Chaitar Vasavaને લઈ Mansukh Vasavaએ આપ્યું નિવેદન, કહ્યું જે વ્યક્તિ પર ચૈતરે હુમલો કર્યો તે....


  • Published By :
  • Published Date : 2023-11-11 12:02:03

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. પોલીસ ફરિયાદ થયા બાદ ચૈતર વસાવા ફરાર છે, તેમના પત્નીની ધરપકડ થઈ ગઈ છે. પોલીસ ચૈતર વસાવાની શોધખોળ કરી રહી છે. નર્મદાનું રાજકારણ અનેક વખત ચર્ચામાં આવતું હોય છે ત્યારે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવાએ એક નિવેદન આપ્યું છે જે ઘટસ્ફોટ કરે તેવું છે. મનસુખ વસાવાએ નિવેદન આપતા કહ્યું કે વનવિભાગના કર્મચારીને મારવાની વાત થઈ રહી છે તે આમ આદમી પાર્ટીના જ છે. ચૈતર વસાવાએ પોતાની જ પાર્ટીના લોકોને માર માર્યો હોવાની વાત ભાજપના સાંસદે કરી છે. 

જે વ્યક્તિને ચૈતર વસાવાએ માર માર્યો તે આપ કાર્યકર્તાનો ભાઈ હતો!

નર્મદામાં વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. ત્યારે ફરી એક વખત વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ ફરી જોવા મળ્યો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ થયા બાદ તેઓ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. પોલીસે ચૈતર વસાવાના પત્નીની ધરપકડ કરી લીધી છે. ત્યારે ચૈતર વસાવાને લઈ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. ડેડિયાપાડાના જુના મોઝદામાં કાર્યક્રમને સંબોધિત કરતી વખતે મનસુખ વસાવાએ દાવો કર્યો છે કે જે બીટ ગાર્ડ વસંતને ઘરે બોલાવીને ચૈતરે માર માર્યો તેનો ભાઈ રામસિંગ AAPનો કાર્યકર છે.

ચૈતર વસાવાના સમર્થનમાં અનેક સ્થળો પર નીકળી છે રેલી 

મહત્વનું છે કે જ્યારથી ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ત્યારથી આમ આદમી પાર્ટી દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છએ. તે ઉપરાંત ગઈકાલે ભરૂચમાં આપના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે જઈ ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું. રેલીમાં હાજર લોકોએ ચૈતર વસાવાના ચહેરાનો માસ્ક પહેર્યો હતો. ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા પર પણ હું પણ ચૈતર વસાવા કેમ્પેઈન ચાલે છે. કોંગ્રેસના નેતા અનંત પટેલે પણ ચૈતર વસાવાના સમર્થનમાં હોવાની વાત કરી હતી.           



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી