Chaitar Vasavaને લઈ Mansukh Vasavaએ આપ્યું નિવેદન, કહ્યું જે વ્યક્તિ પર ચૈતરે હુમલો કર્યો તે....


  • Published By :
  • Published Date : 2023-11-11 12:02:03

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. પોલીસ ફરિયાદ થયા બાદ ચૈતર વસાવા ફરાર છે, તેમના પત્નીની ધરપકડ થઈ ગઈ છે. પોલીસ ચૈતર વસાવાની શોધખોળ કરી રહી છે. નર્મદાનું રાજકારણ અનેક વખત ચર્ચામાં આવતું હોય છે ત્યારે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવાએ એક નિવેદન આપ્યું છે જે ઘટસ્ફોટ કરે તેવું છે. મનસુખ વસાવાએ નિવેદન આપતા કહ્યું કે વનવિભાગના કર્મચારીને મારવાની વાત થઈ રહી છે તે આમ આદમી પાર્ટીના જ છે. ચૈતર વસાવાએ પોતાની જ પાર્ટીના લોકોને માર માર્યો હોવાની વાત ભાજપના સાંસદે કરી છે. 

જે વ્યક્તિને ચૈતર વસાવાએ માર માર્યો તે આપ કાર્યકર્તાનો ભાઈ હતો!

નર્મદામાં વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. ત્યારે ફરી એક વખત વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ ફરી જોવા મળ્યો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ થયા બાદ તેઓ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. પોલીસે ચૈતર વસાવાના પત્નીની ધરપકડ કરી લીધી છે. ત્યારે ચૈતર વસાવાને લઈ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. ડેડિયાપાડાના જુના મોઝદામાં કાર્યક્રમને સંબોધિત કરતી વખતે મનસુખ વસાવાએ દાવો કર્યો છે કે જે બીટ ગાર્ડ વસંતને ઘરે બોલાવીને ચૈતરે માર માર્યો તેનો ભાઈ રામસિંગ AAPનો કાર્યકર છે.

ચૈતર વસાવાના સમર્થનમાં અનેક સ્થળો પર નીકળી છે રેલી 

મહત્વનું છે કે જ્યારથી ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ત્યારથી આમ આદમી પાર્ટી દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છએ. તે ઉપરાંત ગઈકાલે ભરૂચમાં આપના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે જઈ ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું. રેલીમાં હાજર લોકોએ ચૈતર વસાવાના ચહેરાનો માસ્ક પહેર્યો હતો. ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા પર પણ હું પણ ચૈતર વસાવા કેમ્પેઈન ચાલે છે. કોંગ્રેસના નેતા અનંત પટેલે પણ ચૈતર વસાવાના સમર્થનમાં હોવાની વાત કરી હતી.           



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.