જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીહુમલો, IED બ્લાસ્ટમાં અનેક લોકો થયા ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-02 14:22:24

જમ્મુ કાશ્મીરના રાજૌરી અને શ્રીનગરના જદીબલ વિસ્તારમાં આંતકી હુમલો થવાની ઘટના સામે આવી છે જેમાં 4 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રવિવારે આતંકવાદીઓએ રાજૌરીમાં હિંદુ પરિવારને ટાર્ગેટ કરી ફાયરિંગ કર્યું છે. જેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું તે જગ્યા પર IED બ્લાસ્ટ કરવામાં આવ્યો છે.

  

IED દ્વારા કરવામાં આવ્યો હુમલો

જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત ટ્રાર્ગેટ કિલીંગની ઘટના બની છે. આતંકવાદીઓએ રવિવારે મોડી રાત્રે હિંદુ પરિવાર પર ફાયરિંગ કર્યું હતું જેમાં 4 લોકો મોતને ભેટ્યા હતા. આ ઘટનામાં 7 લોકો ઘાયલ થયા છે. આ હુમલાનો વિરોધ સોમવારે કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃતકોના ઘરની બહાર જ બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું. આ બ્લાસ્ટમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે એક બાળકનું મોત થયું છે. ઉપરાંત પોલીસને એક IED પણ મળી આવ્યું છે. 



સુરક્ષાબળોનો કાફલો કરાયો તૈનાત 

રવિવારે બનેલી ઘટનાનો વિરોધ તેમજ આતંકવાદીઓનો વિરોધ ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓનો વિરોધ કરી રહ્યા હતા તે સમયે આંતકી હુમલો કરવામાં આવ્યો. ઢાંગરી ગામમાં હિંદુઓની હત્યા થતા બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સ્થળ પર જ આતંકવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો જેમાં 5 જેટલા લોકો ઘાયલ થયા છે જ્યારે એક બાળક મોતને ભેટ્યો છે. આતંકવાદી હુમલો થતા સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.    




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.