તમિલનાડુમાં થયેલા અકસ્માતમાં અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-03 14:46:16

તમિલનાડુમાં અકસ્માત બન્યો છે. કુડ્ડાલોર જિલ્લામાં આ દુર્ઘટના બની છે જેમાં પાંચ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર છ વાહનો એક સાથે ભટકાયા હતા. ત્રિચી ચેન્નઈ રાષ્ટ્રીય રાજમાર્ગ પર આ અકસ્માત બન્યો છે. એક સાથે છો વાહનો ભટકાતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. બે બસ, બે લોરી અને બે ગાડી વચ્ચે આ અકસ્માત થયો છે. મળતી માહિતી અનુસાર વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

  

6 ગાડીઓ એકસાથે ભટકાતા થયો અકસ્માત 

દેશમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. દરરોજ અકસ્માતને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. તો અનેક લોકો અકસ્માતને કારણે ઈજાઓ પહોચતી હોય છે. ત્યારે ગમખવાર અકસ્માત તમિલનાડુમાં બન્યો છે. ભયાનક અકસ્માતમાં 6 વાહનો એક સાથે ભટકાયા હતા. ત્રિચી ચેન્નઈ રાષ્ટ્રીય રાજમાર્ગ પર આ અકસ્માત બન્યો છે. એક સાથે છો વાહનો ભટકાતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે.

 

પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી 

અધિકારીઓના જણાવ્યા અનુસાર બધા મૃતકો એક જ પરિવારના છે. મૃત્યુ પામનાર લોકો એક જ કારમાં સવાર હતા. પોલીસે કહ્યું કે કારમાં મળી આવેલા સામાનને જોઈને ખબર પડી કે  તેઓ ચેન્નઈના નંગનલ્લૂરના રહેવાસી છે.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.