો. માનવ જ્યારે મળ્યો ત્યારે તે સ્કુલ યુનિફોર્મમાં ન હતો પરંતુ બદલાયેલા કપડામાં મળ્યો હતો. કપડા બદલાયેલા હતા તે અનેક સવાલો ઉભી કરી રહ્યું છે. મોડી રાત્રે બાળક સ્ટેશન પરથી મળી આવતા માતા પિતાને બાળક સોંપવામાં આવ્યું છે. સુરક્ષિત હાલતમાં બાળક મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ શાળામાંથી માનવ શા માટે ભાગી ગયો હતો તે કારણ હજી પણ અકબંધ છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.