મનિષ સીસોદિયાએ ગાંધી આશ્રમથી પરિવર્તન યાત્રાની શરૂઆત કરી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 14:06:48

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી મનીષ સીસોદિયા આજથી ગુજરાતમાં 'બસ હવે પરિવર્તન જોઈએ' યાત્રાનો પ્રારંભ કરાવશે. આજે મનોજ સીસોદિયા અમદાવાદ એરપોર્ટ આવશે ત્યાંથી તેઓ 10:30 એ ગાંધીઆશ્રમની મુલાકાત લઈ ત્યાંથી યાત્રાની શરૂવાત કરશે.. આ યાત્રા ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં 6 દિવસ સુધી ચાલશે. 


ગુજરાતના યુવા મતદારોને કોંગ્રેસ તરફ ખેંચવા ગુજરાત યુથ કોંગ્રેસ 27 જિલ્લાઓમાં યાત્રા યોજશે. ‘યુવા પરિવર્તન યાત્રા’ અંબાજીથી ઉમરગામ અને સોમનાથથી સુઈગામ એમ બે તબક્કામાં યોજાશે. પણ પરિવર્તન યાત્રા શરૂ કરી હવે બધા રાજકીય પક્ષો પરિવર્તન યાત્રા કરે છે પણ ગુજરાતની જનતાને શું પરિવર્તન જોઈએ પ્રશ્નાર્થ છે ચૂંટણી પેહલા પરિવર્તન યાત્રાઓ તો થશે પરંતુ ખરેખર ગુજરાતમાં ક્યારે પરિવર્તન આવશેએ ખબર નહીં !!! 


મનીષ સીસોદિયાએ ભાજપ પર પ્રહાર કરતાં શું કહ્યું ? 

ભાજપે 27 વર્ષના સાશનમાં કોઈ કામ થયું નથી.  લોકો ને જોઈએ છીએ એવા કામ નથી કર્યા, સારી સ્કૂલ, હોસ્પિટલ અને રોજગારી જે આપવી જોઈએ એ આપવામા આવી નથી. ભાજપ આડી અવળી વાતો કરે છે.  





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.