Mansukh Vasava ફરી એક વખત આક્રમક દેખાયા, જાણો આ વખતે શું કહ્યું કે થઈ રહી છે તેમના નિવેદનની ચર્ચા, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-29 09:51:48

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ સમય દરમિયાન નેતાઓના ભાષણોની ચર્ચા થવી સામાન્ય છે. નેતાઓ, ધારાસભ્ય, સાંસદો એવા ભાષણ આપે છે જેની ચર્ચાઓ થતી રહે છે. ત્યારે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળ્યા. 

આક્રમક દેખાયા મનસુખ વસાવા! 

ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહે છે. વસાવા Vs વસાવાનો જંગ અનેક વખત ત્યાં જોવા મળતો હોય છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અનેક એવા નિવેદનો આપી દેતા હોય છે જેને લઈ રાજકારણ ગરમાઈ જાય છે. ત્યારે ફરી એક વખત મનસુખ વસાવા આક્રમક દેખાયા છે. મનસુખ વસાવાએ જંગલોમાં નવું ખેડાણ બંધ કરવા પણ માંગ કરી છે.


મને મત સાથે લેવા દેવા નથી - મનસુખ વસાવા 

નિવેદન આપતા મનસુખ વસાવાએ કહ્યું કે જંગલોમાં ઘાસ કાઢવા રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય છે. અને આ દવાઓના કારણે જંગલના જીવજંતુઓને ખુબ મોટું નુકશાન થાય છે અને જંગલને પણ નુકશાન થાય છે. સાથે મનસુખ વસાવાએ જણાવ્યું કે મને મત સાથે લેવા દેવા નથી મને વૃક્ષો સાથે પ્રેમ છે. ફરી એકવાર તેમણે આક્રમક તેવર જંગલોને બચાવવા માટે કર્યા છે.

લોકસભા ચૂંટણીમાં જોવા મળશે ખરાખરીનો જંગ 

મહત્વનું છે કે ચૈતર વસાવા હાલ જેમાં છે. ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમના સમાચાર અવારનવાર આવતા રહે છે. તાજેતરમાં જ એક સંદેશો સામે આવ્યો છે જેમાં તેઓ લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હમણાંનો માહોલ જોતા લાગે છે કે ભરૂચ બેઠક આ વખતની ચૂંટણીમાં ખૂબ રસપ્રદ રહેશે. 



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.