મનીષ સિસોદિયાએ ભાજપ પર કર્યા પ્રહાર , શિક્ષણ મુદ્દે સરકારને પણ ઘેરી !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 13:24:52


મનીષ સિસોદિયાએ શું જાહેરાતો કરી ? ??


દિલ્હીના શિક્ષણ મંત્રી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે સિસોદિયાએ ગુજરાતમાં સ્કૂલો બનાવા પર પોતાનો પ્લાન કહ્યો તેમણે જાહેરાત કરી હતી કે તેમની સરકાર બનવા પર અમદાવાદ સહિત 8 મહાનગરોમાં દર 4 કિલોમીટરે 1 સરકારી સ્કૂલ બનાવવામાં આવશે.


શું છે પ્લાન ???


મનીષ સિસોદિયાએ આજે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું કે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ આ 8 આ શહેરોમાં દર 4 કિલોમીટરે એક એવી સરકારી સ્કૂલ ઊભી કરવામાં આવશે, જે પ્રાઈવેટ સ્કૂલ કરતા પણ સારી હશે. આ તમામ શહેરોમાં કોઈપણ માતા-પિતા ક્યાંય પણ રહેતા હોય, તે પોતાના ઘરથી 2-3 કિલોમીટરની અંદર મોકલી શકશે. આ તમામ સ્કૂલો 1 વર્ષની અંદર બનાવવામાં આવશે. અમે તેનો પ્લાન બનાવ્યો છે. અમે હવામાં એવી વાત નથી કરતા પછી કહીએ તો આ તો જુમલા હતા. અમે એક એક સ્કૂલની મેપિંગ કરી છે.


એરપોર્ટ પર ઉતરતા જ ભાજપ પર કર્યા પ્રહાર !!!!

મનીષ સિસોદિયા આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે તેમણે અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાજ ભાજપને ઘેર્યુ અને કહ્યું  ભાજપ CBI, EDનો દુરૂપયોગ કરતી હોવાનું જણાવ્યું હતું. આની સાથે શિક્ષણ મુદ્દે પર સરકારને ઘેરી હતી.ભાજપે 27 વર્ષના શાસનમાં કશુ જ નથી કર્યું અને હવે જ્યારે લોકો અમારી પાર્ટીનો વોટ આપવા માટે તૈયાર થયા છે. ત્યારે BJPના લોકો CBI અને ED બધાનો દુરૂપયોગ કરીને મને અહીંયા આવતા રોકવા માગે છે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે