વડાપ્રધાન મોદીની માતા હીરાબાને અનેક નેતાઓ આપી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2022-12-30 09:33:07

100 વર્ષની વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનથી ભાજપમાં શોકની લાગણી વ્યાપ ગઈ છે. હીરાબાના નિધનનો શોક અનેક રાજકીય નેતાઓએ વ્યક્ત કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ, રાજનાથસિંહ, યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ ટ્વિટ કરી શોકની લાગણી વ્યક્ત કરી હતી. 


ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ

હીરાબાને જ્યારથી યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારથી ભૂપેન્દ્ર પટેલ સતત તેમના સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખી રહ્યા હતા. ગઈકાલે પણ તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હીરાબાનું નિધન થતા ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્મનાને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

 

રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો 

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ પહેલા જ્યારે તબિયત ખરાબ થતા હીરાબાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન પણ જલ્દી સ્વસ્થ્ય થાય તે માટે પ્રાર્થના કરી હતી. ટ્વિટ કરી રાહુલ ગાંધીએ લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના નિધનના સમાચાર સાંભળી અત્યંત દુખ થયું. આ મુશ્કિલ સમયમાં હું, તેમને અને તેમના પરિવાર માટે સંવેદવના વ્યક્ત કરું છું.

  

સી.આર.પાટીલે અને જે.પી.નડ્ડાએ પણ દુ:ખ વ્યક્ત કર્યું

હીરાબાના નિધનથી ભાજપમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. સી.આર.પાટીલે પણ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું કે વાત્સ્લમૂર્તિ હીરાબાનાં સંસ્કારમૂલ્યોને વંદન કરું છું. ઉપરાંત જે.પી.નડ્ડાએ પણ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.