મનીષ સિસોદિયાને નહીં મળે જામીન, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જામીન અરજી ફગાવી, 3 એપ્રિલ સુધી રહેશે જેલમાં


  • Published By :
  • Published Date : 2023-03-31 18:18:21

દિલ્હી લિકર પોલીસી કેસમાં તિહાર જેલમાં બંધ AAP નેતા અને દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી રાઉઝ એવન્યુ કોર્ટે આજે શુક્રવારે (31 માર્ચ, 2023) ફગાવી દીધી છે. હવે મનીષ સિસોદિયા નીચલી કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં જશે, CBI અને ED દ્વારા નોંધાયેલા કેસમાં મનીષ સિસોદિયા 3 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.  CBIએ 26 ફેબ્રુઆરીએ મનીષ સિસોદિયાની 2021-22ની દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસની રચના અને અમલીકરણમાં કથિત સંડોવણીના સંબંધમાં ધરપકડ કરી હતી.


સિસોદિયાની જામીન માટે કરી જોરદાર રજુઆત


એક સપ્તાહ પહેલા આ મામલાની સુનાવણી બાદ કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર ચુકાદો સુરક્ષીત રાખ્યો હતો. ગત સપ્તાહે સીબીઆઈએ શરાબ કૌંભાંડ કેસનું વિવરણ અને પુરાવા કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. સીબીઆઈની દલીલ પહેલા મનીષ સિસોદિયાના ટ્રાયલમાં પોતાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું હતું કે તેમને કસ્ટડીમાં રાખવાનો સીબીઆઈનો હેતું પુરો થશે નહીં. આ કેસમાં તમામ રિકવરી પહેલા જ થઈ ચુકી છે. મે સીબીઆઈની તપાસમાં સંપુર્ણ સહયોગ આપ્યો છે. તેમણે મને જ્યારે પણ બોલાવ્યો હું હાજર થઈ ગયો છું. તેમણે દલીલ કરી કે પબ્લિક લાઈફમાં એક્ટિવ રહેવાના કારણે તેઓ સમાજ સાથે ખુબ જ ગાંઢ રીતે સંકળાયેલા છે, આ બાબતને ધ્યાનમાં રાખીએ તો તેઓ જામીનના હકદાર છે.  


સીબીઆઈએ કર્યો જામીનનો વિરોધ


સીબીઆઈના વકીલે મનીષ સિસોદિયાના જામીનનો વિરોધ કર્યો હતો, સીબીઆઈના વકીલ ડીપી સિંહએ છેલ્લા સપ્તાહે સિસોદિયાની જામીન અરજીનો તેવું કહીને વિરોધ કરતા દલિલ કરી હતી કે જો તેમને જામીન મળશે તો તેઓ તપાસને પ્રભાવીત કરી શકે છે. સીબીઆઈએ દાવો કર્યો હતો કે મનીષ સિસોદિયાએ કહ્યું કે તેમણે મોબાઈલ એટલા માટે તોડી નાખ્યા હતા કેમ કે તે અપગ્રેડ કરવા ઈચ્છતા હતા. સીબીઆઈના વકીસે દલીલ કરી કે તે જે કહીં રહ્યા છે તે સત્ય નથી. સત્ય એ છે કે સિસોદિયાએ ચેટને ખતમ કરવા માટે આવું કહ્યું હતું. આ સ્થિતીમાં જો તેમને જામીન મળે છે તો પુરાવા સાથે છેડછાડ અને તેને નષ્ટ કરી શકે છે. આ કારણે તપાસ પણ પ્રભાવિત થઈ શકે છે.  


અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હી લિકર પોલિસી કેસમાં સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી, જ્યારે મની લોન્ડ્રિગ કેસમાં 9 માર્ચે ઈડીએ ધરપકડ કરી હતી. ત્યારથી તેમને એક પણ વખત જામીન મળ્યા નથી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.