વિધાનસભામાં પોતાના સમાજને ટિકિટ મળે તે માટે અનેક સમાજોએ ભરી હુંકાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 18:06:17

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા ટિકિટ માટે અનેક સમાજના લોકો મેદાનમાં આવી રહ્યા છે. એક બાદ એક સમાજોની બેઠક યોજાઈ રહી છે. જુદા જુદા સમાજો ટિકિટની માગણી કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં જૈન સમાજ પણ ટિકિટની માગ કરતા નજરે પડ્યું હતું. જા અગાઉ અરવલ્લીમાં કરણી સેનાએ પણ ટિકિટની માગ કરી હતી. 

જૈન સમાજે કરી ટિકિટની માગ

પોતાના સમાજનો દબદબો રહે તે માટે અનેક સમાજ ચૂંટણીમાં ટિકિટની માગ કરતા હોય છે. પાટીદાર સમાજ, કોળી સમાજ અને માલધારી સમાજ ટિકિટની માગ કરતા નજરે પડ્યા હતા ત્યારે હવે જૈન સમાજ પણ ટિકિટની માગને લઈ મેદાનમાં ઉતર્યા છે. જામનગર ખાતે જૈન સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં જૈન સમાજના અગ્રણી તેમજ મેયર બીનાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. 


કોળી સમાજ અને પટેલ સમાજે પણ કરી છે ટિકિટની માગ 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા એક બાદ એક સમાજ મહાસંમેલનનું આયોજન કરી રહી છે. મહાસંમેલન કરી સરકારને ઘેરવા પ્રયાસો કરવામાં આવે છે. ઉપરાંત ટિકિટની માગ પણ કરવામાં આવે છે. ત્યારે જામનગર ખાતે જૈન સમાજની બેઠક યોજાઈ હતી જેમાં જામનગરની વિધાનસભાની ટિકિટમાં જૈન સમાજને સ્થાન મળે તેવી વાત કરવામાં આવી હતી. ઉપરાંત થોડા દિવસો પહેલા જ કરણી સેનાએ મહાસંમેલન કર્યું હતું. રાજ શેખાવતે ક્ષત્રિય સમાજ માટે 55થી 60 ટિકિટોની માગ કરી હતી. ઉપરાંત પાટીદાર સમાજને 50 જેટલી ટિકિટ આપવામાં આવે ઉપરાંત કોળી સમાજને 72 ટિકિટની ફાળવણી કરવાની માગ કરી હતી. અનેક સમાજ ટિકિટની માગણી કરી રહ્યા છે જેને કારણે રાજકીય પાર્ટીઓનું ગણિત ખોઈ શકે છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.