વિધાનસભામાં પોતાના સમાજને ટિકિટ મળે તે માટે અનેક સમાજોએ ભરી હુંકાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 18:06:17

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા ટિકિટ માટે અનેક સમાજના લોકો મેદાનમાં આવી રહ્યા છે. એક બાદ એક સમાજોની બેઠક યોજાઈ રહી છે. જુદા જુદા સમાજો ટિકિટની માગણી કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં જૈન સમાજ પણ ટિકિટની માગ કરતા નજરે પડ્યું હતું. જા અગાઉ અરવલ્લીમાં કરણી સેનાએ પણ ટિકિટની માગ કરી હતી. 

જૈન સમાજે કરી ટિકિટની માગ

પોતાના સમાજનો દબદબો રહે તે માટે અનેક સમાજ ચૂંટણીમાં ટિકિટની માગ કરતા હોય છે. પાટીદાર સમાજ, કોળી સમાજ અને માલધારી સમાજ ટિકિટની માગ કરતા નજરે પડ્યા હતા ત્યારે હવે જૈન સમાજ પણ ટિકિટની માગને લઈ મેદાનમાં ઉતર્યા છે. જામનગર ખાતે જૈન સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં જૈન સમાજના અગ્રણી તેમજ મેયર બીનાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. 


કોળી સમાજ અને પટેલ સમાજે પણ કરી છે ટિકિટની માગ 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા એક બાદ એક સમાજ મહાસંમેલનનું આયોજન કરી રહી છે. મહાસંમેલન કરી સરકારને ઘેરવા પ્રયાસો કરવામાં આવે છે. ઉપરાંત ટિકિટની માગ પણ કરવામાં આવે છે. ત્યારે જામનગર ખાતે જૈન સમાજની બેઠક યોજાઈ હતી જેમાં જામનગરની વિધાનસભાની ટિકિટમાં જૈન સમાજને સ્થાન મળે તેવી વાત કરવામાં આવી હતી. ઉપરાંત થોડા દિવસો પહેલા જ કરણી સેનાએ મહાસંમેલન કર્યું હતું. રાજ શેખાવતે ક્ષત્રિય સમાજ માટે 55થી 60 ટિકિટોની માગ કરી હતી. ઉપરાંત પાટીદાર સમાજને 50 જેટલી ટિકિટ આપવામાં આવે ઉપરાંત કોળી સમાજને 72 ટિકિટની ફાળવણી કરવાની માગ કરી હતી. અનેક સમાજ ટિકિટની માગણી કરી રહ્યા છે જેને કારણે રાજકીય પાર્ટીઓનું ગણિત ખોઈ શકે છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.