કોળી સમાજના દિગ્ગજ નેતા અને ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી મનુ ચાવડા કોંગ્રેસમાં જોડાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 21:47:49

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજયના રાજકારણમાં આયારામ-ગયારામ શરૂ થઈ ગયું છે. સામાન્ય રીતે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાતા હોય છે જો કે આજે નવો ટ્રેન્ડ જોવા મળ્યો. કોળી સમાજના અગ્રણી નેતા મનુભાઈ ચાવડા ભાજપને બાયબાય કરીને કોંગ્રેસમાં જોડાયા છે. કોળી સમાજના દિગ્ગજ નેતા અને ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી અને કોળી વિકાસ નિગમના પૂર્વ ઉપાધ્યક્ષ મનુ ચાવડા તેમના ટેકેદારો સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની હાજરીમાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. મનુભાઈ ચાવડાએ પોતાના ટેકેદારો સાથે  કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. મનુભાઈ ચાવડા ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી રહી ચૂકયા છે, આ ઉપરાંત ભાજપમાં પ્રદેશના અનેક હોદ્દાઓ પર પણ તેઓ રહી ચુક્યા છે. 


મનુ ચાવડાના સુર બદલાયા ભાજપ પર પ્રહાર કર્યા


કોંગ્રેસમાં જોડાયા બાદ મનુ ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, હાલની સરકારમાં મોંઘવારીએ માઝા મૂકી છે. અને નાના અને મધ્યમ પરિવારને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. યુવા બેરોજગારી વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પરિવર્તન આવે અને લોકો સારી આરોગ્ય સેવા, શિક્ષણ, મળી રહે તે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં થયું છે. અને તેથી તેઓ પોતાની માતૃ સંસ્થામાં ફરી પરત આવ્યા છે.


મનુભાઈ ચાવડાના આગમનથી કોંગ્રેસને શું ફાયદો થશે? 


મનુભાઈ ચાવડા અખિલ ભારતીય કોળી સમાજનાં રાષ્ટ્રીય મહામંત્રી છે અને અનેક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં કોળી સમાજમાં મનુભાઈનું ભારે વર્ચસ્વ છે. મનુભાઈ SC-ST-OBC મહાસંઘના પ્રદેશ પ્રમુખ છે. મનુ ચાવડાના કોંગ્રેસમાં જોડવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની કોળી સમાજની પ્રભુત્વ વાળી બેઠક પર અસર થશે અને કોંગ્રેસના 125 બેઠકના જીતવાના લક્ષ્યાંકને પાર કરવામાં મદદરૂપ થશે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.