મનીષ સિસોદિયાની કસ્ટડી 3 એપ્રિલ સુધી વધી, કાલે જામીન અરજી પર થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-03-20 17:23:34

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં રહેલા સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 3 એપ્રિલ સુધી લંબાવાઈ છે. 


કોર્ટમાં વર્ચ્યુઅલ રીતે રજૂ કરવામાં આવ્યા


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં રહેલા મનીષ સિસોદિયાને દિલ્હીની કોર્ટમાં સોમવારે વર્ચ્યુઅલ રીતે રજૂ કરવામાં આવ્યા હતા. સિસોદિયા પર દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીની કેજરીવાલ સરકાર પર એક્સાઇઝ પોલિસી બનાવવા અને તેના અમલીકરણ દરમિયાન ગેરરીતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓ આ કેસમાં સિસોદિયાને મુખ્ય આરોપી ગણાવી રહી છે.


જામીન અરજી પર આવતીકાલે સુનાવણી


અગાઉ, મનીષ સિસોદિયાને 22 માર્ચ સુધી ED કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા, જેણે તેમને સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં વર્ચ્યુઅલ રીતે રજૂ કર્યા હતા. આ પછી, કોર્ટે 3 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી વધારવાનો આદેશ આપ્યો. તેમની જામીન અરજી પર આવતીકાલે એટલે કે 21 માર્ચે સુનાવણી થવાની છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.