મનીષ સિસોદિયાએ ભાજપ પર કર્યા પ્રહાર , શિક્ષણ મુદ્દે સરકારને પણ ઘેરી !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 13:24:52


મનીષ સિસોદિયાએ શું જાહેરાતો કરી ? ??


દિલ્હીના શિક્ષણ મંત્રી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે સિસોદિયાએ ગુજરાતમાં સ્કૂલો બનાવા પર પોતાનો પ્લાન કહ્યો તેમણે જાહેરાત કરી હતી કે તેમની સરકાર બનવા પર અમદાવાદ સહિત 8 મહાનગરોમાં દર 4 કિલોમીટરે 1 સરકારી સ્કૂલ બનાવવામાં આવશે.


શું છે પ્લાન ???


મનીષ સિસોદિયાએ આજે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું કે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ આ 8 આ શહેરોમાં દર 4 કિલોમીટરે એક એવી સરકારી સ્કૂલ ઊભી કરવામાં આવશે, જે પ્રાઈવેટ સ્કૂલ કરતા પણ સારી હશે. આ તમામ શહેરોમાં કોઈપણ માતા-પિતા ક્યાંય પણ રહેતા હોય, તે પોતાના ઘરથી 2-3 કિલોમીટરની અંદર મોકલી શકશે. આ તમામ સ્કૂલો 1 વર્ષની અંદર બનાવવામાં આવશે. અમે તેનો પ્લાન બનાવ્યો છે. અમે હવામાં એવી વાત નથી કરતા પછી કહીએ તો આ તો જુમલા હતા. અમે એક એક સ્કૂલની મેપિંગ કરી છે.


એરપોર્ટ પર ઉતરતા જ ભાજપ પર કર્યા પ્રહાર !!!!

મનીષ સિસોદિયા આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે તેમણે અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાજ ભાજપને ઘેર્યુ અને કહ્યું  ભાજપ CBI, EDનો દુરૂપયોગ કરતી હોવાનું જણાવ્યું હતું. આની સાથે શિક્ષણ મુદ્દે પર સરકારને ઘેરી હતી.ભાજપે 27 વર્ષના શાસનમાં કશુ જ નથી કર્યું અને હવે જ્યારે લોકો અમારી પાર્ટીનો વોટ આપવા માટે તૈયાર થયા છે. ત્યારે BJPના લોકો CBI અને ED બધાનો દુરૂપયોગ કરીને મને અહીંયા આવતા રોકવા માગે છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.