ઠક્કરબાપા નગરની શાળામાંથી ગુમ થયેલો માનવ 40 કલાક બાદ મળ્યો, પરિવારજનોએ લીધો રાહતનો શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-01-22 15:05:55

અમદાવાદના ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર શાળાનો વિદ્યાર્થી માનવ અચાનક ગુમ થઈ ગયો હતો. 20 જાન્યુઆરીથી ગુમ થયેલો બાળક અંતે 40 કલાક બાદ મળી આવ્યો છે. કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી મળી આવ્યો હતો. 9માં ધોરણમાં ભણતો માનવ ગુમ થઈ જતા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી. 24 કલાક વિત્યા બાદ પણ માનવ ઘરે પરત ન આવતા પરિવારજનોએ શાળામાં જઈ હોબાળો કર્યો હતો. 

પરિવારને જાણ થતાં સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો હતો

માનવના માતા-પિતાએ શાળામાં કર્યો હતો હંગામો 

ઠક્કરબાપાની રઘુવીર શાળામાં ભણતો માનવ સ્કૂલમાંથી એકાએક ભાગી ગયો હતો. સ્કૂલમાંથી જતા રહ્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી. 24 કલાક વિત્યા બાદ પણ માનવ ઘરે ન આવતા અધિરા બનેલા પરિવારના સભ્યોએ શાળામાં હોબાળો કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.


કાલુપુર રેલવે સ્ટેશનથી મળી આવ્યો માનવ 

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ પોલીસ માનવની શોધખોળ કરી રહી હતી. અંદાજીત 40 કલાક બાદ માનવ કાલુપુર રેલ્વે સ્ટેશનથી મળી આવ્યો હતો. માનવ જ્યારે મળ્યો ત્યારે તે સ્કુલ યુનિફોર્મમાં ન હતો પરંતુ બદલાયેલા કપડામાં મળ્યો હતો. કપડા બદલાયેલા હતા તે અનેક સવાલો ઉભી કરી રહ્યું છે. મોડી રાત્રે બાળક સ્ટેશન પરથી મળી આવતા માતા પિતાને બાળક સોંપવામાં આવ્યું છે. સુરક્ષિત હાલતમાં બાળક મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ શાળામાંથી માનવ શા માટે ભાગી ગયો હતો તે કારણ હજી પણ અકબંધ છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે