મનિષ સીસોદિયાએ ગાંધી આશ્રમથી પરિવર્તન યાત્રાની શરૂઆત કરી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 14:06:48

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી મનીષ સીસોદિયા આજથી ગુજરાતમાં 'બસ હવે પરિવર્તન જોઈએ' યાત્રાનો પ્રારંભ કરાવશે. આજે મનોજ સીસોદિયા અમદાવાદ એરપોર્ટ આવશે ત્યાંથી તેઓ 10:30 એ ગાંધીઆશ્રમની મુલાકાત લઈ ત્યાંથી યાત્રાની શરૂવાત કરશે.. આ યાત્રા ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં 6 દિવસ સુધી ચાલશે. 


ગુજરાતના યુવા મતદારોને કોંગ્રેસ તરફ ખેંચવા ગુજરાત યુથ કોંગ્રેસ 27 જિલ્લાઓમાં યાત્રા યોજશે. ‘યુવા પરિવર્તન યાત્રા’ અંબાજીથી ઉમરગામ અને સોમનાથથી સુઈગામ એમ બે તબક્કામાં યોજાશે. પણ પરિવર્તન યાત્રા શરૂ કરી હવે બધા રાજકીય પક્ષો પરિવર્તન યાત્રા કરે છે પણ ગુજરાતની જનતાને શું પરિવર્તન જોઈએ પ્રશ્નાર્થ છે ચૂંટણી પેહલા પરિવર્તન યાત્રાઓ તો થશે પરંતુ ખરેખર ગુજરાતમાં ક્યારે પરિવર્તન આવશેએ ખબર નહીં !!! 


મનીષ સીસોદિયાએ ભાજપ પર પ્રહાર કરતાં શું કહ્યું ? 

ભાજપે 27 વર્ષના સાશનમાં કોઈ કામ થયું નથી.  લોકો ને જોઈએ છીએ એવા કામ નથી કર્યા, સારી સ્કૂલ, હોસ્પિટલ અને રોજગારી જે આપવી જોઈએ એ આપવામા આવી નથી. ભાજપ આડી અવળી વાતો કરે છે.  





થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .