કેસર કેરીના રસિયાઓ માટે ગુડ ન્યૂઝ, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં થયું કેરીનું આગમન, જાણો શું છે ભાવ?


  • Published By :
  • Published Date : 2023-03-03 21:04:50

ઉનાળામાં કેસર કેરીની કાગડોળે રાહ જોતા લોકોની આતુરતાનો અંત આવ્યો છે.  ગીરની શાન મનાતી કેસર કેરીનું આગમન જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આજે થઇ ચુક્યું છે. તાલાલા પંથકની કેસર કેરીનાં 40 બોક્સની આવક થઈ છે. જેની જાહેર હરાજી યોજવામાં આવી હતી. આજે માર્કેટિંગ યાર્ડ ખાતે 10 કિલોના ભાવ 2000થી 3000 રૂપિયા બોલાયા હતા. 


કેરીના ભાવમાં ઘટાડો થશે


કેસર કેરીની આવકની સરખામણીએ બજાર ભાવ સ્થિર જોવા મળે છે. જો કે આ વર્ષે તાલાલા પંથકમાં આંબા પર સારા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હોઈ, કેસર કેરીનું ઉત્પાદન પણ વધવાની આશા છે. વેપારીઓના મતે આગામી 15 દિવસમાં કેરીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. માર્કેટ યાર્ડમાં જેમ-જેમ કેરીની આવક ધીમે ધીમે વધવાની શરૂઆત થશે તેમ તેમ બજાર ભાવોમાં પણ ચોક્કસ ઘટાડો જોવા મળશે. 


ઓર્ગેનિક કેરીની માગ વધી


રાજ્યમાં હવે લોકો આરોગ્ય પ્રત્યે સતર્ક થયા હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ઓર્ગેનિક કેરીની માગમાં પણ વધારો થયો છે. તાલાલા સહિત ગીરમાં અને એની આસપાસ આવેલા આંબાવાડિયામાં ઓર્ગેનિક કેરીનો પાક લેવાનું પ્રમાણ પણ વધ્યું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.