મનીષ સિસોદિયાનાને હજુ જેલમાં જ રહેવું પડશે, કોર્ટે 5 એપ્રીલ સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારી


  • Published By :
  • Published Date : 2023-03-22 20:02:36

દિલ્હી લિકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની કસ્ટડી 14 દિવસ વધારી છે. હવે તેમને 5 એપ્રિલ સુધી કસ્ટડીમાં રાખવામાં આવશે. 5 દિવસની EDની ડિમાન્ડ પૂરી થયા પછી બુધવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સિસોદિયાને રજૂ કરવામાં આવ્યા હતા. આ સિવાય સિસોદિયાએ જેલમાં કેટલાક ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકો વાંચવા માટેની અરજીઓ આપી હતી. તેના પર કોર્ટે કહ્યું કે સિસોદિયાને પુસ્તકો આપવામાં આવશે.


EDએ કરી હતી ધરપકડ


દિલ્હી લિકર પોલિસી કેસની CBI ઉપરાંત ED પણ તપાસ કરી રહી છે. સિસોદિયાની 9 માર્ચે EDએ તિહાર જેલમાંથી ધરપકડ કરી હતી. સિસોદિયા 17થી 22 માર્ચ સુધી ED રિમાન્ડ પર છે. તેમની કસ્ટડી 23 માર્ચથી 3 એપ્રિલ સુધી CBI પાસે રહેશે.


ED મોબાઈલ ડેટાનું એનાલિસિસ કરી રહી છે 


EDએ કોર્ટને જણાવ્યું કે જ્યારે એલજીએ આ બાબતે ફરિયાદ કરી ત્યારે સિસોદિયાએ પોતાનો ફોન બદલી નાખ્યો હતો, પરંતુ એજન્સીએ તેનો મોબાઇલ ડેટા પાછો મેળવી લીધો હતો. હવે એજન્સી તેના ઈમેલ અને મોબાઈલ ફોનમાંથી કાઢવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કરી રહી છે. હવે આપણે સિસોદિયાને વધુ પ્રશ્નો પૂછવાના છે. EDના વકીલ ઝોહૈબ હુસૈને કહ્યું હતું કે સિસોદિયાના સહાયક વિજય નાયર સમગ્ર ષડયંત્રનું સંકલન કરી રહ્યા હતા. આ કૌભાંડમાં સરકારી તંત્ર, વચેટિયા અને અન્ય ઘણા લોકો સામેલ છે



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.