મણિપુરમાં પરિસ્થિતી બેકાબુ, તોફાની તત્વોને ઝેર કરવા સરકારે આપ્યો શૂટ એટ સાઈટનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-04 21:05:43

મણિપુરમાં હિંસા ફાટી નીકળવાના કારણે પરિસ્થિતી બેકાબુ બની છે, આ કારણે સરકારે તોફાનીઓને ગોળી મારવાના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારે ગુરુવારે મે 4, 2023ના રોજ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે,  "ગંભીર પરિસ્થિતિ" માં ગોળી મારવાનો આદેશ જારી કર્યો છે. 


રાજ્યપાલે કર્યો આદેશ


મણિપુરના રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે જો ચેતવણીઓ અને સમજાવટ છતાં પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે તો ‘શૂટ એટ સાઈટ’ એક્શન લેવામાં આવી શકે છે. રાજ્ય સરકારના કમિશનર (ગૃહ) દ્વારા હસ્તાક્ષર કરાયેલ જાહેરનામું, ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973 ની જોગવાઈઓ હેઠળ જારી કરવામાં આવ્યું છે.


મીતેઈ સમુદાય માગી રહ્યો છે અનામત


મણિપુરમાં બિન-આદિવાસી મીતેઈ સમુદાય માટે અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની માંગ સામે ચૂરાચંદપુર જિલ્લાના ટોરબાંગ વિસ્તારમાં ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (એટીએસયુએમ) દ્વારા વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું. 'આદિવાસી એકતા માર્ચ' દરમિયાન બુધવારે હિંસા ફાટી નીકળી હતી. મણિપુર હાઈકોર્ટે ગયા મહિને રાજ્ય સરકારને મેઈતેઈ સમુદાય દ્વારા ST દરજ્જાની માગણી પર ચાર અઠવાડિયાની અંદર કેન્દ્રને ભલામણ મોકલવા કહ્યું તે પછી આ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે મીતેઈ સમુદાય મણિપુરની કુલ વસ્તીના 53 ટકા છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.