ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ લીધા શપથ, પીએમ તેમજ અમિત શાહ રહ્યા શપથ સમારોહમાં હાજર


  • Published By :
  • Published Date : 2023-03-08 13:40:46

થોડા સમય પહેલા ત્રણ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી. મેઘાલય, નાગાલેન્ડ તેમજ ત્રિપુરામાં ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ શપથ ગ્રહણ કર્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, તેમજ અમિત શાહ હાજર રહ્યા હતા. સોમવારે મળેલી વિધાયક દળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. સાહાની સાથે 9 મંત્રીઓએ શપથ લીધા હતા જેમાં ભાજપના આઠ અને આઈપીએફટીના એક વિધાયકે શપથ લીધા હતા.


વિધાયક દળની બેઠકમાં લેવાયો નિર્ણય 

માણિક સાહાએ શુક્રવારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું જેનું પરિણામ 2 માર્ચના રોજ આવ્યું હતું. આ વખતના મતદાનમાં 86 ટકા જેટલું મતદાન થયું હતું. ત્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ શપથ લીધા છે. બીજી વખત તેઓ સીએમ બન્યા છે. સોમવારે ભાજપના વિધાયક દળની બેઠક બોલાવામાં આવી હતી જેમાં સર્વ સન્મતિથી વિધાયક દળના નેતા તરીકે માણિક સાહાના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. જે બાદ તેમણે ટ્વિટ પણ કર્યું હતું અને તેમની પસંદગી કરવા બદલ આભાર પણ માન્યો હતો. 

9 ધારાસભ્યોએ લીધા મંત્રી તરીકેના શપથ 

મુખ્યમંત્રીની સાથે રતન લાલ નાથ, પ્રાણજીત સિંહા રોય, સાન્તાના ડોજ, સુશાંત ચૌધરી, વિકાસ દેબબર્મા, સુધાંગશુ દાસ તેમજ સુક્લા ચરણ નોતીયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ તેમજ જે.પી નડ્ડા હાજર રહ્યા હતા. આ શપથ વિધી કાર્યક્રમ અગરતલાના સ્વામી વિવેકાનંદ મેદાનમાં યોજાયો હતો. ગઈકાલે મેઘાલય અને નાગાલેન્ડના મુખ્યમંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.