જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીહુમલો, IED બ્લાસ્ટમાં અનેક લોકો થયા ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-02 14:22:24

જમ્મુ કાશ્મીરના રાજૌરી અને શ્રીનગરના જદીબલ વિસ્તારમાં આંતકી હુમલો થવાની ઘટના સામે આવી છે જેમાં 4 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રવિવારે આતંકવાદીઓએ રાજૌરીમાં હિંદુ પરિવારને ટાર્ગેટ કરી ફાયરિંગ કર્યું છે. જેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું તે જગ્યા પર IED બ્લાસ્ટ કરવામાં આવ્યો છે.

  

IED દ્વારા કરવામાં આવ્યો હુમલો

જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત ટ્રાર્ગેટ કિલીંગની ઘટના બની છે. આતંકવાદીઓએ રવિવારે મોડી રાત્રે હિંદુ પરિવાર પર ફાયરિંગ કર્યું હતું જેમાં 4 લોકો મોતને ભેટ્યા હતા. આ ઘટનામાં 7 લોકો ઘાયલ થયા છે. આ હુમલાનો વિરોધ સોમવારે કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃતકોના ઘરની બહાર જ બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું. આ બ્લાસ્ટમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે એક બાળકનું મોત થયું છે. ઉપરાંત પોલીસને એક IED પણ મળી આવ્યું છે. 



સુરક્ષાબળોનો કાફલો કરાયો તૈનાત 

રવિવારે બનેલી ઘટનાનો વિરોધ તેમજ આતંકવાદીઓનો વિરોધ ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓનો વિરોધ કરી રહ્યા હતા તે સમયે આંતકી હુમલો કરવામાં આવ્યો. ઢાંગરી ગામમાં હિંદુઓની હત્યા થતા બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સ્થળ પર જ આતંકવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો જેમાં 5 જેટલા લોકો ઘાયલ થયા છે જ્યારે એક બાળક મોતને ભેટ્યો છે. આતંકવાદી હુમલો થતા સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.