મનિષ સીસોદિયાએ ગાંધી આશ્રમથી પરિવર્તન યાત્રાની શરૂઆત કરી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 14:06:48

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી મનીષ સીસોદિયા આજથી ગુજરાતમાં 'બસ હવે પરિવર્તન જોઈએ' યાત્રાનો પ્રારંભ કરાવશે. આજે મનોજ સીસોદિયા અમદાવાદ એરપોર્ટ આવશે ત્યાંથી તેઓ 10:30 એ ગાંધીઆશ્રમની મુલાકાત લઈ ત્યાંથી યાત્રાની શરૂવાત કરશે.. આ યાત્રા ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં 6 દિવસ સુધી ચાલશે. 


ગુજરાતના યુવા મતદારોને કોંગ્રેસ તરફ ખેંચવા ગુજરાત યુથ કોંગ્રેસ 27 જિલ્લાઓમાં યાત્રા યોજશે. ‘યુવા પરિવર્તન યાત્રા’ અંબાજીથી ઉમરગામ અને સોમનાથથી સુઈગામ એમ બે તબક્કામાં યોજાશે. પણ પરિવર્તન યાત્રા શરૂ કરી હવે બધા રાજકીય પક્ષો પરિવર્તન યાત્રા કરે છે પણ ગુજરાતની જનતાને શું પરિવર્તન જોઈએ પ્રશ્નાર્થ છે ચૂંટણી પેહલા પરિવર્તન યાત્રાઓ તો થશે પરંતુ ખરેખર ગુજરાતમાં ક્યારે પરિવર્તન આવશેએ ખબર નહીં !!! 


મનીષ સીસોદિયાએ ભાજપ પર પ્રહાર કરતાં શું કહ્યું ? 

ભાજપે 27 વર્ષના સાશનમાં કોઈ કામ થયું નથી.  લોકો ને જોઈએ છીએ એવા કામ નથી કર્યા, સારી સ્કૂલ, હોસ્પિટલ અને રોજગારી જે આપવી જોઈએ એ આપવામા આવી નથી. ભાજપ આડી અવળી વાતો કરે છે.  





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.