જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીહુમલો, IED બ્લાસ્ટમાં અનેક લોકો થયા ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-02 14:22:24

જમ્મુ કાશ્મીરના રાજૌરી અને શ્રીનગરના જદીબલ વિસ્તારમાં આંતકી હુમલો થવાની ઘટના સામે આવી છે જેમાં 4 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રવિવારે આતંકવાદીઓએ રાજૌરીમાં હિંદુ પરિવારને ટાર્ગેટ કરી ફાયરિંગ કર્યું છે. જેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું તે જગ્યા પર IED બ્લાસ્ટ કરવામાં આવ્યો છે.

  

IED દ્વારા કરવામાં આવ્યો હુમલો

જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત ટ્રાર્ગેટ કિલીંગની ઘટના બની છે. આતંકવાદીઓએ રવિવારે મોડી રાત્રે હિંદુ પરિવાર પર ફાયરિંગ કર્યું હતું જેમાં 4 લોકો મોતને ભેટ્યા હતા. આ ઘટનામાં 7 લોકો ઘાયલ થયા છે. આ હુમલાનો વિરોધ સોમવારે કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃતકોના ઘરની બહાર જ બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું. આ બ્લાસ્ટમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે એક બાળકનું મોત થયું છે. ઉપરાંત પોલીસને એક IED પણ મળી આવ્યું છે. 



સુરક્ષાબળોનો કાફલો કરાયો તૈનાત 

રવિવારે બનેલી ઘટનાનો વિરોધ તેમજ આતંકવાદીઓનો વિરોધ ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓનો વિરોધ કરી રહ્યા હતા તે સમયે આંતકી હુમલો કરવામાં આવ્યો. ઢાંગરી ગામમાં હિંદુઓની હત્યા થતા બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સ્થળ પર જ આતંકવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો જેમાં 5 જેટલા લોકો ઘાયલ થયા છે જ્યારે એક બાળક મોતને ભેટ્યો છે. આતંકવાદી હુમલો થતા સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.