મનીષ સિસોદિયાનાને હજુ જેલમાં જ રહેવું પડશે, કોર્ટે 5 એપ્રીલ સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારી


  • Published By :
  • Published Date : 2023-03-22 20:02:36

દિલ્હી લિકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની કસ્ટડી 14 દિવસ વધારી છે. હવે તેમને 5 એપ્રિલ સુધી કસ્ટડીમાં રાખવામાં આવશે. 5 દિવસની EDની ડિમાન્ડ પૂરી થયા પછી બુધવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સિસોદિયાને રજૂ કરવામાં આવ્યા હતા. આ સિવાય સિસોદિયાએ જેલમાં કેટલાક ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકો વાંચવા માટેની અરજીઓ આપી હતી. તેના પર કોર્ટે કહ્યું કે સિસોદિયાને પુસ્તકો આપવામાં આવશે.


EDએ કરી હતી ધરપકડ


દિલ્હી લિકર પોલિસી કેસની CBI ઉપરાંત ED પણ તપાસ કરી રહી છે. સિસોદિયાની 9 માર્ચે EDએ તિહાર જેલમાંથી ધરપકડ કરી હતી. સિસોદિયા 17થી 22 માર્ચ સુધી ED રિમાન્ડ પર છે. તેમની કસ્ટડી 23 માર્ચથી 3 એપ્રિલ સુધી CBI પાસે રહેશે.


ED મોબાઈલ ડેટાનું એનાલિસિસ કરી રહી છે 


EDએ કોર્ટને જણાવ્યું કે જ્યારે એલજીએ આ બાબતે ફરિયાદ કરી ત્યારે સિસોદિયાએ પોતાનો ફોન બદલી નાખ્યો હતો, પરંતુ એજન્સીએ તેનો મોબાઇલ ડેટા પાછો મેળવી લીધો હતો. હવે એજન્સી તેના ઈમેલ અને મોબાઈલ ફોનમાંથી કાઢવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કરી રહી છે. હવે આપણે સિસોદિયાને વધુ પ્રશ્નો પૂછવાના છે. EDના વકીલ ઝોહૈબ હુસૈને કહ્યું હતું કે સિસોદિયાના સહાયક વિજય નાયર સમગ્ર ષડયંત્રનું સંકલન કરી રહ્યા હતા. આ કૌભાંડમાં સરકારી તંત્ર, વચેટિયા અને અન્ય ઘણા લોકો સામેલ છે



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.