મનહર પટેલને કોંગ્રેસે આખરે ટિકિટ આપી મનાવ્યા, બોટાદ બેઠક પરથી લડશે વિધાનસભાની ચૂંટણી


  • Published By :
  • Published Date : 2022-11-13 20:01:08

ગુજરાત કોગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી હતી. જો કે આ યાદીમાં મનહર પટેલના બદલે બોટાદ બેઠક પરથી રમેશ મેરને ટિકિટ આપવામાં આવી હતી. બોટાદથી ટિકિટ કપાતા મનહર પટેલ નારાજ થયા હતા અને ટેકેદારો સાથે અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. મનહર પટેલે બોટાદ બેઠક પરથી જાહેર થયેલા રમેશ મેરના નામ પર ફેર વિચારણા કરવા રજૂઆત કરી હતી. મનહર પટેલે કહ્યું કે 2017માં અશોક ગેહલોતે મને ટેલિફોનિક મેન્ડેટ આપ્યું હતું. મારી સાથે 2017નું પુનરાવર્તન થયું છે. મને બીજી વખત અપમાનિત પરિસ્થિતિમાં મુકવામાં આવ્યો છે. ટેકેદારો સાથે મળી સાંજે સાત વાગ્યે મારો અંતિમ નિર્ણય જાહેર કરીશ તેવી ગર્ભિત ચિમકી પણ આપી હતી. જો કે હવે કોંગ્રેસે તેમને ફરી ઉમેદવાર બનાવ્યા છે.


આખરે કોંગ્રેસે નિર્ણય બદલ્યો અને ટિકિટ આપી


મનહર પટેલની રજુઆતની અસર થઈ હતી અને કોંગ્રેસે બોટાદ સીટ માટે તેમને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. બોટાદમાં ડેમેજ કંન્ટ્રોલ કરવા પ્રદેશ કોગ્રેસના બે ઉપપ્રમુખોને જવાબદારી સોંપાઈ હતી. પંકજ પટેલ અને ડૉક્ટર જીતુ પટેલને મનહર પટેલને સમજાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. બંન્ને નેતાઓએ મનહર પટેલને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા જો કે મનહર પટેલે તેમની એક વાત માની ન હતી અંતે કોંગ્રેસે તેમના તરફેણમાં નિર્ણય લેતા ઘીના ઠામમાં ઘી ઢળ્યું છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.