ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ લીધા શપથ, પીએમ તેમજ અમિત શાહ રહ્યા શપથ સમારોહમાં હાજર


  • Published By :
  • Published Date : 2023-03-08 13:40:46

થોડા સમય પહેલા ત્રણ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી. મેઘાલય, નાગાલેન્ડ તેમજ ત્રિપુરામાં ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ શપથ ગ્રહણ કર્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, તેમજ અમિત શાહ હાજર રહ્યા હતા. સોમવારે મળેલી વિધાયક દળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. સાહાની સાથે 9 મંત્રીઓએ શપથ લીધા હતા જેમાં ભાજપના આઠ અને આઈપીએફટીના એક વિધાયકે શપથ લીધા હતા.


વિધાયક દળની બેઠકમાં લેવાયો નિર્ણય 

માણિક સાહાએ શુક્રવારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું જેનું પરિણામ 2 માર્ચના રોજ આવ્યું હતું. આ વખતના મતદાનમાં 86 ટકા જેટલું મતદાન થયું હતું. ત્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ શપથ લીધા છે. બીજી વખત તેઓ સીએમ બન્યા છે. સોમવારે ભાજપના વિધાયક દળની બેઠક બોલાવામાં આવી હતી જેમાં સર્વ સન્મતિથી વિધાયક દળના નેતા તરીકે માણિક સાહાના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. જે બાદ તેમણે ટ્વિટ પણ કર્યું હતું અને તેમની પસંદગી કરવા બદલ આભાર પણ માન્યો હતો. 

9 ધારાસભ્યોએ લીધા મંત્રી તરીકેના શપથ 

મુખ્યમંત્રીની સાથે રતન લાલ નાથ, પ્રાણજીત સિંહા રોય, સાન્તાના ડોજ, સુશાંત ચૌધરી, વિકાસ દેબબર્મા, સુધાંગશુ દાસ તેમજ સુક્લા ચરણ નોતીયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ તેમજ જે.પી નડ્ડા હાજર રહ્યા હતા. આ શપથ વિધી કાર્યક્રમ અગરતલાના સ્વામી વિવેકાનંદ મેદાનમાં યોજાયો હતો. ગઈકાલે મેઘાલય અને નાગાલેન્ડના મુખ્યમંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.