વડાપ્રધાન મોદીની માતા હીરાબાને અનેક નેતાઓ આપી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2022-12-30 09:33:07

100 વર્ષની વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનથી ભાજપમાં શોકની લાગણી વ્યાપ ગઈ છે. હીરાબાના નિધનનો શોક અનેક રાજકીય નેતાઓએ વ્યક્ત કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ, રાજનાથસિંહ, યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ ટ્વિટ કરી શોકની લાગણી વ્યક્ત કરી હતી. 


ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ

હીરાબાને જ્યારથી યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારથી ભૂપેન્દ્ર પટેલ સતત તેમના સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખી રહ્યા હતા. ગઈકાલે પણ તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હીરાબાનું નિધન થતા ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્મનાને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

 

રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો 

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ પહેલા જ્યારે તબિયત ખરાબ થતા હીરાબાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન પણ જલ્દી સ્વસ્થ્ય થાય તે માટે પ્રાર્થના કરી હતી. ટ્વિટ કરી રાહુલ ગાંધીએ લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના નિધનના સમાચાર સાંભળી અત્યંત દુખ થયું. આ મુશ્કિલ સમયમાં હું, તેમને અને તેમના પરિવાર માટે સંવેદવના વ્યક્ત કરું છું.

  

સી.આર.પાટીલે અને જે.પી.નડ્ડાએ પણ દુ:ખ વ્યક્ત કર્યું

હીરાબાના નિધનથી ભાજપમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. સી.આર.પાટીલે પણ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું કે વાત્સ્લમૂર્તિ હીરાબાનાં સંસ્કારમૂલ્યોને વંદન કરું છું. ઉપરાંત જે.પી.નડ્ડાએ પણ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.