રાજ્યમાં સર્જાયા અનેક અકસ્માત! ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકો બન્યા કાળનો કોળિયો! જાણો ક્યાં સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-04-19 12:28:11

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતાં હોય છે. અથવા તો અકસ્માતમાં ગંભીર રીતે લોકો ઈજાગ્રસ્ત થતાં હોય છે. ત્યારે રાજ્યમાં અનેક એવા ગંભીર અકસ્માતો સર્જાયા છે જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. એક અકસ્માત તરઘરી હાઈવે પર સર્જાયો છે જ્યારે બીજી દુર્ઘટના મહેસાણા- અમદાવાદ હાઈવે પર સર્જાઈ છે.   


કાર અને ટ્રેક્ટર વચ્ચે થઈ ટક્કર!

ત્યારે બુધવારે રાજ્યમાં ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. વહેલી સવારે જામનગર હાઈવે પર તરઘરી પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત કાર અને ટ્રેક્ટર વચ્ચે થયો હતો જેમાં ચાર જેટલા લોકોના મોત થયા છે. અકસ્માતને પગલે લોકો ત્યાં દોડી આવ્યા હતા અને મળતી માહિતી અનુસાર મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયા છે.  તે ઉપરાંત બીજી દુર્ઘટના મહેસાણા-અમદાવાદ હાઈવે પર સર્જાઈ છે.


લક્ઝરી બસ પલટી જતા થયા પેસેન્જરોના મોત!

મહેસાણા-અમદાવાદ હાઈવે પર પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર રાજપુર પાટીયા પાસે પેસેન્જર ભરેલી બસ પલટી ગઈ હતી. બસ પલટતા અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જ્યારે બે જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના વહેલી સવારે અંદાજીત સાડા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા તે ઉપરાંત બસને સીધી કરવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી.   


યુવાન પર ફરી વળી ટ્રક!

તે સિવાય જૂનાગઢથી પણ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સક્કરબાગ નજીક ટ્રિપલ સવારી જઈ રહેલા યુવાનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. બાઈક પર સવાર એક યુવાન જમીન પર પટકાઈ ગયો. જમીન પર પટકાયા બાદ પાછળથી આવેલી ટ્રક તેની પર ફરી વળી હતી. યુવાનનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જે રૂંવાડા ઉભા કરી દે તેવા છે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.