મનહર પટેલને કોંગ્રેસે આખરે ટિકિટ આપી મનાવ્યા, બોટાદ બેઠક પરથી લડશે વિધાનસભાની ચૂંટણી


  • Published By :
  • Published Date : 2022-11-13 20:01:08

ગુજરાત કોગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી હતી. જો કે આ યાદીમાં મનહર પટેલના બદલે બોટાદ બેઠક પરથી રમેશ મેરને ટિકિટ આપવામાં આવી હતી. બોટાદથી ટિકિટ કપાતા મનહર પટેલ નારાજ થયા હતા અને ટેકેદારો સાથે અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. મનહર પટેલે બોટાદ બેઠક પરથી જાહેર થયેલા રમેશ મેરના નામ પર ફેર વિચારણા કરવા રજૂઆત કરી હતી. મનહર પટેલે કહ્યું કે 2017માં અશોક ગેહલોતે મને ટેલિફોનિક મેન્ડેટ આપ્યું હતું. મારી સાથે 2017નું પુનરાવર્તન થયું છે. મને બીજી વખત અપમાનિત પરિસ્થિતિમાં મુકવામાં આવ્યો છે. ટેકેદારો સાથે મળી સાંજે સાત વાગ્યે મારો અંતિમ નિર્ણય જાહેર કરીશ તેવી ગર્ભિત ચિમકી પણ આપી હતી. જો કે હવે કોંગ્રેસે તેમને ફરી ઉમેદવાર બનાવ્યા છે.


આખરે કોંગ્રેસે નિર્ણય બદલ્યો અને ટિકિટ આપી


મનહર પટેલની રજુઆતની અસર થઈ હતી અને કોંગ્રેસે બોટાદ સીટ માટે તેમને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. બોટાદમાં ડેમેજ કંન્ટ્રોલ કરવા પ્રદેશ કોગ્રેસના બે ઉપપ્રમુખોને જવાબદારી સોંપાઈ હતી. પંકજ પટેલ અને ડૉક્ટર જીતુ પટેલને મનહર પટેલને સમજાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. બંન્ને નેતાઓએ મનહર પટેલને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા જો કે મનહર પટેલે તેમની એક વાત માની ન હતી અંતે કોંગ્રેસે તેમના તરફેણમાં નિર્ણય લેતા ઘીના ઠામમાં ઘી ઢળ્યું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.