મનીષ સિસોદિયાની કસ્ટડી 3 એપ્રિલ સુધી વધી, કાલે જામીન અરજી પર થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-03-20 17:23:34

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં રહેલા સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 3 એપ્રિલ સુધી લંબાવાઈ છે. 


કોર્ટમાં વર્ચ્યુઅલ રીતે રજૂ કરવામાં આવ્યા


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં રહેલા મનીષ સિસોદિયાને દિલ્હીની કોર્ટમાં સોમવારે વર્ચ્યુઅલ રીતે રજૂ કરવામાં આવ્યા હતા. સિસોદિયા પર દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીની કેજરીવાલ સરકાર પર એક્સાઇઝ પોલિસી બનાવવા અને તેના અમલીકરણ દરમિયાન ગેરરીતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓ આ કેસમાં સિસોદિયાને મુખ્ય આરોપી ગણાવી રહી છે.


જામીન અરજી પર આવતીકાલે સુનાવણી


અગાઉ, મનીષ સિસોદિયાને 22 માર્ચ સુધી ED કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા, જેણે તેમને સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં વર્ચ્યુઅલ રીતે રજૂ કર્યા હતા. આ પછી, કોર્ટે 3 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી વધારવાનો આદેશ આપ્યો. તેમની જામીન અરજી પર આવતીકાલે એટલે કે 21 માર્ચે સુનાવણી થવાની છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.