Mansukh Vasava ફરી એક વખત આક્રમક દેખાયા, જાણો આ વખતે શું કહ્યું કે થઈ રહી છે તેમના નિવેદનની ચર્ચા, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-29 09:51:48

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ સમય દરમિયાન નેતાઓના ભાષણોની ચર્ચા થવી સામાન્ય છે. નેતાઓ, ધારાસભ્ય, સાંસદો એવા ભાષણ આપે છે જેની ચર્ચાઓ થતી રહે છે. ત્યારે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળ્યા. 

આક્રમક દેખાયા મનસુખ વસાવા! 

ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહે છે. વસાવા Vs વસાવાનો જંગ અનેક વખત ત્યાં જોવા મળતો હોય છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અનેક એવા નિવેદનો આપી દેતા હોય છે જેને લઈ રાજકારણ ગરમાઈ જાય છે. ત્યારે ફરી એક વખત મનસુખ વસાવા આક્રમક દેખાયા છે. મનસુખ વસાવાએ જંગલોમાં નવું ખેડાણ બંધ કરવા પણ માંગ કરી છે.


મને મત સાથે લેવા દેવા નથી - મનસુખ વસાવા 

નિવેદન આપતા મનસુખ વસાવાએ કહ્યું કે જંગલોમાં ઘાસ કાઢવા રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય છે. અને આ દવાઓના કારણે જંગલના જીવજંતુઓને ખુબ મોટું નુકશાન થાય છે અને જંગલને પણ નુકશાન થાય છે. સાથે મનસુખ વસાવાએ જણાવ્યું કે મને મત સાથે લેવા દેવા નથી મને વૃક્ષો સાથે પ્રેમ છે. ફરી એકવાર તેમણે આક્રમક તેવર જંગલોને બચાવવા માટે કર્યા છે.

લોકસભા ચૂંટણીમાં જોવા મળશે ખરાખરીનો જંગ 

મહત્વનું છે કે ચૈતર વસાવા હાલ જેમાં છે. ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમના સમાચાર અવારનવાર આવતા રહે છે. તાજેતરમાં જ એક સંદેશો સામે આવ્યો છે જેમાં તેઓ લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હમણાંનો માહોલ જોતા લાગે છે કે ભરૂચ બેઠક આ વખતની ચૂંટણીમાં ખૂબ રસપ્રદ રહેશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.