રાજ્યમાં સર્જાયા અનેક અકસ્માત! ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકો બન્યા કાળનો કોળિયો! જાણો ક્યાં સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-04-19 12:28:11

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતાં હોય છે. અથવા તો અકસ્માતમાં ગંભીર રીતે લોકો ઈજાગ્રસ્ત થતાં હોય છે. ત્યારે રાજ્યમાં અનેક એવા ગંભીર અકસ્માતો સર્જાયા છે જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. એક અકસ્માત તરઘરી હાઈવે પર સર્જાયો છે જ્યારે બીજી દુર્ઘટના મહેસાણા- અમદાવાદ હાઈવે પર સર્જાઈ છે.   


કાર અને ટ્રેક્ટર વચ્ચે થઈ ટક્કર!

ત્યારે બુધવારે રાજ્યમાં ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. વહેલી સવારે જામનગર હાઈવે પર તરઘરી પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત કાર અને ટ્રેક્ટર વચ્ચે થયો હતો જેમાં ચાર જેટલા લોકોના મોત થયા છે. અકસ્માતને પગલે લોકો ત્યાં દોડી આવ્યા હતા અને મળતી માહિતી અનુસાર મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયા છે.  તે ઉપરાંત બીજી દુર્ઘટના મહેસાણા-અમદાવાદ હાઈવે પર સર્જાઈ છે.


લક્ઝરી બસ પલટી જતા થયા પેસેન્જરોના મોત!

મહેસાણા-અમદાવાદ હાઈવે પર પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર રાજપુર પાટીયા પાસે પેસેન્જર ભરેલી બસ પલટી ગઈ હતી. બસ પલટતા અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જ્યારે બે જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના વહેલી સવારે અંદાજીત સાડા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા તે ઉપરાંત બસને સીધી કરવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી.   


યુવાન પર ફરી વળી ટ્રક!

તે સિવાય જૂનાગઢથી પણ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સક્કરબાગ નજીક ટ્રિપલ સવારી જઈ રહેલા યુવાનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. બાઈક પર સવાર એક યુવાન જમીન પર પટકાઈ ગયો. જમીન પર પટકાયા બાદ પાછળથી આવેલી ટ્રક તેની પર ફરી વળી હતી. યુવાનનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જે રૂંવાડા ઉભા કરી દે તેવા છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.