મનીષ સિસોદિયાની કસ્ટડી 3 એપ્રિલ સુધી વધી, કાલે જામીન અરજી પર થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-03-20 17:23:34

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં રહેલા સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 3 એપ્રિલ સુધી લંબાવાઈ છે. 


કોર્ટમાં વર્ચ્યુઅલ રીતે રજૂ કરવામાં આવ્યા


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં રહેલા મનીષ સિસોદિયાને દિલ્હીની કોર્ટમાં સોમવારે વર્ચ્યુઅલ રીતે રજૂ કરવામાં આવ્યા હતા. સિસોદિયા પર દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીની કેજરીવાલ સરકાર પર એક્સાઇઝ પોલિસી બનાવવા અને તેના અમલીકરણ દરમિયાન ગેરરીતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓ આ કેસમાં સિસોદિયાને મુખ્ય આરોપી ગણાવી રહી છે.


જામીન અરજી પર આવતીકાલે સુનાવણી


અગાઉ, મનીષ સિસોદિયાને 22 માર્ચ સુધી ED કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા, જેણે તેમને સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં વર્ચ્યુઅલ રીતે રજૂ કર્યા હતા. આ પછી, કોર્ટે 3 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી વધારવાનો આદેશ આપ્યો. તેમની જામીન અરજી પર આવતીકાલે એટલે કે 21 માર્ચે સુનાવણી થવાની છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.