ઠક્કરબાપા નગરની શાળામાંથી ગુમ થયેલો માનવ 40 કલાક બાદ મળ્યો, પરિવારજનોએ લીધો રાહતનો શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-01-22 15:05:55

અમદાવાદના ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર શાળાનો વિદ્યાર્થી માનવ અચાનક ગુમ થઈ ગયો હતો. 20 જાન્યુઆરીથી ગુમ થયેલો બાળક અંતે 40 કલાક બાદ મળી આવ્યો છે. કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી મળી આવ્યો હતો. 9માં ધોરણમાં ભણતો માનવ ગુમ થઈ જતા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી. 24 કલાક વિત્યા બાદ પણ માનવ ઘરે પરત ન આવતા પરિવારજનોએ શાળામાં જઈ હોબાળો કર્યો હતો. 

પરિવારને જાણ થતાં સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો હતો

માનવના માતા-પિતાએ શાળામાં કર્યો હતો હંગામો 

ઠક્કરબાપાની રઘુવીર શાળામાં ભણતો માનવ સ્કૂલમાંથી એકાએક ભાગી ગયો હતો. સ્કૂલમાંથી જતા રહ્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી. 24 કલાક વિત્યા બાદ પણ માનવ ઘરે ન આવતા અધિરા બનેલા પરિવારના સભ્યોએ શાળામાં હોબાળો કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.


કાલુપુર રેલવે સ્ટેશનથી મળી આવ્યો માનવ 

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ પોલીસ માનવની શોધખોળ કરી રહી હતી. અંદાજીત 40 કલાક બાદ માનવ કાલુપુર રેલ્વે સ્ટેશનથી મળી આવ્યો હતો. માનવ જ્યારે મળ્યો ત્યારે તે સ્કુલ યુનિફોર્મમાં ન હતો પરંતુ બદલાયેલા કપડામાં મળ્યો હતો. કપડા બદલાયેલા હતા તે અનેક સવાલો ઉભી કરી રહ્યું છે. મોડી રાત્રે બાળક સ્ટેશન પરથી મળી આવતા માતા પિતાને બાળક સોંપવામાં આવ્યું છે. સુરક્ષિત હાલતમાં બાળક મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ શાળામાંથી માનવ શા માટે ભાગી ગયો હતો તે કારણ હજી પણ અકબંધ છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.