મનીષ સિસોદિયાનાને હજુ જેલમાં જ રહેવું પડશે, કોર્ટે 5 એપ્રીલ સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારી


  • Published By :
  • Published Date : 2023-03-22 20:02:36

દિલ્હી લિકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની કસ્ટડી 14 દિવસ વધારી છે. હવે તેમને 5 એપ્રિલ સુધી કસ્ટડીમાં રાખવામાં આવશે. 5 દિવસની EDની ડિમાન્ડ પૂરી થયા પછી બુધવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સિસોદિયાને રજૂ કરવામાં આવ્યા હતા. આ સિવાય સિસોદિયાએ જેલમાં કેટલાક ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકો વાંચવા માટેની અરજીઓ આપી હતી. તેના પર કોર્ટે કહ્યું કે સિસોદિયાને પુસ્તકો આપવામાં આવશે.


EDએ કરી હતી ધરપકડ


દિલ્હી લિકર પોલિસી કેસની CBI ઉપરાંત ED પણ તપાસ કરી રહી છે. સિસોદિયાની 9 માર્ચે EDએ તિહાર જેલમાંથી ધરપકડ કરી હતી. સિસોદિયા 17થી 22 માર્ચ સુધી ED રિમાન્ડ પર છે. તેમની કસ્ટડી 23 માર્ચથી 3 એપ્રિલ સુધી CBI પાસે રહેશે.


ED મોબાઈલ ડેટાનું એનાલિસિસ કરી રહી છે 


EDએ કોર્ટને જણાવ્યું કે જ્યારે એલજીએ આ બાબતે ફરિયાદ કરી ત્યારે સિસોદિયાએ પોતાનો ફોન બદલી નાખ્યો હતો, પરંતુ એજન્સીએ તેનો મોબાઇલ ડેટા પાછો મેળવી લીધો હતો. હવે એજન્સી તેના ઈમેલ અને મોબાઈલ ફોનમાંથી કાઢવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કરી રહી છે. હવે આપણે સિસોદિયાને વધુ પ્રશ્નો પૂછવાના છે. EDના વકીલ ઝોહૈબ હુસૈને કહ્યું હતું કે સિસોદિયાના સહાયક વિજય નાયર સમગ્ર ષડયંત્રનું સંકલન કરી રહ્યા હતા. આ કૌભાંડમાં સરકારી તંત્ર, વચેટિયા અને અન્ય ઘણા લોકો સામેલ છે



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.