કોળી સમાજના દિગ્ગજ નેતા અને ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી મનુ ચાવડા કોંગ્રેસમાં જોડાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 21:47:49

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજયના રાજકારણમાં આયારામ-ગયારામ શરૂ થઈ ગયું છે. સામાન્ય રીતે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાતા હોય છે જો કે આજે નવો ટ્રેન્ડ જોવા મળ્યો. કોળી સમાજના અગ્રણી નેતા મનુભાઈ ચાવડા ભાજપને બાયબાય કરીને કોંગ્રેસમાં જોડાયા છે. કોળી સમાજના દિગ્ગજ નેતા અને ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી અને કોળી વિકાસ નિગમના પૂર્વ ઉપાધ્યક્ષ મનુ ચાવડા તેમના ટેકેદારો સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની હાજરીમાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. મનુભાઈ ચાવડાએ પોતાના ટેકેદારો સાથે  કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. મનુભાઈ ચાવડા ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી રહી ચૂકયા છે, આ ઉપરાંત ભાજપમાં પ્રદેશના અનેક હોદ્દાઓ પર પણ તેઓ રહી ચુક્યા છે. 


મનુ ચાવડાના સુર બદલાયા ભાજપ પર પ્રહાર કર્યા


કોંગ્રેસમાં જોડાયા બાદ મનુ ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, હાલની સરકારમાં મોંઘવારીએ માઝા મૂકી છે. અને નાના અને મધ્યમ પરિવારને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. યુવા બેરોજગારી વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પરિવર્તન આવે અને લોકો સારી આરોગ્ય સેવા, શિક્ષણ, મળી રહે તે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં થયું છે. અને તેથી તેઓ પોતાની માતૃ સંસ્થામાં ફરી પરત આવ્યા છે.


મનુભાઈ ચાવડાના આગમનથી કોંગ્રેસને શું ફાયદો થશે? 


મનુભાઈ ચાવડા અખિલ ભારતીય કોળી સમાજનાં રાષ્ટ્રીય મહામંત્રી છે અને અનેક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં કોળી સમાજમાં મનુભાઈનું ભારે વર્ચસ્વ છે. મનુભાઈ SC-ST-OBC મહાસંઘના પ્રદેશ પ્રમુખ છે. મનુ ચાવડાના કોંગ્રેસમાં જોડવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની કોળી સમાજની પ્રભુત્વ વાળી બેઠક પર અસર થશે અને કોંગ્રેસના 125 બેઠકના જીતવાના લક્ષ્યાંકને પાર કરવામાં મદદરૂપ થશે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.