વડાપ્રધાન મોદીની માતા હીરાબાને અનેક નેતાઓ આપી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2022-12-30 09:33:07

100 વર્ષની વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનથી ભાજપમાં શોકની લાગણી વ્યાપ ગઈ છે. હીરાબાના નિધનનો શોક અનેક રાજકીય નેતાઓએ વ્યક્ત કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ, રાજનાથસિંહ, યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ ટ્વિટ કરી શોકની લાગણી વ્યક્ત કરી હતી. 


ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ

હીરાબાને જ્યારથી યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારથી ભૂપેન્દ્ર પટેલ સતત તેમના સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખી રહ્યા હતા. ગઈકાલે પણ તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હીરાબાનું નિધન થતા ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્મનાને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

 

રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો 

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ પહેલા જ્યારે તબિયત ખરાબ થતા હીરાબાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન પણ જલ્દી સ્વસ્થ્ય થાય તે માટે પ્રાર્થના કરી હતી. ટ્વિટ કરી રાહુલ ગાંધીએ લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના નિધનના સમાચાર સાંભળી અત્યંત દુખ થયું. આ મુશ્કિલ સમયમાં હું, તેમને અને તેમના પરિવાર માટે સંવેદવના વ્યક્ત કરું છું.

  

સી.આર.પાટીલે અને જે.પી.નડ્ડાએ પણ દુ:ખ વ્યક્ત કર્યું

હીરાબાના નિધનથી ભાજપમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. સી.આર.પાટીલે પણ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું કે વાત્સ્લમૂર્તિ હીરાબાનાં સંસ્કારમૂલ્યોને વંદન કરું છું. ઉપરાંત જે.પી.નડ્ડાએ પણ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.