તમિલનાડુમાં થયેલા અકસ્માતમાં અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-03 14:46:16

તમિલનાડુમાં અકસ્માત બન્યો છે. કુડ્ડાલોર જિલ્લામાં આ દુર્ઘટના બની છે જેમાં પાંચ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર છ વાહનો એક સાથે ભટકાયા હતા. ત્રિચી ચેન્નઈ રાષ્ટ્રીય રાજમાર્ગ પર આ અકસ્માત બન્યો છે. એક સાથે છો વાહનો ભટકાતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. બે બસ, બે લોરી અને બે ગાડી વચ્ચે આ અકસ્માત થયો છે. મળતી માહિતી અનુસાર વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

  

6 ગાડીઓ એકસાથે ભટકાતા થયો અકસ્માત 

દેશમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. દરરોજ અકસ્માતને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. તો અનેક લોકો અકસ્માતને કારણે ઈજાઓ પહોચતી હોય છે. ત્યારે ગમખવાર અકસ્માત તમિલનાડુમાં બન્યો છે. ભયાનક અકસ્માતમાં 6 વાહનો એક સાથે ભટકાયા હતા. ત્રિચી ચેન્નઈ રાષ્ટ્રીય રાજમાર્ગ પર આ અકસ્માત બન્યો છે. એક સાથે છો વાહનો ભટકાતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે.

 

પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી 

અધિકારીઓના જણાવ્યા અનુસાર બધા મૃતકો એક જ પરિવારના છે. મૃત્યુ પામનાર લોકો એક જ કારમાં સવાર હતા. પોલીસે કહ્યું કે કારમાં મળી આવેલા સામાનને જોઈને ખબર પડી કે  તેઓ ચેન્નઈના નંગનલ્લૂરના રહેવાસી છે.      




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.