Mansukh Vasava ફરી એક વખત આક્રમક દેખાયા, જાણો આ વખતે શું કહ્યું કે થઈ રહી છે તેમના નિવેદનની ચર્ચા, સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-29 09:51:48

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ સમય દરમિયાન નેતાઓના ભાષણોની ચર્ચા થવી સામાન્ય છે. નેતાઓ, ધારાસભ્ય, સાંસદો એવા ભાષણ આપે છે જેની ચર્ચાઓ થતી રહે છે. ત્યારે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળ્યા. 

આક્રમક દેખાયા મનસુખ વસાવા! 

ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહે છે. વસાવા Vs વસાવાનો જંગ અનેક વખત ત્યાં જોવા મળતો હોય છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અનેક એવા નિવેદનો આપી દેતા હોય છે જેને લઈ રાજકારણ ગરમાઈ જાય છે. ત્યારે ફરી એક વખત મનસુખ વસાવા આક્રમક દેખાયા છે. મનસુખ વસાવાએ જંગલોમાં નવું ખેડાણ બંધ કરવા પણ માંગ કરી છે.


મને મત સાથે લેવા દેવા નથી - મનસુખ વસાવા 

નિવેદન આપતા મનસુખ વસાવાએ કહ્યું કે જંગલોમાં ઘાસ કાઢવા રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય છે. અને આ દવાઓના કારણે જંગલના જીવજંતુઓને ખુબ મોટું નુકશાન થાય છે અને જંગલને પણ નુકશાન થાય છે. સાથે મનસુખ વસાવાએ જણાવ્યું કે મને મત સાથે લેવા દેવા નથી મને વૃક્ષો સાથે પ્રેમ છે. ફરી એકવાર તેમણે આક્રમક તેવર જંગલોને બચાવવા માટે કર્યા છે.

લોકસભા ચૂંટણીમાં જોવા મળશે ખરાખરીનો જંગ 

મહત્વનું છે કે ચૈતર વસાવા હાલ જેમાં છે. ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમના સમાચાર અવારનવાર આવતા રહે છે. તાજેતરમાં જ એક સંદેશો સામે આવ્યો છે જેમાં તેઓ લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હમણાંનો માહોલ જોતા લાગે છે કે ભરૂચ બેઠક આ વખતની ચૂંટણીમાં ખૂબ રસપ્રદ રહેશે. 



ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..

જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...