લ્યો બોલો.. હવે કેરી પણ હપ્તેથી મળે છે, પૂણેના વેપારીએ શું કર્યું EMI પર કેરીનું વેચાણ


  • Published By :
  • Published Date : 2023-04-06 14:11:25

આજના જમાનામાં દરેક મોંઘી વસ્તું હપ્તા પર મળે છે, ટુંકી આવક ધરાવતા શોખિન લોકો મોબાઈલ, ટીવી, કાર, બાઈક, ફ્રિજ અને એસી સહિતની ચીજો EMI પર ખરીદી તેમનો શોખ પુરો કરે છે. પણ જો કોઈ તમને એમ કહે કે કેરી પણ હપ્તેથી મળે છે, તો સ્વાભાવિક રીતે જ તમે તેની વાતને ટાઢા પહોરનું ગપ્પું માનીને હસી કાઢશો, જો કે આ વાત સંપુર્ણ સાચી છે.


પૂણેમાં  EMI પર કેરીનું વેચાણ


કેરીના ભાવ આસમાને પહોચ્યા છે, સામાન્ય માણસની ગમે તેટલી ઈચ્છા હોય તો પણ તેનેઆ ભાવે કેરી પરવડે તેમ નથી. દેશના વિવિધ ભાગોમાં સતત માવઠાના કારણે કેરીનું ઓછું ઉત્પાદન થતા કેરીની અછત પ્રવર્તી રહી છે, આ કારણે જ કેરીના ભાવ વધ્યા છે. પૂણેના એક વેપારીએ લોકોની આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે કેરીના સ્વાદના રસિયાઓ માટે ધાંસૂ ઓફર શરૂ કરી છે. તેમણે હાફુસ કેરી EMI પર વેચવાનું શરૂ કર્યું છે.   


લોકો લઈ રહ્યા છે ઓફરનો લાભ


પૂણેના વેપારી ગુરુ સનસ દ્વારા EMI પર હાફુસ કેરીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. પૂણેના સનસિટી રોડ પર આનંદ નગર વિસ્તારમાં તેમની દુકાન છે. પરંતુ આ વર્ષથી તેમણે દુકાનમાં EMI પર કેરી વેચવાનું શરૂ કર્યું છે. આ માટે તેમણે Paytm સાથે બિઝનેશ જોડાણ કર્યું. તેઓ કુદરતી રીતે ઉગાડવામાં આવેલી દેવગઢ હાફુસ કેરીનું વેચાણ કરી રહ્યા છે. કેરી ખરીદવા ઈચ્છુક ગ્રાહકને તેઓ બેંક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી EMI પર કેરી વેચે છે. સંબંધિત બેંક ગ્રાહકને તેઓ 3 થી 12 મહિના માટે હપ્તા કેરીનું વેચાણ કરે છે. હપ્તેથી મળતી આ કેરી ગ્રાહકો પણ મોટી સંખ્યામાં ખરીદીને તેનો આસ્વાદ માણી રહ્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.