મનીષ સિસોદિયાએ ભાજપ પર કર્યા પ્રહાર , શિક્ષણ મુદ્દે સરકારને પણ ઘેરી !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 13:24:52


મનીષ સિસોદિયાએ શું જાહેરાતો કરી ? ??


દિલ્હીના શિક્ષણ મંત્રી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે સિસોદિયાએ ગુજરાતમાં સ્કૂલો બનાવા પર પોતાનો પ્લાન કહ્યો તેમણે જાહેરાત કરી હતી કે તેમની સરકાર બનવા પર અમદાવાદ સહિત 8 મહાનગરોમાં દર 4 કિલોમીટરે 1 સરકારી સ્કૂલ બનાવવામાં આવશે.


શું છે પ્લાન ???


મનીષ સિસોદિયાએ આજે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું કે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ આ 8 આ શહેરોમાં દર 4 કિલોમીટરે એક એવી સરકારી સ્કૂલ ઊભી કરવામાં આવશે, જે પ્રાઈવેટ સ્કૂલ કરતા પણ સારી હશે. આ તમામ શહેરોમાં કોઈપણ માતા-પિતા ક્યાંય પણ રહેતા હોય, તે પોતાના ઘરથી 2-3 કિલોમીટરની અંદર મોકલી શકશે. આ તમામ સ્કૂલો 1 વર્ષની અંદર બનાવવામાં આવશે. અમે તેનો પ્લાન બનાવ્યો છે. અમે હવામાં એવી વાત નથી કરતા પછી કહીએ તો આ તો જુમલા હતા. અમે એક એક સ્કૂલની મેપિંગ કરી છે.


એરપોર્ટ પર ઉતરતા જ ભાજપ પર કર્યા પ્રહાર !!!!

મનીષ સિસોદિયા આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે તેમણે અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાજ ભાજપને ઘેર્યુ અને કહ્યું  ભાજપ CBI, EDનો દુરૂપયોગ કરતી હોવાનું જણાવ્યું હતું. આની સાથે શિક્ષણ મુદ્દે પર સરકારને ઘેરી હતી.ભાજપે 27 વર્ષના શાસનમાં કશુ જ નથી કર્યું અને હવે જ્યારે લોકો અમારી પાર્ટીનો વોટ આપવા માટે તૈયાર થયા છે. ત્યારે BJPના લોકો CBI અને ED બધાનો દુરૂપયોગ કરીને મને અહીંયા આવતા રોકવા માગે છે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.