વિધાનસભામાં પોતાના સમાજને ટિકિટ મળે તે માટે અનેક સમાજોએ ભરી હુંકાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 18:06:17

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા ટિકિટ માટે અનેક સમાજના લોકો મેદાનમાં આવી રહ્યા છે. એક બાદ એક સમાજોની બેઠક યોજાઈ રહી છે. જુદા જુદા સમાજો ટિકિટની માગણી કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં જૈન સમાજ પણ ટિકિટની માગ કરતા નજરે પડ્યું હતું. જા અગાઉ અરવલ્લીમાં કરણી સેનાએ પણ ટિકિટની માગ કરી હતી. 

જૈન સમાજે કરી ટિકિટની માગ

પોતાના સમાજનો દબદબો રહે તે માટે અનેક સમાજ ચૂંટણીમાં ટિકિટની માગ કરતા હોય છે. પાટીદાર સમાજ, કોળી સમાજ અને માલધારી સમાજ ટિકિટની માગ કરતા નજરે પડ્યા હતા ત્યારે હવે જૈન સમાજ પણ ટિકિટની માગને લઈ મેદાનમાં ઉતર્યા છે. જામનગર ખાતે જૈન સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં જૈન સમાજના અગ્રણી તેમજ મેયર બીનાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. 


કોળી સમાજ અને પટેલ સમાજે પણ કરી છે ટિકિટની માગ 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા એક બાદ એક સમાજ મહાસંમેલનનું આયોજન કરી રહી છે. મહાસંમેલન કરી સરકારને ઘેરવા પ્રયાસો કરવામાં આવે છે. ઉપરાંત ટિકિટની માગ પણ કરવામાં આવે છે. ત્યારે જામનગર ખાતે જૈન સમાજની બેઠક યોજાઈ હતી જેમાં જામનગરની વિધાનસભાની ટિકિટમાં જૈન સમાજને સ્થાન મળે તેવી વાત કરવામાં આવી હતી. ઉપરાંત થોડા દિવસો પહેલા જ કરણી સેનાએ મહાસંમેલન કર્યું હતું. રાજ શેખાવતે ક્ષત્રિય સમાજ માટે 55થી 60 ટિકિટોની માગ કરી હતી. ઉપરાંત પાટીદાર સમાજને 50 જેટલી ટિકિટ આપવામાં આવે ઉપરાંત કોળી સમાજને 72 ટિકિટની ફાળવણી કરવાની માગ કરી હતી. અનેક સમાજ ટિકિટની માગણી કરી રહ્યા છે જેને કારણે રાજકીય પાર્ટીઓનું ગણિત ખોઈ શકે છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે