મનીષ સિસોદિયાનાને હજુ જેલમાં જ રહેવું પડશે, કોર્ટે 5 એપ્રીલ સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારી


  • Published By :
  • Published Date : 2023-03-22 20:02:36

દિલ્હી લિકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની કસ્ટડી 14 દિવસ વધારી છે. હવે તેમને 5 એપ્રિલ સુધી કસ્ટડીમાં રાખવામાં આવશે. 5 દિવસની EDની ડિમાન્ડ પૂરી થયા પછી બુધવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સિસોદિયાને રજૂ કરવામાં આવ્યા હતા. આ સિવાય સિસોદિયાએ જેલમાં કેટલાક ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકો વાંચવા માટેની અરજીઓ આપી હતી. તેના પર કોર્ટે કહ્યું કે સિસોદિયાને પુસ્તકો આપવામાં આવશે.


EDએ કરી હતી ધરપકડ


દિલ્હી લિકર પોલિસી કેસની CBI ઉપરાંત ED પણ તપાસ કરી રહી છે. સિસોદિયાની 9 માર્ચે EDએ તિહાર જેલમાંથી ધરપકડ કરી હતી. સિસોદિયા 17થી 22 માર્ચ સુધી ED રિમાન્ડ પર છે. તેમની કસ્ટડી 23 માર્ચથી 3 એપ્રિલ સુધી CBI પાસે રહેશે.


ED મોબાઈલ ડેટાનું એનાલિસિસ કરી રહી છે 


EDએ કોર્ટને જણાવ્યું કે જ્યારે એલજીએ આ બાબતે ફરિયાદ કરી ત્યારે સિસોદિયાએ પોતાનો ફોન બદલી નાખ્યો હતો, પરંતુ એજન્સીએ તેનો મોબાઇલ ડેટા પાછો મેળવી લીધો હતો. હવે એજન્સી તેના ઈમેલ અને મોબાઈલ ફોનમાંથી કાઢવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કરી રહી છે. હવે આપણે સિસોદિયાને વધુ પ્રશ્નો પૂછવાના છે. EDના વકીલ ઝોહૈબ હુસૈને કહ્યું હતું કે સિસોદિયાના સહાયક વિજય નાયર સમગ્ર ષડયંત્રનું સંકલન કરી રહ્યા હતા. આ કૌભાંડમાં સરકારી તંત્ર, વચેટિયા અને અન્ય ઘણા લોકો સામેલ છે



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.