મણિપુરમાં પરિસ્થિતી બેકાબુ, તોફાની તત્વોને ઝેર કરવા સરકારે આપ્યો શૂટ એટ સાઈટનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-04 21:05:43

મણિપુરમાં હિંસા ફાટી નીકળવાના કારણે પરિસ્થિતી બેકાબુ બની છે, આ કારણે સરકારે તોફાનીઓને ગોળી મારવાના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારે ગુરુવારે મે 4, 2023ના રોજ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે,  "ગંભીર પરિસ્થિતિ" માં ગોળી મારવાનો આદેશ જારી કર્યો છે. 


રાજ્યપાલે કર્યો આદેશ


મણિપુરના રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે જો ચેતવણીઓ અને સમજાવટ છતાં પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે તો ‘શૂટ એટ સાઈટ’ એક્શન લેવામાં આવી શકે છે. રાજ્ય સરકારના કમિશનર (ગૃહ) દ્વારા હસ્તાક્ષર કરાયેલ જાહેરનામું, ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973 ની જોગવાઈઓ હેઠળ જારી કરવામાં આવ્યું છે.


મીતેઈ સમુદાય માગી રહ્યો છે અનામત


મણિપુરમાં બિન-આદિવાસી મીતેઈ સમુદાય માટે અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની માંગ સામે ચૂરાચંદપુર જિલ્લાના ટોરબાંગ વિસ્તારમાં ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (એટીએસયુએમ) દ્વારા વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું. 'આદિવાસી એકતા માર્ચ' દરમિયાન બુધવારે હિંસા ફાટી નીકળી હતી. મણિપુર હાઈકોર્ટે ગયા મહિને રાજ્ય સરકારને મેઈતેઈ સમુદાય દ્વારા ST દરજ્જાની માગણી પર ચાર અઠવાડિયાની અંદર કેન્દ્રને ભલામણ મોકલવા કહ્યું તે પછી આ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે મીતેઈ સમુદાય મણિપુરની કુલ વસ્તીના 53 ટકા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.