મનહર પટેલને કોંગ્રેસે આખરે ટિકિટ આપી મનાવ્યા, બોટાદ બેઠક પરથી લડશે વિધાનસભાની ચૂંટણી


  • Published By :
  • Published Date : 2022-11-13 20:01:08

ગુજરાત કોગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી હતી. જો કે આ યાદીમાં મનહર પટેલના બદલે બોટાદ બેઠક પરથી રમેશ મેરને ટિકિટ આપવામાં આવી હતી. બોટાદથી ટિકિટ કપાતા મનહર પટેલ નારાજ થયા હતા અને ટેકેદારો સાથે અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. મનહર પટેલે બોટાદ બેઠક પરથી જાહેર થયેલા રમેશ મેરના નામ પર ફેર વિચારણા કરવા રજૂઆત કરી હતી. મનહર પટેલે કહ્યું કે 2017માં અશોક ગેહલોતે મને ટેલિફોનિક મેન્ડેટ આપ્યું હતું. મારી સાથે 2017નું પુનરાવર્તન થયું છે. મને બીજી વખત અપમાનિત પરિસ્થિતિમાં મુકવામાં આવ્યો છે. ટેકેદારો સાથે મળી સાંજે સાત વાગ્યે મારો અંતિમ નિર્ણય જાહેર કરીશ તેવી ગર્ભિત ચિમકી પણ આપી હતી. જો કે હવે કોંગ્રેસે તેમને ફરી ઉમેદવાર બનાવ્યા છે.


આખરે કોંગ્રેસે નિર્ણય બદલ્યો અને ટિકિટ આપી


મનહર પટેલની રજુઆતની અસર થઈ હતી અને કોંગ્રેસે બોટાદ સીટ માટે તેમને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. બોટાદમાં ડેમેજ કંન્ટ્રોલ કરવા પ્રદેશ કોગ્રેસના બે ઉપપ્રમુખોને જવાબદારી સોંપાઈ હતી. પંકજ પટેલ અને ડૉક્ટર જીતુ પટેલને મનહર પટેલને સમજાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. બંન્ને નેતાઓએ મનહર પટેલને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા જો કે મનહર પટેલે તેમની એક વાત માની ન હતી અંતે કોંગ્રેસે તેમના તરફેણમાં નિર્ણય લેતા ઘીના ઠામમાં ઘી ઢળ્યું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.