રાજ્યમાં સર્જાયા અનેક અકસ્માત! ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકો બન્યા કાળનો કોળિયો! જાણો ક્યાં સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-04-19 12:28:11

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતાં હોય છે. અથવા તો અકસ્માતમાં ગંભીર રીતે લોકો ઈજાગ્રસ્ત થતાં હોય છે. ત્યારે રાજ્યમાં અનેક એવા ગંભીર અકસ્માતો સર્જાયા છે જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. એક અકસ્માત તરઘરી હાઈવે પર સર્જાયો છે જ્યારે બીજી દુર્ઘટના મહેસાણા- અમદાવાદ હાઈવે પર સર્જાઈ છે.   


કાર અને ટ્રેક્ટર વચ્ચે થઈ ટક્કર!

ત્યારે બુધવારે રાજ્યમાં ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. વહેલી સવારે જામનગર હાઈવે પર તરઘરી પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત કાર અને ટ્રેક્ટર વચ્ચે થયો હતો જેમાં ચાર જેટલા લોકોના મોત થયા છે. અકસ્માતને પગલે લોકો ત્યાં દોડી આવ્યા હતા અને મળતી માહિતી અનુસાર મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયા છે.  તે ઉપરાંત બીજી દુર્ઘટના મહેસાણા-અમદાવાદ હાઈવે પર સર્જાઈ છે.


લક્ઝરી બસ પલટી જતા થયા પેસેન્જરોના મોત!

મહેસાણા-અમદાવાદ હાઈવે પર પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર રાજપુર પાટીયા પાસે પેસેન્જર ભરેલી બસ પલટી ગઈ હતી. બસ પલટતા અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જ્યારે બે જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના વહેલી સવારે અંદાજીત સાડા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા તે ઉપરાંત બસને સીધી કરવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી.   


યુવાન પર ફરી વળી ટ્રક!

તે સિવાય જૂનાગઢથી પણ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સક્કરબાગ નજીક ટ્રિપલ સવારી જઈ રહેલા યુવાનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. બાઈક પર સવાર એક યુવાન જમીન પર પટકાઈ ગયો. જમીન પર પટકાયા બાદ પાછળથી આવેલી ટ્રક તેની પર ફરી વળી હતી. યુવાનનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જે રૂંવાડા ઉભા કરી દે તેવા છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.