લ્યો બોલો.. હવે કેરી પણ હપ્તેથી મળે છે, પૂણેના વેપારીએ શું કર્યું EMI પર કેરીનું વેચાણ


  • Published By :
  • Published Date : 2023-04-06 14:11:25

આજના જમાનામાં દરેક મોંઘી વસ્તું હપ્તા પર મળે છે, ટુંકી આવક ધરાવતા શોખિન લોકો મોબાઈલ, ટીવી, કાર, બાઈક, ફ્રિજ અને એસી સહિતની ચીજો EMI પર ખરીદી તેમનો શોખ પુરો કરે છે. પણ જો કોઈ તમને એમ કહે કે કેરી પણ હપ્તેથી મળે છે, તો સ્વાભાવિક રીતે જ તમે તેની વાતને ટાઢા પહોરનું ગપ્પું માનીને હસી કાઢશો, જો કે આ વાત સંપુર્ણ સાચી છે.


પૂણેમાં  EMI પર કેરીનું વેચાણ


કેરીના ભાવ આસમાને પહોચ્યા છે, સામાન્ય માણસની ગમે તેટલી ઈચ્છા હોય તો પણ તેનેઆ ભાવે કેરી પરવડે તેમ નથી. દેશના વિવિધ ભાગોમાં સતત માવઠાના કારણે કેરીનું ઓછું ઉત્પાદન થતા કેરીની અછત પ્રવર્તી રહી છે, આ કારણે જ કેરીના ભાવ વધ્યા છે. પૂણેના એક વેપારીએ લોકોની આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે કેરીના સ્વાદના રસિયાઓ માટે ધાંસૂ ઓફર શરૂ કરી છે. તેમણે હાફુસ કેરી EMI પર વેચવાનું શરૂ કર્યું છે.   


લોકો લઈ રહ્યા છે ઓફરનો લાભ


પૂણેના વેપારી ગુરુ સનસ દ્વારા EMI પર હાફુસ કેરીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. પૂણેના સનસિટી રોડ પર આનંદ નગર વિસ્તારમાં તેમની દુકાન છે. પરંતુ આ વર્ષથી તેમણે દુકાનમાં EMI પર કેરી વેચવાનું શરૂ કર્યું છે. આ માટે તેમણે Paytm સાથે બિઝનેશ જોડાણ કર્યું. તેઓ કુદરતી રીતે ઉગાડવામાં આવેલી દેવગઢ હાફુસ કેરીનું વેચાણ કરી રહ્યા છે. કેરી ખરીદવા ઈચ્છુક ગ્રાહકને તેઓ બેંક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી EMI પર કેરી વેચે છે. સંબંધિત બેંક ગ્રાહકને તેઓ 3 થી 12 મહિના માટે હપ્તા કેરીનું વેચાણ કરે છે. હપ્તેથી મળતી આ કેરી ગ્રાહકો પણ મોટી સંખ્યામાં ખરીદીને તેનો આસ્વાદ માણી રહ્યા છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.