જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીહુમલો, IED બ્લાસ્ટમાં અનેક લોકો થયા ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-02 14:22:24

જમ્મુ કાશ્મીરના રાજૌરી અને શ્રીનગરના જદીબલ વિસ્તારમાં આંતકી હુમલો થવાની ઘટના સામે આવી છે જેમાં 4 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રવિવારે આતંકવાદીઓએ રાજૌરીમાં હિંદુ પરિવારને ટાર્ગેટ કરી ફાયરિંગ કર્યું છે. જેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું તે જગ્યા પર IED બ્લાસ્ટ કરવામાં આવ્યો છે.

  

IED દ્વારા કરવામાં આવ્યો હુમલો

જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત ટ્રાર્ગેટ કિલીંગની ઘટના બની છે. આતંકવાદીઓએ રવિવારે મોડી રાત્રે હિંદુ પરિવાર પર ફાયરિંગ કર્યું હતું જેમાં 4 લોકો મોતને ભેટ્યા હતા. આ ઘટનામાં 7 લોકો ઘાયલ થયા છે. આ હુમલાનો વિરોધ સોમવારે કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃતકોના ઘરની બહાર જ બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું. આ બ્લાસ્ટમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે એક બાળકનું મોત થયું છે. ઉપરાંત પોલીસને એક IED પણ મળી આવ્યું છે. 



સુરક્ષાબળોનો કાફલો કરાયો તૈનાત 

રવિવારે બનેલી ઘટનાનો વિરોધ તેમજ આતંકવાદીઓનો વિરોધ ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓનો વિરોધ કરી રહ્યા હતા તે સમયે આંતકી હુમલો કરવામાં આવ્યો. ઢાંગરી ગામમાં હિંદુઓની હત્યા થતા બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સ્થળ પર જ આતંકવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો જેમાં 5 જેટલા લોકો ઘાયલ થયા છે જ્યારે એક બાળક મોતને ભેટ્યો છે. આતંકવાદી હુમલો થતા સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.    




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.