લ્યો બોલો.. હવે કેરી પણ હપ્તેથી મળે છે, પૂણેના વેપારીએ શું કર્યું EMI પર કેરીનું વેચાણ


  • Published By :
  • Published Date : 2023-04-06 14:11:25

આજના જમાનામાં દરેક મોંઘી વસ્તું હપ્તા પર મળે છે, ટુંકી આવક ધરાવતા શોખિન લોકો મોબાઈલ, ટીવી, કાર, બાઈક, ફ્રિજ અને એસી સહિતની ચીજો EMI પર ખરીદી તેમનો શોખ પુરો કરે છે. પણ જો કોઈ તમને એમ કહે કે કેરી પણ હપ્તેથી મળે છે, તો સ્વાભાવિક રીતે જ તમે તેની વાતને ટાઢા પહોરનું ગપ્પું માનીને હસી કાઢશો, જો કે આ વાત સંપુર્ણ સાચી છે.


પૂણેમાં  EMI પર કેરીનું વેચાણ


કેરીના ભાવ આસમાને પહોચ્યા છે, સામાન્ય માણસની ગમે તેટલી ઈચ્છા હોય તો પણ તેનેઆ ભાવે કેરી પરવડે તેમ નથી. દેશના વિવિધ ભાગોમાં સતત માવઠાના કારણે કેરીનું ઓછું ઉત્પાદન થતા કેરીની અછત પ્રવર્તી રહી છે, આ કારણે જ કેરીના ભાવ વધ્યા છે. પૂણેના એક વેપારીએ લોકોની આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે કેરીના સ્વાદના રસિયાઓ માટે ધાંસૂ ઓફર શરૂ કરી છે. તેમણે હાફુસ કેરી EMI પર વેચવાનું શરૂ કર્યું છે.   


લોકો લઈ રહ્યા છે ઓફરનો લાભ


પૂણેના વેપારી ગુરુ સનસ દ્વારા EMI પર હાફુસ કેરીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. પૂણેના સનસિટી રોડ પર આનંદ નગર વિસ્તારમાં તેમની દુકાન છે. પરંતુ આ વર્ષથી તેમણે દુકાનમાં EMI પર કેરી વેચવાનું શરૂ કર્યું છે. આ માટે તેમણે Paytm સાથે બિઝનેશ જોડાણ કર્યું. તેઓ કુદરતી રીતે ઉગાડવામાં આવેલી દેવગઢ હાફુસ કેરીનું વેચાણ કરી રહ્યા છે. કેરી ખરીદવા ઈચ્છુક ગ્રાહકને તેઓ બેંક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી EMI પર કેરી વેચે છે. સંબંધિત બેંક ગ્રાહકને તેઓ 3 થી 12 મહિના માટે હપ્તા કેરીનું વેચાણ કરે છે. હપ્તેથી મળતી આ કેરી ગ્રાહકો પણ મોટી સંખ્યામાં ખરીદીને તેનો આસ્વાદ માણી રહ્યા છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.